________________
૧૯૮
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જ્યારે આ પ્રમાણે હ્યું ત્યારે સુજ્ઞશ્રીને તે મહિયારી સાથે ગઈ.
પરલોક અનુષ્ઠાન કરવામાં તત્પર બનેલાં અને શુભ ધ્યાનમાં પરાવાયેલા માનસવાળા તે ગોવિંદ બ્રાહ્મણ વચ્ચે એ આ સુશ્રીને લેશમાત્ર યાદ પણ ફ્રી નહીં.
ત્યાર પછી જે પ્રમાણે તે મહીયારીએ ક્યું હતું તે પ્રમાણે ઘી અને ખાંડથી ભરપુર એવી ખીર વગેરેનું ભોજન આપતી હતી.
હવે કોઈ પ્રકારે કાળક્રમે બાર વર્ષનો ભયંક્ર દુષ્કળ સમય પૂર્ણ થયો. સમગ્ર દેશ ઋદ્ધિ- સમૃદ્ધિથી સ્થિર થયો.
ત્યારપછી કોઈ સમયે અતિ કિંમતી શ્રેષ્ઠ સૂર્યવંત, ચંદ્રવંત વગેરે ઉત્તમ જાતિના વીશ મણિરત્નો ખરીદ કરી સુજ્ઞશીવ પોતાના દેશમાં પાછો જવા માટે નીકળે છે.
લાંબી મુસાફરી ક્રવાથી ખેદ પામેલ દેહવાળો જે માર્ગેથી જતો હતો તે માર્ગમાં જ ભવિતવ્યતાના યોગે પેલી મહીયારીનું ગોકુળ આવતાં જેનું નામ લેવામાં પણ પાપ છે એવો
તે પાપમતિવાળો સુજ્ઞશીવ ક્ષક્તાલીય ન્યાયે આવી ગયો.
સમગ્ર ત્રણ ભુવનમાં જે નારીઓ છે તેના રૂપ, લાવણ્ય અને કાંતિથી ચડિયાતી રૂપ-દ્ધતિ અને લાવણ્યવાળી સુજ્ઞશ્રીને જોઈ.
સુજ્ઞશ્રીને જોતાં જ ઇન્દ્રિયોની ચપળતાથી અનંત દુખદાયક પિાક ફળની ઉપમાવાળા વિષયોની શક્યતા હોવાથી..
જેણે સમગ્ર ત્રણ ભવનને જીતેલ છે, તેવા કામદેવના વિષયમાં આવેલાં મહા પાપ Á નાર સુજ્ઞશીવે તે સુશ્રીને કહ્યું
હે બાલિકા જો આ તારા માતા-પિતા બરાબર રજા આપે તો હું તારી સાથે લગ્ન જવા તૈયાર છું.
બીજું તારા બંધુવર્ગને પણ દારિદ્રરહિત છું.
વળી તારા માટે પુરેપુરા સો-પલ એિક માપ છે.] પ્રમાણ એવા સુવર્ણના અલંકરો ઘડાવું.
જલ્દી આ વાત તારા માતા-પિતાને જણાવ.
ત્યારે હર્ષ અને સંતોષ પામેલી તે સુજ્ઞશ્રીએ તે મહીયારીને આ સર્વ વૃત્તાંતનું નિવેદન ક્યું.
એટલે મહીયારી તુરંત સુજ્ઞાશિવ પાસે આવીને ધેવા લાગી કે - અરે ! તું હેતો હતો તેમ મારી પુત્રી માટે તું સો-પણ પ્રમાણ સુવર્ણ નાણું બતાવ. ત્યારે તેણે શ્રેષ્ઠ મણીઓ બતાવ્યા.
ત્યારે મહીયારીએ કહ્યું કે સો સોનૈયા આપ. આ બાળક્ત રમવા યોગ્ય પાંચિકનું મારે પ્રયોજન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org