________________
૧૮
શાઓ : શબ્દોથી ભાવ સુધી
૧૭ નવા મુદ્દા સાથે સાધારણથી અસાધારણ સુધીની યાત્રા થાય. ન વિચારી શક્તા હોઈએ તેવી દિશાને આવકારવાની આદત પડે. સરવાળે નિર્ણયશક્તિ વધે.
વાંચન કરીએ. ગમે. ગમતાનો ગુલાલ કરીએ. વાંચેલું વહેંચીએ. સુંદર પ્રતિભાવ મળે. ફરી વખત નવું વાંચ્યું હોય તે વહેંચીએ. આપણી વાતોમાંથી બેઠા ઘાટની એકવિધતા બહિષ્કૃત થઈ જાય. જે વાંચેલું હોય તેમાં નવો ઉમેરો કરવાનો. નવું ઉમેરાયું તે વાતોમાં વહેતું મૂકવાનું. આપણી વાતોમાંથી ગામગપાટા બાદ થઈ જાય. વાત કરવાની નવી મજા આવે. તત્ત્વચર્યા અને ધર્મવાદ.
- દૃશ્ય જોવું અને અક્ષરો જોવા. આંખોના જ બેય કામ. દૃશ્ય જોયા પછી આંખોને બીજું કશું કરવાનું નથી. અક્ષર જોયા પછી મગજને લાંબી કેડી સાંપડે છે. સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદહું - મુહપત્તીનો આ પહેલો બોલ છે તો શબ્દ, અર્થ, ભાવ કરી સમજું આ વાંચનાનો પહેલો કોલ છે. વાક્યખંડો અને સળંગ લખાણ એક ભાવ પીરસે છે. શબ્દોમાં એ નથી. શબ્દો દ્વારા એ છે. એ શબ્દોમાંથી છે. શબ્દો તો ABCD છે. ભાવ સાવ નોખો છે.
શાસ્ત્રનો અભ્યાસ ભાવોનું નવસર્જન કરનારી મથામણ છે. આપણા આત્માને ભાવોની ભૂખ છે. નાના બાળકને રસોઈ બનાવતા ન આવડે. રસોઈ પીરસો તો એ ખાય જરૂર. આત્મા આ બાળ જેવો. એને ભાવોનું નિર્માણ કરતાં નથી આવડતું. ભાવો ફુટ થાય તેની સમક્ષ. એ સ્વીકારે. આત્મા મૂળે તો પરમાત્મા છે. એનું પરમતત્ત્વ દબાયેલું છે. સારો ભાવ મળે. થોડો ઉઘાડ આવે. આત્માને પરમની ઝાંખી થાય. આપણાં તમામ અનુષ્ઠાનો ભાવનું ઘડતર કરવા માટે છે. આપણે કેવા ભાવ સુધી પહોંચવું છે તેની કલ્પના આપણને નથી. શાસ્ત્રોનું વાંચન જે જે ભાવોની આવશ્યકતા છે તે તે ભાવોને ઢંઢોળે છે.
સામાન્ય રીતે શાસ્ત્રો ત્રણ વિભાગમાં વહેંચાયેલાં છે. ભાવનાલક્ષી શાસ્ત્રો, જીવનલક્ષી શાસ્ત્રો અને પદાર્થલક્ષી શાસ્ત્રો.
ભાવનાલક્ષી શાસ્ત્રો સ્વાર્થની દુનિયાથી દૂર લઈ જાય છે. સ્વાર્થભંગ થાય તેનાં દુ:ખ સામે હિંમત આપે છે. સ્વાર્થનો રસ નવાં પાપ ન કરાવે તેની
અનહદની આરતી ચેતવણી આપે છે. સ્વાર્થ જેવા જ અહંને ઘટાડવાનું કહે છે. મનનું જગત જેટલી રીતે વિક્ષુબ્ધ થઈ શકે તે તમામ બાબતોને આવરી લેતી સમાધાયક વિચારસરણી રજૂ કરે છે. કથાઓ, ઉપદેશો, પ્રેરણાઓ દ્વારા આપણી વિચારસૃષ્ટિને વાળ અને અજવાળે તે ભાવનાલક્ષી શાસ્ત્રો.
જીવનલક્ષી શાસ્ત્રો જીવનચર્યાની રૂપરેખા આપે છે. અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ વિના સંસારી જીવી નથી શકવાનો. આ બે પુરુષાર્થમાં વિવેકનો સ્પર્શ હોવો જોઈએ. જીવનલક્ષી શાસ્ત્રો અર્થ અને કામમાં શાનો શાનો પરિહાર કરવો તે સમજાવે છે. અનીતિનું ધન ન ખપે. પરંદારાથી વિરમણ લેવું. નીતિનું ધન મર્યાદામાં રાખવું. સ્વદારામાં પણ સંતોષ જ રાખવો. અર્થ અને કામ પાપની પ્રવૃત્તિઓ છે તે શી રીતે કરવી એ સંસારીને શીખવવું નથી પડતું. અર્થ અને કામમાંથી પાપની બાદબાકી શી રીતે કરવી તે સમજાવવું પડે છે. ના કહીને, નિષેધ કરીને નિરવદ્યભાષામાં માર્ગદર્શન આપે છે જીવનલક્ષી શાસ્ત્રો. સાથોસાથ, પૂજા, પ્રતિક્રમણ, ગુરુવંદન જેવાં ધાર્મિક અનુષ્ઠાનોનું આચરણ કંઈ રીતે થાય, આશાતના અને વિરાધના શું હોય, તેમનાથી બચવા શું કરવું ? જીવનલક્ષી શાસ્ત્રો આ શીખવે છે.
વાચક જસની ગાથા યાદ આવે છે.
विधिकथनं विधिरागो विधिमार्गस्थापनं विधीच्छूनाम् ।
अविधिनिषेधश्चेति प्रवचनभक्तिः प्रसिद्धा नः ॥ ધર્મક્રિયાનો બોધ, ધર્મક્રિયાની શ્રદ્ધા, ધર્મક્રિયાની ઉપાદેયતાનો પ્રચાર અને અધર્મક્રિયાનો પ્રતિકાર આ ચાર તત્ત્વો દ્વારા અમે અમારાં પ્રભુશાસનની ભક્તિ કરી છે.
જીવનલક્ષી શાસ્ત્રો સદાચારોની સુરેખ સમજણ આપે છે.
પદાર્થલક્ષી શાસ્ત્રો ઊંચા દરજ્જાની બૌદ્ધિક ક્ષમતા માંગી લે છે. આત્મા શું છે ? જગત શું છે? આત્મા શરીરમાં શું કામ છે ? આ જગત કંઈ રીતે ચાલે છે? આત્મા આ જગતમાં જ રહેવાનો કે જગતથી છૂટો થવાનો ? આ જગત સિવાયનું કોઈ બીજું વિશ્વ છે? આ શરૂઆતી પ્રશ્નોને સંતોષે છે પદાર્થલક્ષી શાસ્ત્રો. જીવનચેતના ધરાવનારાં પ્રાણીઓની વિરાટસૃષ્ટિ.