SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ભારને હું ધારણ કરીશ. જે રીતે સર્વજ્ઞ ભગવંતો, કેવલી તીર્થંકરો, ચારિત્રવાન આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ, વળી જે રીતે પાંચે લોક્પાલો, જે જીવો ધર્મના જ્ઞાતા છે, તેમની સમક્ષ હું મારું તલમાત્ર પાપ પણ મારું પાપ છુપાવીશ નહીં, તેવી રીતે મારા સર્વ દોષની આલોચના કરીશ. તેમાં જે કંઈપણ પર્વત જેટલું ભારે પણ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય તો પણ હું તેનું સેવન કરીશ કે જે રીતે તત્કાલ પાપો પીગળી જાય અને મારી શુદ્ધિ થાય. [૧૪૦૮ થી ૧૪૧૧] પ્રાયશ્ચિત્ત ર્ષ્યા વિનાનો આત્મા ભવાંતરમાં મૃત્યુ પામીને નરક, તિર્યંચ ગતિમાં ક્યાંક કુંભિયામાં, ક્યાંક વતોથી બંને બાજુ રહેંસાય છે, ક્યાંક શૂળીમાં વિંધાય છે, ક્યાંક પગે દોરી બાંધીને જમીન ઉપર કાંટાકાંરામાં ઘસડી જવાય છે. ક્યાંક ગળડાવાય છે. ક્યાંક શરીરનું છેદન-ભેદન કરવામાં આવે છે. વળી દોરડા, સાંળ, બેડીથી બંધાવું પડે છે, ક્યાંક નિર્જન જંગલ ઉલ્લંઘવું પડે છે. ક્યાંક બળદ-ઘોડા-ગધેડાદિના ભવમાં દમન સહન કરવું પડે છે, ક્યાંક લાલ ચોળ તપેલાં લોઢાનાં સળિયાના ડામ ખમવા પડે છે, ક્યાંક ઉંટ, બળદના ભાવમાં નાક વિંધાવી નાથવું પડે છે. વળી ક્યાંક ભારે વજનોના ભાર ઉપાડવા પડે છે. ક્યાંક વધ અને તાડનના દુઃખો પરાધીનતાથી ભોગવવા પડે છે, ક્યાંક શક્તિ ઉપરાંતનો બોજો ખેંચવો પડે છે. ક્યાંક અણીયાણી આરથી વિંધાવું પડે છે. વળી છાતી, પીઠ, હાડકાં, કેડનો ભાગ તૂટી જાય છે. પરવશતાથી ભુખ-તરસ સહેવા પડે છે. સંતાપ, ઉદ્વેગ, દારિદ્રાદિ દુઃખો અહીં ફરી સહન કરવા પડશે. [૧૪૧૨, ૧૪૧૩] તો તેના બદલે અહીંજ મારું સમગ્ર દુૠત્રિ જે પ્રમાણે મેં સેવ્યું હોય, તે પ્રમાણે પ્રગટ કરીને ગુરુની પાસે આલોચના કરીને, નિંદા કરીને, ગાં કરીને, પ્રાયશ્ચિત્તનું સેવન કરીને, ધીર-વીર-પરાક્રમવાળું ઘોર તપ કરીને સંસારના દુઃખ દેનારા પાપર્મને એક્દમ બાળીને ભસ્મ કરી દઉં. [૧૪૧૪, ૧૪૧૫] અત્યંત ક્વડતું, ટેંકારી, દુષ્કર, દુઃખે કરીને સેવી શકાય તેવું ઉગ્ર, વધારે ઉગ્ર, જિનેશ્વરોએ વ્હેલ સક્ક્સ ક્લ્યાણના કારણભૂત એવા પ્રકારના તપને આદરથી સેવીશ કે જેનાથી ઉભા ઉભા પણ શરીર સુકાઈ જાય. [૧૪૧૬ થી ૧૪૧૮] મન, વચન, કાયાના દંડનો નિગ્રહ કરીને સજ્જડ આરંભ અને આશ્રવના દ્વારોને રોકીને તથા અહંકાર, ઈર્ષ્યા અને ક્રોધનો ત્યાગ કરીને રાગ-દ્વેષ-મોહથી રહિત થયેલો વળી સંગ વગરનો, પરિગ્રહરહિત, મમત્વભાવ રહિત, નિરહંકારી, શરીર ઉપર પણ નિસ્પૃહતાવાળો બનીને— હું પાંચ મહાવ્રતોનું પાલન કરીશ અને નિશ્ચે તેમાં અતિચારોને પણ લાવવા દઈશ નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy