________________
સૂત્ર-૩૨૫
૨૫૩
પ્રશ્નન : આગમતઃ ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જે અધ્યયનના અર્થને જાણતા પણ હોય અને તેમાં ઉપયોગયુક્ત પણ હોય તેને આગમત ભાવ અધ્યયન કહે છે.
પ્રશ્ન :- નોઆગમતઃ ભાવઅધ્યયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સામાયિક આદિ અધ્યયનમાં ચિત લગાડવાથી, પૂર્વે ઉપાર્જિત કર્મોનો ક્ષય-નિર્જરા અને નવીન કર્મબંધ અટકે છે. આ રીતે સંવરનું કારણ હોવાથી સાધકો અધ્યયનની અભિલાષા કરે છે. આવું નોઆગમતઃ ભાવઅધ્યયનનું સ્વરૂપ છે.
• વિવેચન-૩૨૫/૫, ૩૨૬ :
આ સૂત્રોમાં આગમતઃ અને નોઆગમતઃ ભાવ અધ્યયનું સ્વરૂપ છે. તેમાં આગમતઃ ભાવ અધ્યયનનું સ્વરૂપ આવશ્યકની જેમ જ છે પરંતુ નોઆગમતઃ ભાવ અધ્યયનમાં અહીં કંઈક વિશેષતા છે. તેનું તાત્પર્ય એ છે કે સામાયિક આદિ
અધ્યયનના ભાવોમાં તલ્લીન થઈ અથવા સામાયિકાદિના આચરણમાં તલ્લીન થઈ
જીવ પૂર્વ કર્મોની નિર્જરા અને આગામી કર્મોના આશ્રવનો નિરોધ કરે છે. તે નોઆગમથી ભાવ અધ્યયનરૂપ છે.
• સૂત્ર-૩૨૭ ૩
પ્રશ્ન :- અક્ષીણ ઓધનિષ્પન્ન નિક્ષેપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃઅક્ષીણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય (૪) ભાવ [શિષ્ય પ્રશિષ્યના ક્રમથી ભણવા-ભણાવવાની પરંપરા ચાલુ રહેવાથી શ્રુતનો ક્યારેય ક્ષય થતો નથી, તેથી શ્રુત અક્ષીણ કહેવાય છે.
નામ અને સ્થાપના અક્ષીણનું સ્વરૂપ આવશ્યક પ્રમાણે જાણવું. પ્રશ્ન :- દ્રવ્ય અક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દ્રવ્ય અક્ષીણના બે પ્રકાર છે, આગમતઃ દ્રવ્ય અક્ષીણ અને નોઆગમતઃ દ્રવ્ય અક્ષી.
પ્રશ્ન :- આગમથી દ્રવ્યઅક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અક્ષીણપદ જેણે શીખી લીધું છે, સ્થિર, જિત, મિત, પરિજિત કર્યું છે વગેરે જેમ દ્રવ્ય અધ્યયનના પ્રસંગે કહ્યું છે, તેમ અહીં પણ સમજવું.
પ્રા :- નોઆગમતઃ દ્રવ્યઅક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નોઆગમતઃ દ્રવ્યઅક્ષીણના ત્રણ પ્રકાર છે, (૧) જ્ઞાયકશરીર દ્રવ્ય અક્ષીણ, (ર) ભવ્યશરીર દ્રવ્ય અક્ષીણ, (૩) જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિકિત દ્રવ્ય અક્ષીણ.
પ્રશ્ન :- જ્ઞાયકશરીર દ્રવ્યઅક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- અક્ષીણપદના અર્થને જાણનાર જ્ઞાતાનું વ્યગત, ચ્યુત, ચ્યાવિત, ત્યક્ત દેહ વગેરે દ્રવ્ય અધ્યયનમાં વર્ણન કર્યું છે, તેવું અહીં પણ જાણવું યાવત્ આવું જ્ઞાયકશરીર નોઆગમતઃ દ્રવ્યક્ષીણનું સ્વરૂપ છે.
પ્રશ્ન :- ભવ્ય શરીર દ્રવ્ય અક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સમય પૂર્ણ થતાં જે જીવે યોનિસ્થાનને છોડી જન્મને પ્રાપ્ત કર્યો છે વગેરે વર્ણન દ્રવ્ય
“અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
અધ્યયનની જેમ જાણવું યાવત્ આ ભવ્યશરીર દ્રવ્ય અક્ષીણની વક્તવ્યતા છે. પ્રા :- જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય અક્ષીણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- સવકિાશશ્રેણી, જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિક્તિ દ્રવ્ય અક્ષીણ રૂપ છે. આ નોઆગમતઃ દ્રવ્ય અક્ષીણનું વર્ણન છે.
• વિવેચન-૩૨૭ :
૨૫૪
આ સૂત્રોમાં નામ, સ્થાપના અને દ્રવ્ય અક્ષીણનું વર્ણન કર્યું છે. તે વર્ણન દ્રવ્યઅધ્યયન અને દ્રવ્ય આવશ્યક પ્રમાણે જ છે. તેથી સૂત્રકારે પૂર્વોક્ત સૂત્રથી તેનું સ્વરૂપ જાણવા ભલામણ કરી છે.
• સૂત્ર-૩૨૮ :
પ્રશ્ન :- ભાવ અક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ભાવ અક્ષીણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) આગમથી (૨) નોઆગમથી.
પ્રશ્નન - આગમતઃ ભાવ અક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જે જ્ઞાયક (જ્ઞાતા) ઉપયોગયુક્ત છે, જે જાણે છે અને ઉપયોગ સહિત છે, તે આગમતઃ ભાવ ક્ષીણ છે.
પ્રશ્ન :- નોઆગમતઃ ભાવ અક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જેમ એક દીપક સેંકડો દીપકોને પ્રજ્વલિત કરે છે અને પોતે પણ પ્રદીપ્ત રહે છે, તેમ આચાર્ય વયં દીપક સમાન દેદીપ્યમાન છે અને અન્ય-શિષ્યવર્ગને દેદીપ્યમાન કરે છે, તે નોઆગમતઃ ભાવ ક્ષીણ છે.
• વિવેચન-૩૨૮ :
આગમતઃ ભાવ અક્ષીણમાં જ્ઞાતાના ઉપયોગને ગ્રહણ કર્યો છે. શ્રુતકેવળીનો શ્રુતઉપયોગ અંતર્મુહૂર્ત કાલીન હોવા છતાં તેની અનંત પર્યાય છે. તેમાંથી પ્રતિસમયે એક-એક પર્યાયનો અપહાર કરવામાં આવે તો પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં તેનો ક્ષય થાય નહીં, તેથી તેને આગમતઃ ભાવ અક્ષીણ કહે છે.
નોઆગમતઃ અક્ષીણમાં નિર્દિષ્ટ આચાર્યના ઉદાહરણનો આશય એ છે કે આચાર્ય દ્વારા શ્રુત પરંપરા નિરંતર રહે છે, શ્રુત પરંપરા ક્ષીણ થતી નથી, તે જ ભાવ અક્ષીણતા છે.
• સૂત્ર-૩૨૯/૧ --
પન :- આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- આયના ચાર પ્રકાર છે, (૧) નામ આય, (૨) સ્થાપના આય, (૩) દ્રવ્ય આય, (૪) ભાવ આય.
• વિવેચન-૩૨૯/૧ ઃ
અપ્રાપ્તની પ્રાપ્તિ થાય, લાભ થાય તેને ‘આય' કહેવામાં આવે છે. તેના નામાદિ ચાર પ્રકાર છે.
- સૂત્ર-૩૨૯/૨ :
નામ આય અને સ્થાપના આયનું સ્વરૂપ પૂર્વોતનામ-સ્થાપના આવશ્યક