SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આત્મામાં દઢપણે ક્ષેત્રીભૂત હોય તો પણ પલકારામાં, ક્ષણ કે મુહૂર્તમાં જન્મ પૂરો થતાં સુધીમાં નક્કી પાપ શલ્યનો અંતક્ત થાય છે. [૧૮૪ થી ૧૮૫] તે ખરેખર સુભટ પુરુ, તપસ્વી, પંડિત, ક્ષમાવાન, ઇંદ્રિય વશક્ત અને સંતોષી છે. તેનું જીવન સફળ છે. તે શૂરવીર છે, પ્રશસ્ય છે. ક્ષણે ક્ષણે દર્શન યોગ્ય છે, જે શુદ્ધ આલોચનાર્થે તૈયાર થઈ. સ્વ અપરાધોને ગુરુ પાસે પ્રગટ ક્રી પોતાનું દુશ્ચરિત્ર સ્પષ્ટતયા જણાવે છે. | [૧૮૬ થી ૧૮૯] ગૌતમ! જગતમાં એવા કેટલાંક જીવો હોય છે. જેઓ અર્ધશલ્યનો ઉદ્ધાર રે, માયા-લજ્જા-ભય-મોહના કરણે મૃષાવાદથી અર્ધ શલ્ય મનમાં ધારી રાખે... હીન સર્વી તેમને તેનાથી મોટું દુઃખ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન દોષથી ચિત્ત શલ્ય ન ઉદરવાથી ભાવિમાં નક્કી દુઃખી થઇશ તેવો વિચાર થતો નથી. જેમ શરીરમાં શલ્ય કાંટો ઘુસી ગયા પછી તેને બહાર ન કાઢે તો તે શલ્ય એક જન્મમાં, એક સ્થાને પીડા આપે કે તે માંસરૂપ બની જા. ૫ જો પાપ શલ્ય આત્મામાં ઘુસી જાય તો અસંખ્ય ધારવાળું વજ પર્વતને ભેદે તેમ આ શલ્ય અસંખ્યતા ભવ સુધી સવગને ભેદનારું થાય. [૧૦ થી ૧ર્થ ગૌતમ ! એવા પણ જીવો હોય છે કે જે લાખો ભવો સુધી સ્વાધ્યાય, ધ્યાન, યોગ, ઘોર તપ-સંયમ થકી શલ્યોદ્ધાર ક્રીને દુઃખ અને ફ્લેશથી મુક્ત થઈ ફરી પણ બે-ત્રણ ગણાં પ્રમાદથી શલ્યવાળા બને છે. ફરી ઘણાં જન્માંતરે તપથી દગ્ધ ર્ક્સવાળા શલ્યોદ્ધારાર્થે સમર્થ થાય છે. [૧૩ થી ૧૯૬] એ પ્રમાણે ફરી પણ શલ્યોદ્ધાર સામગ્રી કોઈ પણ પ્રશ્નરે મેળવીને, જે કોઈ પ્રમાદવશ થાય છે, તે ભવભવના કલ્યાણ પ્રાસના સર્વ સાધનો દરેક પ્રકારે હારી જાય છે. પ્રમાદ રૂપી ચોર લ્યાણની સમૃદ્ધિ લૂંટી જાય છે. એવા કોઇક જીવો હોય છે, જે પ્રમાદાધીન થઈ. ઘોર તપ સેવતા હોવા છતાં સર્વથા સ્વ શલ્ય છૂપાવે છે. પણ તેઓ જામતા નથી કે આ શલ્ય કોનાથી છૂપાવ્યું? કેમકે પાંચ લોક્યાલો, સ્વ આત્મા, પાંચ ઇંદ્રિયોથી કંઈ ગમ નથી. [૧] ગૌતમ ! ચાર ગતિ રૂપ સંસારમાં મૃગજળ સમાન સંસાર સુખથી ઠગાયેલો, ભાવદો રૂપ શલ્યથી છેતરાય છે અને ચારે ગતિમાં ભમે છે. - ૧૯૮ થી ૨૦૦ આટલું વિસ્તારથી ધેલું સમજી દેઢ નિશ્ચિય અને હૃદયથી ધીરતા કરવી. મહા ઉત્તમ સત્વ રૂપી ભાલાથી માયા રાક્ષસીને ભેદી નાંખવી જોઈએ. અનેક સરળ ભાવોથી અનેક પ્રકારે માયાને નિર્મથન ક્રીને વિનયાદિ અંકુશથી ફરી માન ગજેન્દ્રને વશ રે. સરળતારૂપી સાંબેલા વડે સૅક્કો વિષયોનો ચૂરો ક્રી, ક્રોધલોભાદિને દૂરથી નિંદે. [૨૦૧ થી ૨૦૫] ન જિતેલ ક્રોધ અને માન, વૃદ્ધિ પામતી માયા અને લોભ, એ ચારે ક્યાયો અતિ દુર્ધર એવા શલ્યોને આત્મામાં પ્રવેશે ત્યારે ઉપશમથી ક્રોધને હણે, નમ્રતાથી માનને જીતે, સરળતાથી માયાને અને સંતોષથી લોભને જિતવો. આ પ્રમાણે કષાયો જીતીને જેઓએ સાત ભય સ્થાનો અને આઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy