________________
૧૪
(૧) વ્યાકરણ સાહિત્ય -
૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ ‘લઘુપ્રક્રિયા’' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, વૃષ્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
-
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
१
૦ કૃદન્તમાલા ઃ
આ લધુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે.
3
୪
(૨) વ્યાખ્યાન સાહિત્ય -
૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણં'' નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લો-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
—
૧
શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
Jain Education International
-
(૩) તત્ત્વાભ્યાસ સાહિત્ય -
0
તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧
૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દર્શ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
For Private & Personal Use Only
૧
૧૦
www.jainelibrary.org