________________
૨૦૬
ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
૧૭-ચંદ્રપ્રજ્ઞતિઉપાંગસૂત્ર-૬
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન પીસ્તાળીશ આગમોમાં સત્તરમું આગમ અને ઉપાંગ સૂત્રોમાં - છઠા ઉપાંગરૂપે અમે સ્વીકારેલ આ ચંદ્રપ્રજ્ઞપ્તિ આગમ જેને પ્રાકૃતમાં ચંપન્નત્તિ કહે છે.
અહીં વાસ્તવમાં આખા આગમનો અનુવાદ નથી, પરંતુ –ઃ માત્ર સૂચનારૂપે :કેટલીક નોંધ અમે કરી રહ્યા છીએ. તે આ પ્રમાણે છે –
(૧) વર્તમાનકાળે સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ બંને આગમો એકમેકરૂપ થઈ ગયા છે. પ્રાભૂતાદિ સંખ્યા સમાન જ છે.
(૨) અમોએ લાદo ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાંથી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર-પૂ. મલયગિરિજી કૃત ટીકાની હસ્તપ્રત મેળવીને તેની સંપૂર્ણ તુલના કરેલ છે. જે હસ્તપ્રતની સાઈઝ ૨૨ X ૯ સે.મિ. છે. મુનિમાણેકની પ્રેરણાથી સંવત-૧૮૫૬ કારતક વદ-૭-ના આ પ્રત પૂર્ણ થઈ છે. જેના-૨૬૨-પૃષ્ઠો છે.
(૩) સૂર્યપ્રજ્ઞપ્તિ કરતાં ચંદ્રપ્રજ્ઞપ્તિમાં અમે આટલો તફાવત જોયો છે.
– આરંભે ચાર ગાથા અહીં વધુ છે, આરંભના સૂત્રક્રમમાં ભેદ છે.
– વીર વરસ્ય નામક પ્રશસ્તિગાથા અહીં નથી. – ક્વચિત્ પાઠાંતર જોવા મળે છે, તે સામાન્ય છે.
– સૂર્યપ્રાપ્તિમાં છેલ્લે જ્યોતિષાન પ્રાપ્તિ નો અર્થ સૂર્ય પ્રજ્ઞપ્તિ કરેલ છે, તેને સ્થાને આ પ્રતમાં મલયગિરિજી મ. “ચંદ્રપ્રજ્ઞપ્તિ'' એવો અર્થ કરે છે.
(૪) આ વિષયમાં અમારું કામસુત્તા મૂળ અને મામ સુત્તાધા-સટીí બંને પ્રકાશનો ખાસ જોઈ જવા.