SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આપી હોય, જેમને પણ કાર્ય પ્રસંગે કે કાર્ય સિવાય કઠોર, આક્ર, નિષ્ફર વચનો સંભળાવેલ હોય, તેણે પણ સામે કંઇક પ્રત્યુત્તર આપેલો હોય, તે ક્યાય જીવતો હોય કે મૃત્યુ પામેલો હોય. તેને સર્વ ભાવથી ખમાવો, જો જીવતો હોય તો ત્યાં જઈને વિનયથી ખમાવે, મૃત્યુ પામેલો હોય તો સાધુની સાક્ષીએ ખમાવે. ૬િ૩ થી ૬૫] એ પ્રમાણે ત્રણ ભુવનને પણ ભાવથી ક્ષામણા કરીને મન, વચન, કાયાથી શુદ્ધ થયેલો તે નિશ્ચયપૂર્વક આમ ઘોષણા રે, “હું સર્વે જીવોને ખમાવું છું. સર્વે જીવો મને ક્ષમા આપો. સર્વ જીવો સાથે મારે મૈત્રીભાવ છે. કોઈ પણની સાથે વૈરભાવ નથી. ભવોભવમાં દરેક જીવના સંબંધમાં આવેલો હું મન-વચન-કાયાથી સર્વ ભાવે, સર્વ પ્રકારે, સર્વેને ખમાવું છું. ]િ આ પ્રમાણે ક્ષમાપના ઘોષણા ક્રીને ચૈત્યવંદના છે. સાધુ સાક્ષીએ ગુરુની પણ વિધિપૂર્વક ક્ષમાપના રે. દિક, ૬૮] સમ્યક પ્રકારે ગુરુજીને ખમાવીને સ્વ શક્તિ અનુસાર જ્ઞાનનો મહિમા રે. ફરી પણ વિધિ સહિત વંદન રે. પરમાર્થ, તત્વભૂત અને સારરૂપ આ શલ્યોદ્ધરણ કઇ રીતે કરવું, તે ગુરુમુખેથી સાંભળે, સાંભળીને તે પ્રમાણે આલોચના રે કે જેથી આલોચના કતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. દિ૯, ૭૦] આવા સુંદર ભાવમાં રહેલ અને નિઃશલ્ય આલોચના ક્રેલ હોય, જેથી આલોચના ક્રતાં-ક્યતાં જ દેવળજ્ઞાન ઉત્પન્ન થાય. હે ગૌતમ ! એવા કેટલાંક મહા સત્વશાળી મહાપુરુષોના નામો જણાવીએ છીએ કે જેઓએ ભાવથી આલોચના ક્રતા ક્રતા કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. [૧ થી ૫] હા હા ! મેં દુષ્ટ કર્ય ક્યું, હા હા ! મેં દુષ્ટ વિચાર્યું, હા હા ! મેં ખોટી અનુમોદના કરી. એ રીતે સંવેગથી અને ભાવથી આલોચના ક્રનાર કેવળજ્ઞાન મેળવે. ઇર્ષા સમિતિ પૂર્વક પગ મૂકતાં કેવલી થાય, મુહપત્તિ પ્રતિલેખનથી કેવલી થાય, આલોચના ક્રતા કેવલી થાય. “હા હા હું પાપી છું' એમ વિચારતા ક્વલી થાય. હા-હા મેં ઉન્મત્ત બની ઉન્માર્ગ પ્રરૂપણા ક્રી' એમ પશ્ચાતાપ ક્રતા કેવલી થાય. અણગારપણામાં કેવલી થાય. “સાવધ યોગ સેવીશ નહીં' એ રીતે અખંડિત શીલ પાલનથી કેવલી થાય, સર્વ પ્રકારે શીલનું રક્ષણ જતાં ક્રોડ પ્રશ્નરે પ્રાયશ્ચિત્ત જતાં પણ કેવલી થાય. ૬િ થી ૮) શરીરની મલિનતા સાફ સૂફ ન Wવા રૂપ નિપ્રતિર્મ ક્રતા, ન ખંજવાળતા, આંખનું મટકું ન મારતાં કેવલી થાય. બે પ્રહર સુધી એક પડખે રહીને મૌનવ્રત ધારણ કરીને પણ કેવલી થાય. “સાધુપણું પાળવા હું સમર્થ નથી તેથી અનશનમાં રહું' તેમ કતાં, નવક્રર ગણતા, સંપૂર્ણ સામગ્રી પામવા છતાં કેવલી કેમ ન થયો ? એ ભાવનાથી પણ કેવલી થાય. [s, o] જ્યાં સુધી દઢપ્રહારી વત લોકો મને પાપશલ્યી ધે, ત્યાં સુધી કાયોત્સર્ગ પારીશ નહીં, એ રીતે કેવલી થાય. ચલાયમાન કાષ્ઠ ઉપર પગ આવતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy