SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦. મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જ અધ્યયન-૪ - ફ્રી સંસર્ગ - ૪ - - ૪ - - - - ૪ - પિd] ભગવન! તે સુમતિએ કુશીલ સંસર્ગ કેવી રીતે ક્ય હતો કે જેણે આવા ભયંક્ર દુઃખ પરિણામી ભવસ્થિતિ અને કાર્યસ્થિતિવાળા અપાર ભવસમુદ્રમાં દુઃખથી સંત થઈને ભ્રમણ ક્રશે? સર્વોક્ત અહિંસા લક્ષણવાળા ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મને અને સમયqને નહીં પામે? ગૌતમ ! તે આ છે– ભરત ક્ષેત્રમાં મગધ દેશમાં ક્રશ સ્થળ નગર હતું. તેમાં પુણ્ય-પાપ સમજનાર, જીવાજીવાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જેણે સારી રીતે જાણેલ છે, એવા મોટી ઋધ્ધિવાળા સુમતિ અને નાગિલ નામે બે ભાઈઓ શ્રાવધર્મ પાળતા હતા. કોઈ સમયે અંતરાય કર્મના ઉદયથી તેમનો વૈભવ વિલય પામ્યો. પણ સત્વ અને પરાક્રમ તો પહેલાંના જ હતાં. અચીલિત સત્વ પરાક્રમી, અત્યંત પરલોભી, ડ-સ્પટજૂઠથી વિરમેલા, ભગવંત ઉપદિષ્ટ ચારે પ્રારે દાનાદિ ધર્મ સેવતા હતા. કોઈની ખટપટ નિંદા ન ક્રતા, નમ્રતા સેવતા, સરળ સ્વાભાવી, ગુણરૂપ રત્નોના નિવાસસ્થાનરુપ, ક્ષમાના દરિયા, સજ્જનની મૈત્રી સેવનાર, ઘણાં દિવસો સુધી જેના ગુણો વર્ણવી શકાય, તેવા ગુણભંડારસમ શ્રાવકો હતા. તેમના અશુભકર્મના ઉદયે તેમની સંપત્તિ અષ્ટાહિક મહોત્સવાદિ ઇષ્ટદેવતાના ઈચ્છિત પૂજા સત્કર, સાધર્મિક સન્માન, બંધુ વર્ગના વ્યવહારાદિ માટે અસમર્થ થઈ. દિપપ થી ૬૬૦] કોઈ સમયે ઘેર પરોણા આવે તેને સારી શકતા નથી. સ્નેહી વર્ગોના મનોરથો પૂરી શકતા નથી, મિત્ર સ્વજન કુટુંબી બાંધવા સ્ત્રી પત્રો ભત્રીજાઓ સંબંઘ ઘટાડી દૂર ખસી ગયા ત્યારે વિષાદ પામેલા તે શ્રાવોએ ચિંતવ્યું કે – પુરુષ પાસે જો વૈભવ હોય છે તો તે લોકે તેની આજ્ઞા સ્વીકારે છે. બાકી જળરહિત મેઘને વીજળી પણ દૂરથી ત્યાગે છે. એમ વિચારી તેઓ પરસ્પર કહેવા લાગ્યા. પહેલાં સુમતિએ નાગીલ ભાઈને કહ્યું કે મન અને ધનરહિત ભાગ્યહીન પુરુષે એવા દેશમાં ચાલ્યા જેવું કે જ્યાં પોતાના સંબંધી કે આવાસો ન દેખાય. બીજાએ પણ કહ્યું કે જેની પાસે ધન હોય તેની પાસે લોકો આવે છે. જેની પાસે અર્થ હોય તેને ઘણાં બંધુઓ હોય છે. દિ૬૧] આ પ્રમાણે તેઓ પરસ્પર એમતવાળા થયા અને તેમણે દેશયાગ રવાનો નિર્ણય ર્યો કે આપણે કોઈ અજાણ્યા દેશમાં ચાલ્યા જઈએ. ત્યાં ગયા છતાં પણ લાંબાકાળથી ચિંતવેલા મનોરથો પૂર્ણ ન થાય તો અને દૈવ અનુકૂળ થાય તો પ્રવજ્યાં અંગીકાર કરીએ. પછી કુશસ્થળ નગર છોડી વિદેશગમન નક્કી કર્યું. દિ] દેશાંતર પ્રયાણ જતાં તે બંનેએ માર્ગમાં પાંચ સાધુ અને છઠ્ઠો શ્રાવક જોયા. ત્યારે નાગિલે સુમતિને કહ્યું કે હે સુમતિ ! જો જો આ સાધનો સાથે કેવો છે, તો આપણે તેમની સાથે જોઈએ. તેણે કહ્યું, ભલે તમે થાઓ. પછી તેના સાર્થમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy