________________
સૂત્ર-૧૦૬ થી ૧૧૦
૧૪૩
એક વાર આચાર્યશ્રી ઉપાશ્રયથી બહાર ગયા હતા. અન્ય મુનિઓ ગોચરીની ગવેષણા કરવા માટે ગયા હતા. એ સમયે બાળક વજમુનિએ રમત ગમત રૂપે સંતોના વઓ અને પાત્રોને પંકિતબંધ રાખીને પોતે એ બધાની વચમાં બેસીને વસ્ત્રો અને પાત્રોને પોતાના શિષ્યો રૂપે કથિત કરીને વાચના આપવાનો પ્રારંભ કરી દીધો. જ્યારે આચાર્ય બહારથી ઉપાશ્રય આવતા હતા ત્યારે તેમણે વાયનાની ધ્વનિ સાંભળી. તેઓશ્રી ત્યાં જ રોકાઈને સાંભળવા લાગ્યા કે આ અવાજ કોનો છે ? થોડીવારમાં આચાર્યશ્રીએ બાળક વજમુનિનો અવાજ ઓળખી લીધો. તેની વાચના આપવાની શૈલી અને તેની જ્ઞાન પ્રતિભા પણ આચાર્યશ્રીએ જાણી લીધી. બીજા મુનિઓ તેની વાયનાની છટા જોઈને આશ્ચર્યમાં પડી ગયા ! આટલા નાનકડા બાળમુનિને આટલું બધું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થઈ ગયું ? તેની પ્રતિભાની પ્રશંસા કરતાં કરતાં તેઓએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. આચાર્યશ્રીને જોઈને વજમુનિ ત્યાંથી ઊભા થઈને ગુરુદેવના ચરણોમાં વિનયપૂર્વક નમસ્કાર કરીને દરેક ઉપકરણોને યથાસ્થાને રાખી દીધાં. એટલી વારમાં ગોચરી ગોલા મુનિઓ પણ આવી ગયા. દકે આહાર પાણી ગ્રહણ કર્યા.
આચાર્યશ્રીએ વિચાર્યું - આ વજમુનિ શ્રતધર છે પણ તેને નાના સમજીને અન્ય મુનિઓ તેની અવજ્ઞા ન કરે એટલા માટે થોડા દિવસ માટે અહીંથી વિહાર કરીને બહાર વિચરણ કરવું જોઈએ. પછી તેઓશ્રી વાચના આપવાનું કાર્ય વજમુનિને સોંપીને વિહાર કરી ગયાં. બાળક વજમુનિ આગમના સૂમથી સૂમ રહસ્યને એટલી સરળતાથી સમજાવતા હતા કે મંદ બુદ્ધિવાન મુનિ પણ તેને હૃદયંગમ કરવા લાગ્યા. મુનિઓના હૃદયમાં પૂર્વ પ્રાપ્ત જ્ઞાનમાં જે જે શંકાઓ હતી તેનું વજમુનિની શાસ્ત્રોક્ત વિસ્તૃત વાયના વડે સમાધાન થઈ ગયું. દરેક સાધુઓનાં હૃદયમાં વજમુનિ પર અસીમ શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ અને તેઓ વિનયપૂર્વક વજમુનિ પાસે વાયના લેતા રહ્યા.
આચાર્યશ્રી વિચરણ કરતાં કરતાં ફરી તુંબવન નગરમાં પધાર્યા. દરેક મુનિઓને આચાર્યશ્રીએ વજમુનિની વાચના વિષે પૂછ્યું ત્યારે મુનિઓએ પૂર્ણ સંતોષ વ્યકત કરીને કહ્યું - ગુરુદેવ ! વજમુનિ અમને સારી રીતે વાચના આપી રહ્યા છે. કૃપા કરીને આપ હંમેશને માટે વાયનાનું કાર્ય વજમુનિને સોંપી દો. આચાર્યશ્રી આ વાત સાંભળીને અત્યંત સંતુષ્ટ તેમજ પ્રસન્ન થઈને બોલ્યા - વજમુનિ પ્રત્યે તમો દરેકનો સ્નેહ અને સદ્ભાવ જોઈને મને ખૂબ જ સંતોષ થયો છે. મેં પણ તેની યોગ્યતા અને કુશલતાનો પરિચય કરાવવા માટે જ તેઓને આ કાર્ય સોંપીને વિહાર કર્યો હતો. વજમુનિનું આ સમગ્ર શ્રુતજ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ ન હતું પણ સાંભળતાં સાંભળતાં તેને આ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેથી આચાર્યશ્રીએ વજમુનિને સમસ્ત સૂત્રોની વાચના આપી.
પ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં એક વાર આચાર્યશ્રી પોતાના શિષ્ય સમુદાય સહિત દશપુર નગરમાં પધાર્યા. તે સમયે આચાર્ય ભદ્રગુપ્ત વૃદ્ધાવસ્થાના કારણે અવંતિ નગરીમાં સ્થિરવાસ કર્યો હતો. આચાર્યશ્રીને આ સમાચાર મળતાં પોતાના બે શિષ્યોની સાથે વજમુનિને તેમની સેવામાં મોકલ્યાં. વજમુનિએ આચાર્ય ભદ્રગુપ્તની,
૧૪૮
નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સેવા કરતાં કરતાં દશ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ આચાર્યશ્રી સિંહગિરિએ વજનિને આચાર્યપદ પ્રદાન કરી પોતે અનશનuત ધારણ કર્યું અને સ્વર્ગ સિધાવી ગયા.
વજસ્વામી ગ્રામાનુગ્રામ ધર્મોપદેશ વડે સ્વ-પરકલ્યાણમાં સંલગ્ન બની ગયા. સુંદર તેજસ્વીરૂપ, શાસ્ત્રીયજ્ઞાન, વિવિધ પ્રકારની લબ્ધિઓ અને આચાર્યશ્રીની અનેક વિશેષતાઓથી તેમનો પ્રભાવ દિગિાંતરોમાં ફેલાઈ ગયો. ચિરકાળ સુદી વજમુનિએ સંયમની સાધના કરી, અંતિમ સમયે અનશનવ્રત ધારણ કરીને આયુષ્ય કર્મ સમાપ્ત થતાં દેવલોકમાં પધાર્યા.
વજમુનિએ બચપણથી જ માતાના પ્રેમની ઉપેક્ષા કરી અને શ્રી સંઘનું બહુમાન કર્યું. એવી રીતે કરવાથી માતાનો મોહ પણ દૂર થયો, સ્વયં સંયમ ગ્રહણ કરી, માતાને પણ સંયમ અપાવી, શાસનની પ્રભાવનામાં સવિશેષ વૃદ્ધિ કરી.
આ છે વજમુનિની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ.
(૧૬) ચરણાહત :- કોઈ એક નગરમાં એક યુવાન રાજા રાજ્ય કરતા હતા. તેની અપરિપક્વ ઉંમરનો લાભ ઉઠાવવા માટે અમુક યુવકોએ આવીને રાજાને સલાહ આપી. “મહારાજ ! આપ તરુણ વયના છો તેથી આપના કાર્ય સંચાલનમાં પણ તરુણ વ્યકિતઓ જ હોવી જોઈએ. એવી વ્યક્તિઓ પોતાની શક્તિ તથા યોગ્યતાથી કુશળતાપૂર્વક રાજ્યનું કાર્ય કરશે. વૃદ્ધો અશક્ત હોવાના કારણે કોઈપણ કાર્ય સારી રીતે ન કરી શકે.”
રાજા અત્યંત બુદ્ધિમાન હતા. તેઓએ તે નવયુવકોની પરીક્ષા કરવા માટે કહ્યું - જો કોઈ મારા મસ્તક પર પોતાના પગ વડે પ્રહાર કરે તો તેને કેવા પ્રકારનો દંડ કરવો જોઈએ ? યુવકોએ કહ્યું - મહારાજ ! એવી વ્યક્તિના તલ તલ જેટલા ટુકડા કરીને મારી નાંખવી જોઈએ. રાજાએ એ જ પ્રશ્ન દરબારમાં અનુભવી વૃદ્ધોને પણ કર્યો. તેઓએ વિચારીને કહ્યું – મહારાજ ! જે વ્યક્તિ આપના મસ્તક પર ચરણોથી પ્રહાર કરે તેના પર પ્યાર કરવો જોઈએ અને અમૂલ્ય વસ્ત્રાભૂષણની તેને ભેટ આપવી જોઈએ. તે ઉત્તર સાંભળી સજા અત્યંત ખુશ થયા.
વૃદ્ધજનોનો ઉત્તર સાંભળીને નવયુવકો ગુસ્સે થયા. પરંતુ રાજાએ તેઓને શાંત કર્યા અને વૃદ્ધજનોને પોતાની વાત સ્પષ્ટ કરવા માટે કહ્યું. એટલે એક વૃદ્ધ દરબારીએ ઉત્તર દીધો – “મહારાજ ! આપના મસ્તક પર ચરણોનો પ્રહાર તો આપના શિશુ રાજકુમાર જ કરી શકે, તે સિવાય અન્ય કોણ એવું સાહસ કરી શકે ? અને શિશુ રાજકુમારને કેવી રીતે દંડ દેવાય ?”
દરબારીનો ઉત્તર સાંભલીને નવયુવકો પોતાની અજ્ઞાનતા પર લજ્જિત થઈને ત્યાંથી ચાલ્યા ગયા. રાજાએ પ્રસન્ન થઈને વયોવૃદ્ધ દરબારીઓનું સન્માન કર્યું અને તેઓને જ પોતાનાં કાર્યોમાં નિયુક્ત કર્યા. આ ઉદાહરણ વૃદ્ધજનો તથા સજાની પારિણામિકી બુદ્ધિનું છે.
(૧) આંબળા:- કોઈ એક ગામમાં એક કુમારે કોઈ એક વ્યકિતને મૂખ