________________
સૂત્ર-૨૮૨ થી ૨૮૪
જેટલા સમયાં તે પલ્સ વાલાણુ શૂન્ય થાય, એકદમ ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવામાં આવે છે. દસ ક્રોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનો એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય છે.
પ્રશ્ન - સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે? ઉત્તર - સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમથી દ્વીપ સમુદ્રોનું માપ કરાય છે.
પ્રશ્ન ઃ ભગવન્ ! ઉદ્ધારની અપેક્ષાએ કેટલા દ્વીપરામુદ્રો પરૂપ્યા છે ? ઉત્તર :- ગૌતમ ! અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર સમયો છે, તેટલા દ્વીપ સમુદ્રો કહ્યા છે.
• વિવેચન-૨૮૨/૧ થી ૨૮૪/૧ :
૧૭૫
આ ત્રણ સૂત્રો દ્વારા સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ દર્શાવ્યું છે. વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ જેવું જ તેનું સ્વરૂપ છે. માત્ર વ્યાવહારિક પલ્યોપમનું પ્રમાણ નિર્દેશ કરવામાં એકથી સાત દિવસના વાલાગ્રને પલ્સમાં ભરવાનું કથન છે. જ્યારે આ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમમાં તે જ વાલાગ્રના અસંખ્યાત-અસંખ્યાત ખંડ કરી ભરવાનું વિધાન છે. વાલાગ્રના આ જે ખંડ કરવામાં આવે તે નિર્મળવિશુદ્ધ નેત્રવાળા છાસ્થ પુરુષને દૃષ્ટિગોચર થતાં સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેવડા હોય છે અને સૂક્ષ્મ પનકના જીવના શરીથી અસંખ્યાત ગુણા મોટા હોય છે.
અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ અર્થાત્ પચીસ ક્રોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના સમય પ્રમાણ દ્વીપ-સમુદ્રો મધ્યલોકમાં છે. • સૂત્ર-૨૮૪/૨ થી ૨૮૬/૧ ઃ
પ્રશ્ન :- આવા પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - અદ્ધાપલ્યોપમના બે પ્રકાર છે, (૧) સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ (૨) વ્યવહારિક દ્ધાપલ્યોપમ.
તેમાં જે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ છે તે સ્થાપ્ય છે અર્થાત્ તેનું કથન પહેલાં ન કરતાં વ્યાવહારિક દ્ધા પલ્યોપમનું વર્ણન પહેલાં કરે છે.
તેમાં વ્યવહારિક દ્ધા પલ્યોપમ આ પ્રમાણે થય છે, જેમકે કોઈ ઉત્સેધાંગુલથી એક યોજન લાંબા, એક યોજન પહોળા અને એક યોજન
ઊંડા અને સાધિક ત્રણ યોજનની પરિધિવાળા પલ્સને એક-બે-ત્રણ વગેરે સાત
દિવસ સુધીના ઉગેલા વાલાગ્રંથી ઠાંસીઠાંસીને ભરે કે જેને અગ્નિ બાળી ન શકે, પવન તે વાલાગ્નોને ઉડાડી ન શકે, તે કોહવાય નહીં, તેનો વિધ્વંસ થાય નહીં અને તેમાં દુર્ગંધ ઉત્પન્ન થાય નહીં. સો-સો વર્ષે તે પલ્સમાંથી એક-એક વાલાગ્ર કાઢતા કાઢતા, જેટલા સમયમાં તે પલ્સ વાલાગ્રોથી રહિત, નીરજ, નિર્લેપ સાવ ખાલી થઈ જાય તેટલા કાળને વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ કહે છે. દસ ક્રોડાકોડી વ્યાવહારિક અદ્ધા પલ્યોપમનો એક વ્યાવહારિક દ્ધા સાગરોપમ થાય.
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર સાનુવાદ વિવેચન
વ્યાવહાકિ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે? વ્યાવહારિક પલ્યોપમ અને સાગરોપમથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તે માત્ર પ્રરૂપણા માટે જ છે. આ વ્યાવહારિક અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ છે. • વિવેચન-૨૮૪/૨ થી ૨૮૬/૧ ઃ
૧૭૬
-
આ ત્રણ સૂત્ર દ્વારા અહ્વા પલ્યોપમના ભેદ અને વ્યાવહારિક અદ્ધા પલ્યોપમનું સ્વરૂપ સમજાવ્યું છે. ઉદ્ધાર પલ્યોપમ જેવું જ અદ્ધાપલ્યોપમનું વર્ણન જાણવું, ઉત્સેધાંગુલના માપ અનુસાર એક યોજન લાંબા, પહોળા અને ઊંડા પલ્સમાં એકથી સાત દિવસના ઉગેલા વાળને ઠસોઠસ ભરી, દર સો વર્ષે એક વાલાગૢ કાઢતા સંપૂર્ણ પણે તે પલ્સ ખાલી થઈ જાય તેટલા કાળને વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ કહે છે. વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમમાં પ્રત્યેક સમયે એક-એક વાલાગૢ કાઢવામાં આવે છે. જ્યારે વ્યાવહારિક અદ્ધા પલ્યોપમમાં દર સો વર્ષે એક-એક વાલાગ્રને કાઢવામાં આવે છે. વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ અને અસંખ્યાત કોટિવર્ષ પ્રમાણ જાણવો. દસ ક્રોડાકોડી પલ્યોપમ બરાબર એક વ્યાવહારિક અદ્ધા સાગરોપમ થાય છે.
• સૂત્ર-૨૮૬/૨ થી ૨૮૮ -
પ્રા - સૂક્ષ્મ દ્ધા પલ્યોપમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- તે સ્વરૂપ આ પ્રમાણે છે, જેમકે કોઈ ઉત્સેધાંગુલ અનુસાર એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજન ઊંડો અને સાધિક ત્રણ યોજનની પરિધિવાળા પલ્સને એકથી સાત દિવસના ઉગેલા વાલાગ્રંથી ભરે. તે વાલાગ્રના અસંખ્યાતઅસંખ્યાત ખંડ કરવામાં આવે. તે પ્રત્યેક ખંડ વિશુદ્ધ આંખવાળાના ચક્ષુના વિષયબૂત પદાર્થ કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને સૂક્ષ્મ પનકના શરીરાવગાહના કરતાં અસંખ્યાતગુણ અધિક હોય છે. [બાદર પૃથ્વીકાયિક એક જીવની અવગાહના જેવડા હોય છે.] સો-સો વર્ષે એક-એક વાલાગ્ર ખંડોને બહાર કાઢતા જેટલા સમયમાં તે પલ્સ વાલાગ્ર ખંડોથી વિહીન, નીરજ, નિર્લેપ અને સંપૂર્ણ ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહે છે. દસ ક્રોડાકોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ દ્ધા
સાગરોપમ છે.
પ્રાં - આ સૂક્ષ્મ દ્ધા પલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધા સાગરોપમથી કર્યું પ્રયોજન સિદ્ધ થાય છે? ઉત્તર - સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમથી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના આયુષ્યની સ્થિતિ માપવામાં આવે છે.
• વિવેચન-૨૮૬/૨ થી ૨૮૮ -
સૂક્ષ્મ અહ્વા પલ્યોપમમાં વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ પ્રમાણે જ પલ્યનું માપ વગેરે જાણવા. અહીં પ્રત્યેક વાલાગ્રના અસંખ્યાત-અસંખ્યાત ખંડ કરી પલ્સમાં ભરવા અને સો-સો વર્ષે એક-એક વાલાગૢ ખંડ બહાર કાઢતાં તે પલ્સ સંપૂર્ણપણે જેટલા કાળમાં ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહે છે. આવા દસ ક્રોડાક્રોડી