________________
૨૨
પ્રાર્થના-૧
૫. ત્રિવેણી સંગમ
એકલવ્ય વખણાય છે તેનાં બે કારણ છે. એ ગુરુવગર ભણ્યો, તૈયાર થયો અને ગુરુ પાસે ભણેલા વિદ્યાર્થીઓ કરતા આગળ નીકળી ગયો ગુરુની મૂર્તિ પાસેથી એણે જીવંત ગુરુનું કામ લીધું. તો સાક્ષાતુ ગુરુ મળ્યા ત્યારે ગુરુ દક્ષિણા રૂપે તેણે જમણા હાથનો અંગૂઠો ધરી દીધો. પોતાની પ્રતિભાનું ગળું કાપ્યું જાણે. એકલવ્યનો અંગૂઠો કપાયો તે ગુરુનું પાપ. અંગૂઠો કાપવામાં વિચાર ન આવ્યો તે એકલવ્યનું પુણ્ય. આ કાળમાં એકલવ્ય જોવા મળતા નથી, અંગૂઠો દેખાડનારા જ મળે છે હવે. પરંતુ - આ કાળમાં એકલા ભણીને તૈયાર થઈ શકે, એવા એકલવ્ય મળવાના જ નથી. અંગુઠો તો પછી આવે. પહેલાં તો એકલા ભણવું પડે. એકલવ્ય થવા જેવું નથી. અંગૂઠો આપવાની ના નથી, એકલા ભણવાની ના છે, આ ધર્મશાસ્ત્રનો મત છે.
શાસ્ત્રનો અભ્યાસ અનિવાર્ય છે. અભ્યાસ માટે ગુરુસાંનિધ્ય તદ્દન અપરિહાર્ય છે. ડૉક્ટરની રજા વિના દવા લો તે કદાચ નુકશાન ન કરે. ગુરુની નિશ્રા વિના જ્ઞાન મેળતો તે અવશ્ય નુકશાન કરે. ધર્મનો અભ્યાસ કરવાનું મન થયું તે જ ઘડીએ ગુરુનું સરનામું શોધવાનું હોય. શાસ્ત્રના શબ્દો પ્રભુમિલનનું માધ્યમ છે. ગુરુ પ્રભુમિલનના માર્ગદર્શક છે. શાસ્ત્રના શબ્દોમાં ચેતના છે. ગુરુ એ ચેતનાની ચિનગારી છે. ગુરુ અથવા શિક્ષક ન મળે ત્યાં સુધી શાસ્ત્રોનું અધ્યયન કરાય નહીં. અભ્યાસની ભૂમિકારૂપે સારાં પુસ્તકો અવશ્ય વંચાય.
શાસ્ત્રનો બોધ પામવો છે અને ગુરુની નિશ્રા ચૂકવી નથી. આ બે સંકલ્પ સાથે જોઈએ. શાસ્ત્રો પાસે ગુરુ વિના જઈએ તો નુકશાની. ગુરુ પાસે શાસ્ત્રો વિના જઈએ તો બંને પક્ષે જોખમ. ગુરુનો ઉપયોગ, શાસ્ત્રના પરમાર્થ સુધી
અનહદની આરતી પહોંચવા માટે કરવાનો છે. ગુરુ એ વ્યક્તિ નથી. ગુરુ એ ટપાલી છે. જૂના જમાનામાં ગામડે પૉસ્ટકાર્ડ લાવતો ટપાલી, ડોસીમાને કાગળ આપતો. ડોસી ટપાલી પાસે જ કાગળ વંચાવીને સમાચાર મેળવતી. ડોસીને આંખે ઝાંખપ હોય અને વાંચવાનું શીખેલી ના હોય. વાસ્તે ટપાલી વાંચી આપે. આપણે ડોસીમા છીએ ધર્મની બાબતમાં. આંખો કહેતાં સમજશક્તિ ઝાંખી છે. ધર્મની બારાખડી શીખ્યા નથી માટે સાચી વાત સાપ બરાબર લાગે છે. ગુરુ શાસ્ત્ર આપશે અને ગુરુ જ શાસ્ત્ર વાંચી બતાવશે. એકલા હાથે શાસ્ત્રમાં પ્રવેશ નથી થઈ શકવાનો.
શાસ્ત્ર-અભ્યાસનો પહેલો નિયમ છે ગુરુનિશ્રા. શું ભણવું તે ગુરુ નક્કી કરે. કેટલી વાર સુધી ભણવું તે ગુરુ નક્કી કરે. શી રીતે ભણવું તે ગુરુ, નક્કી કરે. આ હકીકત શ્રમણ સંઘ પૂરતી મર્યાદિત નથી. શ્રાવક સંઘ માટે આ જ નિયમ છે. મંત્રીશ્વર વસ્તુપાળે શ્રીનચંદ્રસૂરિજી મહારાજાને છરીપાલક સંઘમાં નિશ્રાદાન કરવા વિનંતી કરી ત્યારે કહ્યું હતું : 'ભવન, મદં ભવેત્સમીપે आवश्यक-नवतत्त्व-कर्मप्रकृत्यादिकमधीतवान्, अतो भवानेव मम निश्रादाता ગુરુ: I હું આપની પાસે આવશ્યકસૂત્રો, નવતત્ત્વ અને કર્મપ્રકૃતિઓ શીખ્યો છું, માટે આપ જ આ સંઘમાં નિશ્રાદાતા બનો. મંત્રીશ્વર ધર્મનું ભણ્યા હતા તે તો ખરું. ભણવા માટે તેમણે ગુરુનિશ્રા રાખી હતી તે અગત્યનું છે. રાજા કુમારપાળ ધર્મનું ભણ્યા, તે શ્રીમદ્ હેમાચાર્યભગવંત પાસે અને તેમના શિષ્યો પાસે. ભીષ્મ પિતામહની માતા ગંગાદેવી સાધ્વીજી ભગવંત પાસે ધર્મ ભણી હતી, મહાસતી મયણાદેવી પણ.
શાસ્ત્રના અભ્યાસનો સંકલ્પ આપણને ગુરુ સાથે નાતો બાંધવા કટિબદ્ધ બનાવે છે. ગુરુ પાસે ભણવાની પદ્ધતિ બે હોઈ શકે. એક, ગુરુ પાસે રહીએ અને ભણીએ. બે, ગુરુ પાસે થોડો સમય માંગીને એ સમયે ભણવા માટે જઈએ.
પહેલી પદ્ધતિમાં ધર્મબોધ ઝડપી અને પરિણામદાયક નીવડે છે. ગુરુ પાસે રોકાયા છીએ. ઘરબારથી દૂર છીએ. ગુરુ કેન્દ્રસ્થાને રહે તે રીતે થોડા દિવસો કે મહિનાઓ ગુરુનિશ્રામાં રોકાણ રાખ્યું છે. ચોવીસ કલાક ગુરુની નજર આપણી પર છે. તેમ ચોવીસ કલાક ગુરુ પર આપણી નજર છે. ગુરુ પાસે રહીને ભણવાથી ગુરુનાં જીવનની ઊંડી અસર આત્મા સુધી પહોંચે છે. એકાદ બે શાસ્ત્રો ભણાઈ ન જાય ત્યાર સુધી સાથે ને સાથે જ રહેવું. એ