________________
૨
નિીચ્છેદસૂત્ર - સૂત્રાનુવાદ
સહિત આલોચના કરતાં પંચમાસી, સાત્વિક પંચમાસી કે છમાસી પ્રાયશ્ચિત્ત આવે, તેનાથી આગળ માયાસહિત કે માયારહિત આલોચના કરતાં તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩૮૪ થી ૧૩૮૭] જે સાધુ ચાતુમસિક, સાધિક ચાતુર્માસિક, પંચમાસિક કે સાધિક પંચમાસિક એ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની
[૧૩૮૪] એક્વાર પ્રતિસેવના કરી આલોચના રે. [૧૩૮૫] અનેક્વાર પ્રતિસેવના કરી આયના રે. [૧૩૮૬] તે આલોચના માયારહિત કરે. [૧૩૮૭] તે આલોચના માયા સહિત રે.
ઉક્ત યારે સૂત્રોમાં [ચાર સંજોગોમાં] શું કરે ? તેની વિધિ :
૦ – ૦ પરિહારસ્થાન પાપનું પ્રાયશ્ચિત્ત તપ કરી રહેલા સાધુની સહાયાદિ માટે પરિહારિક ને અનુકૂળવર્તી કોઈ સાધુ નિયત કરાય તેને આ પરિહાર તપસીની વૈયાવચ્ચ કરવાને માટે સ્થાપના કર્યાં પછી પણ કોઈ પાપ સ્થાનનું સેવન કરે અને પછી કહે કે મેં અમુક પાપનું સેવન કર્યું છે ત્યારે સઘળું પૂર્વે સેવેલ પ્રાયશ્ચિત્ત કરી સેવે, [અહીં પાપ સ્થાનને પૂર્વ પ્રશ્ચાત સેવવાના વિષયમાં ચતુર્ભાગી છે, તે આ રીતે (૧) પહેલાં સેવેલા પાપની પહેલા આલોચના કરી હોય (૨) પહેલાં સેવેલા પાપની પછી આલોચના કરી હોય (3) પછી સેવેલા પાપની પહેલા આલોયના કરી હોય (૪) પછી સેવેલા પાપની પછી આલોચના કરી હોય.
[પાપ આલોચના ક્રમ કહ્યા પછી પરિહાર સેવન કરનારના ભાવને આશ્રીને ચાતુર્ભૂગી જણાવે છે.] (૧) સંક્લ્પ કાળે અને આલોચના સમયે માયારહિતપણુ (૨) સંકલ્પ કાળે માયા રહિત પણ આલોચના સમયે માયા સહિત (3) સંકલ્પકાળે માયા સહિત પણ આલોચના કાળે માયા રહિત (૪) સંલ્પક્કો અને આલોચના કાળે બંને સમયમાં માયા સહિત હોય.
આમાંથી કોઈપણ પ્રશ્નરનાં ભંગથી આલોચના કરતાં તેના બધાંજ સ્વકૃત વેળા પણ પુનઃ કોઈ પ્રકારની પ્રતિસેવના કરે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરી દેવું જોઈએ અર્થાત્ તે જ ક્રમમાં ફરી પ્રાયશ્ચિત્ત તપ આદરે.
[૧૩૮૮] છ માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જે પ્રાયશ્ચિત્ત વહન કાલના આરંભમાં મધ્યમાં કે અંતમાં પ્રયોજન હેતુ કે કારણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને અન્યનાધિક ૨૦ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેના પછી ફરી દોષનું સેવન કરે તો બે માસ અને ૨૦ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩૮૯] પાંચમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્સ્ટ્રાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહવાળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કારણે બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને અન્યનાધિક ૨૦ રાત્રિની આરોપણનું પ્રાયશ્ચિત્ત આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org