SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૨૩ ૩૨ (૨) સુધમસ્વિામીના પટ્ટધર શિષ્ય શ્રી જંબુસ્વામી હતા. તેઓ રાજગૃહનગરના નિવાસી શેઠ ઋષભદત અને ધારિણી શેઠાણીના પુત્ર હતા. ૯૯ કરોડ સુવર્ણમુદ્રા તથા દેવાંગના જેવી આઠ સ્ત્રીઓનાં મોહ મમત્વને છોડીને તેમણે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી, ૧૨ વર્ષ ગુરુની સેવામાં રહીને શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કર્યું, ૮ વર્ષ આચાર્યપણે વિચર્યા, ૪૪ વર્ષ કેવળી પર્યાયમાં વિચર્યા. જંબૂસ્વામી ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણિ પછી ૬૪ વર્ષે મોક્ષ પધાર્યા. જંબૂસ્વામીનું આયુષ્ય ૮૦ વર્ષનું હતું. (3) જંબુસ્વામીના પટ્ટધર શિષ્ય પ્રભવવામી હતા. તે ૫oo ચોરના ઉપરી હતા. એક રાત્રિએ તેઓ પોતાના ૫૦૦ સાથીઓને લઈને જંબૂકુમારની સંપત્તિ લૂંટવા માટે ગયા. એ સમયે જંબુકમારની સંપત્તિને તેમના પ્રભાવે તેઓ લઈ ન શક્યા. જંબૂકુમારે વડે તેઓ પ્રતિબોધિત થયા. જે સ્વયં વૈરાગ્યના રંગથી અનુરંજિત હોય છે, તે બીજાને પોતાના જેવા બનાવી શકે છે. પ્રભવ સ્વામી અને તેના સાથીઓ જંબૂવામીના ઉપદેશથી જંબૂસ્વામીની સાથે જ દીક્ષિત થયા. પ્રભવસ્વામી 30 વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૪૫ વર્ષ દીક્ષિત જીવનમાં રહા. ૧૧ વર્ષ આચાર્યપણે વિચારીને ભગવાન મહાવીરના નિર્વાણથી ૭૫ વર્ષ પછી ૮૬ વર્ષની ઉંમરે સ્વર્ગે પધાર્યા. (૪) શ્રી પ્રભવસ્વામીના પટ્ટધર શિષ્ય શ્રી શય્યભવસ્વામી હતા. તેઓ ૨૮ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૧૧ વર્ષ સામાન્ય સાધુ-પર્યાયમાં રહ્યા, ૨૩ વર્ષ આચાર્યપણે રહ્યા, બાસઠ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ભગવાન મહાવીરના નિવણિ પછી ૯૮ વર્ષ પછી સ્વર્ગે પધાર્યા. • સૂત્ર-૨૪ : તગિક ગૌમીય યશોભદ્રને, માઢર ગૌમીય સંભૂતિવિજયને, પ્રાચીન ગોસીય ભદ્રબાહુનામીને અને ગૌતમગોમીય સ્થૂલિભદ્રસ્વામીને હું વંદન કરું છું. - વિવેચન-૨૪ : (૧) યશોભદ્ર સ્વામી આચાર્ય શ્રી શય્યભવ સ્વામીના પટ્ટધર શિષ્ય હતા. તેઓ ૨૨ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૧૪ વર્ષ સંયમ પર્યાયમાં રહ્યા, ૫૦ વર્ષ આચાર્ય પદે રહ્યા. આ રીતે ૮૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગવાસી થયા. વીર નિવણ પછી ૧૪૮ વર્ષે તેઓ સ્વર્ગે સિધાવ્યા. (૨) સંભૂતિવિજય અને ભદ્રબાહુ બન્ને યશોભદ્ર સ્વામીના શિષ્ય હતા. સંભૂતિવિજય ૪ર વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૪૦ વર્ષ શ્રત, સંયમ અને તપની આરાધનામાં વ્યતીત કર્યા, ૮ વર્ષ યુગપ્રવર્તક આચાર્યપણે રહ્યાં. ૯૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વીર નિર્વાણ પછી ૧૫૬ વર્ષે તેઓ સ્વર્ગવાસી થયા. (3) સંભૂતિ વિજયના ગુરુભાઈ ભદ્રબાહુ ૪૫ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૧૭ વર્ષ સંયમ પયયિનું પાલન કર્યું ૧૪ વર્ષ યુગપ્રધાન આચાર્યપણે વિચર્યા. તેઓશ્રીએ શ્રુતજ્ઞાનનો અત્યંત પ્રચાર કર્યો. તેઓનું આયુષ્ય ૩૬ વર્ષનું હતું. વીર નિર્વાણ પછી ૧૩૦ વર્ષ બાદ તેઓશ્રી દેવલોક પધાર્યા. નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૪) સ્થૂલભદ્રજી યુગપઘાન આચાર્ય હતા. તેઓશ્રી 10 વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા, ૨૪ વર્ષ સાધનામાં રહ્યા, ૪૫ વર્ષ આચાર્યપણે વિચર્યા. તેઓશ્રીએ પૂર્વોનું જ્ઞાન આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી પાસેથી પ્રાપ્ત કર્યું. તેઓશ્રી ૯૯ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને વીર સંવત ૨૧૫ વર્ષ બાદ સ્વર્ગવાસી બન્યા. તેઓશ્રીને યુગના કામવિજેતા કહેવાતા હતા. આચાર્ય પ્રભવ, શય્યભવ, યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને સ્થૂલભદ્રસ્વામી, એ છ આચાર્ય ૧૪ પૂર્વોના જ્ઞાતા હતા. • સૂઝ-૨૫ - એલાપત્ય ગોત્રીય આચાર્ય મહાગિરિ અને આચાર્ય સુહતી, ત્યાર પછી કૌશિક ગોત્રીય બહુલ અને બહિસ્સહને હું વંદન કરું છું.. • વિવેચન-૫ - આ ગાળામાં પહેલાં કામવિજેતા સ્યુલીભદ્રના પ્રમુખ બે શિષ્ય મહાગિરિ અને સહસ્તીને વંદન કરેલ છે. ત્યાર પછી મહાગિરિના બે શિષ્યોને વંદન કરેલ છે, જે બન્ને સગા ભાઈ હતા, બંને બહુશ્રુત અનુયોગધર થયા. • સૂત્ર-૨૬ - હારિતગોત્રી આચાર્ય સ્વાતિ અને શ્યામાયને હું વંદન કરું છું. ત્યાર પછી કૌશિક ગોઝીય શાંડિલ્ય અને આર્ય અતધરને હું વંદન કરું છું. • વિવેચન-૨૬ - સ્વાતિ, શ્યામ, શાંડિલ્ય અને જીતધર એમ જુદા જુદા કૃતધરોને વંદન કરેલ છે. આમ આ ગાળામાં ચાર અનુયોગધરોને વંદન કરવામાં આવેલ છે. નીત શબ્દનો અર્થ છે શાસ્ત્રીય મર્યાદા, જેને કલા પણ કહેવાય. એ મર્યાદાને ધારણ કરનારને આર્ય જીતઘર કહેવાય છે. શાંડિલ આચાર્યના આર્ય જીdધર શિષ્ય હતા અને તે પણ યુગ પ્રધાન આચાર્ય હતા. • સૂત્ર-૨૭ : પૂત, દક્ષિણ અને પશ્ચિમ ત્રણે દિશાઓમાં રહેલ લવણ સમુદ્રના ત્રણ ભાગોમાં ખ્યાતિ પ્રાપ્ત તેથી વિવિધ દ્વીપ અને સમુદ્રોમાં પ્રધાનતા પ્રાપ્ત, ક્યારે ય પણ સુoધ ન થતાં સમુદ્રની સમાન ગંભીર આર્ય સમુદ્રને હું વંદન કરું છું. • વિવેચન-૨૭ : આ ગાથામાં આચાર્ય શાંડિલ્યના ઉત્તરવર્તી આર્યસમુદ્ર નામા આચાર્યને વંદન કરેલ છે અને તેની સાથે તે આચાર્યની મહત્તા અને વિદ્વતાનો પણ પશ્ચિય આપેલ છે. પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશાના લવણ સમુદ્રને માથામાં ત્રિસમુદ્ર કહેવાયેલ છે. આર્યસમુદ્રની કીર્તિ લવણ સમુદ્ર પર્યત વ્યાપ્ત હતી. કેમ કે આ ભરતક્ષેત્રની સીમાં ત્રણ દિશાઓના સમદ્ર પર્યત છે અને ઉત્તર દિશામાં વૈતાઢય અને હિમવાન પર્વત સુધી છે. પોતાની શુભ કીર્તિ દ્વારા તે આચાર્ય સંપૂર્ણ ભરતક્ષેત્રમાં પ્રસિદ્ધ હતા નામ પ્રમાણે તેની ગંભીરતા સમુદ્ર જેવી હતી.
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy