SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ ખરેખર ! આટલો કાળ સુધી મારો આત્મા ઠગાયો. આ મહાન્ આત્મા પત્ની થવાના બહાને મારા ઘરમાં ઉત્પન્ન થયો. પરંતુ નિશ્ચયથી વિચાર કરીએ તો સર્વજ્ઞ આચાર્યની જેમ આ સંશયરૂપ અંધકારને દૂર કરનાર, લોક્ને પ્રકાશિત, મોટા માર્ગને સમ્યક્ પ્રકારે બનાવવા માટે જ પોતે પ્રગટ થયેલ છે. ૧૮૦ અરે ! મહા અતિશયવાળા અર્થને સાધી આપનાર મારી પ્રિયાના વયનો છે. અરે યજ્ઞદત્ત !, વિષ્ણુદત્ત !, યજ્ઞદેવ !, વિશ્વામિત્ર !, સોમ !, આદિત્યાદિ મારા પુત્રો ! દેવો અને અસુરો સહિત આખા જગતને આતમારી માતા આદર કરવા અને વંદન રવા યોગ્ય છે. અરે ! પુરંદર વગેરે છાત્રો ! આ ઉપાધ્યાયની ભાર્યા એ ત્રણ જગતને આનંદ આપનાર, સમગ્ર પાપક્ર્મને બાળીને ભસ્મ કરવાના સ્વભાવવાળી વાણી ી, તેને સૌ વિચારો. ગુરુની આરાધના કરવામાં અપૂર્વ સ્વભાવવાળા તમારા ઉપર આજે ગુરુ પ્રસન્ન થયા છે. શ્રેષ્ઠ આત્મબળવાળા યજ્ઞ કરવા-કરાવવા તથા અધ્યયન કરવું-કરાવવું ષટ્ ર્મ કરવાના અનુરાગથી તમારા ઉપર ગુરુ પ્રસન્ન થયા છે. તો હવે તમે પાંચે ઈંદ્રિયોને જલ્દી જીતો. પાપી એવા ક્રોધાદિ ક્યાયોનો ત્યાગ કરો. વિષ્ઠા, અશુચિ, મળમૂત્ર, ઓર વગેરેના દવયુક્ત ગર્ભવાસથી માંડીને પ્રસૂતિ, જન્મ, મરણ આદિ અવસ્થાઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે સર્વે તમે હવે જાણો. - - આવા અનેક વૈરાગ્ય ઉત્પન્ન કરાવનાર સુભાષિતો વ્હેલા એવા ચૌદ વિધાના પારગામી ગોવિંદ બ્રાહ્મણને અતિશય જન્મ, જરા, મરણથી ભય પામેલા ઘણાં સત્પુરુષો ધર્મ વિશેના વિચારો વા લાગ્યા વિચાર પ્રવૃત્ત થયા. ત્યાં કેટલાંક એમ બોલવા લાગ્યા કે આ શ્રેષ્ઠ ધર્મ છે. પ્રવર ધર્મ છે- એમ વળી બીજાઓ કહેવા લાગ્યા. હે ગૌતમ ! યાવત્ દરેક લોકોએ આ બ્રાહ્મણી જાતિ સ્મરણ જ્ઞાનવાળી છે, એમ પ્રમાણભૂત માની. ત્યાર પછી બ્રાહ્મણીએ અહિંસા લક્ષણવાળા નિઃસંદેહ ક્ષમા આદિ દશ પ્રકારના શ્રમણ ધર્મને હેતુ-દ્રષ્ટાંત કહેવા પૂર્વક, તેઓને પરમ શ્રદ્ધા ઉત્પન્ન થાય તેવી રીતે સમજાવો. ત્યાર પછી તે બ્રાહ્મણીને આ સર્વજ્ઞ છે એમ માનીને હસ્ત ક્મળની સુંદર અંજલી રચીને આદરપૂર્વક સારી રીતે પ્રણામ કરીને હે ગૌતમ ! તે બ્રાહ્મણી સાથે— દીનતા રહિત માનસવાળા અનેક નર અને નારી વર્ગે અલ્પ બળ સુખ આપનાર એવા કુટુંબ, સ્વજન, મિત્ર, બંધુ, પરિવાર, ઘર, વૈભવ આદિનો ત્યાગ - wind Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy