SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫e -/૧૩૮૨ થી ૧૩૮૪ ત્રણ ગુપ્તિ, ચાર કષાયો, પાંચ મહાવ્રતો, છ જવનિકાયો, સાત પાણષણા અને આહારેષણા, આઠ પ્રવચન માતા, નવ બ્રહ્મચર્યની ગતિ, દશવિધ શ્રમણ ધર્મ, જ્ઞાનદર્શન-ચાત્રિની જે ખંડના, વિરાધના થઈ હોય તેની નિંદા, ગહ, આલોચના, પ્રાયશ્ચિત્ત ક્રીને એકાગ્ર મનથી સૂત્ર, અર્થ, તદુભયને અતિશય ભાવનો, તેના અર્થની વિચારણા કરતો, પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપન. એમ #તાં સૂર્યાસ્ત થયો. ચેત્યોને વંદના સિવાય પ્રતિક્રમણ કરે તો ચોથ ભક્ત. અહીં અવસર જાણી લેવો. પ્રતિક્રમણ પછી રાત્રે વિધિ સહિત બિલકુલ ઓછો સમય નહીં એવા પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય ન રે તો પાંચ ઉપવાસ, પહેલી પોરિસી પૂર્ણ થતાં પહેલાં સંથારો ક્રવાની વિધીની આજ્ઞા માંગો તો છઠ્ઠ સંદિસાવ્યા વિના સંથારો કરી સૂઈ જાય તો ઉપવાસ, ઉત્તરપટ્ટા વિનાનો સંથારો રે ઉપવાસ, બે પડનો સંથારો રે ઉપવાસ, વચમાં પોલાણવાળો, દોરીવાળા ખાટલામાં નીચે નરમ હોય તેવા ઢોલિયામાં, પલંગમાં સંથારો રે તો ૧૦૦ આયંબિલ. સર્વે શ્રમણ સંઘ, સર્વે સાધર્મિકે તેમજ સર્વ જીવરાશિના તમામ જીવોને સર્વ ભાવથી ત્રિવિધ ત્રિવિધે ન ખમાયે, ક્ષમાન આપે, ચૈત્યોને ન વાંદે, ગુના ચરણમાં ઉપધિ, દેહ, આરાહાદિના સાગાર પચ્ચખાણ કર્યા વિના, મનના છિદ્રોમાં ક્યાસનું રૂ ભરાવ્યા વિના સંથારામાં બેસે તો દરેકમાં ઉપસ્થાપન, સંથારામાં બેઠા પછી આ ધર્મ-શરીરને ગુરુ પરંપરાથી પ્રાપ્ત આ “શ્રેષ્ઠ મંત્રાક્ષરોથી' દશે દિશામાં સાપ, સિંહ, દુષ્ટ, પ્રાંત, તુચ્છ, વ્યંતર પિશાચાદિથી રક્ષે નહીં તો ઉપસ્થાપન. દશે દિશામાં રક્ષીને બાર ભાવના ભાવ્યા સિવાય સૂઈ જાય તો ૨૫-આયંબિલ. એક જ નિદ્રા પૂર્ણ કરી જાણીને ઇરિયાવહી પ્રતિક્રમીને પ્રતિક્રમણના સમય સુધી સ્વાધ્યાય ન કૈ તો પાંચ ઉપવાસ, ઉંઘી ગયા બાદ દુઃસ્વપ્ર કે કુસ્વપ્ર આવે તો ૧૦૦ શ્વાસોચ્છવાસ કાઉસ્સગ્ગ ક્રવો. રાત્રે છીંક કે ખાંસી ખાય, પાટીયા-પાટ કે દંડ ખસતા શબ્દ રૈ તો ખમણ, દિવસે કે રાત્રે હાસ્ય, ક્રિડા, કંદર્પથી ઉપસ્થાપન. એમ કે ભિક્ષુ સૂત્રનું અતિક્રમણ કરીને કાળનું અતિક્રમણ કરીને આવશ્યક કરે તો હે ગૌતમ ! કરણે મિચ્છામિ દુક્કડમ, અારણે યથાયોગ્ય ઉપવાસાદિ પ્રાયશ્ચિત્ત કહેવા. - જે ભિક્ષ શબ્દ રે-ક્રાવે, ગાઢ-અગાઢ શબ્દોથી બૂમ પાડે તો દરેક સ્થાનમાં દરેજું દરેક પદમાં યથાયોગ્ય સંબંધ જોડીને પ્રાયશ્ચિત્ત આપવું. એ પ્રમાણે જે ભિક્ષુ અકાય, અગ્નિકય, સ્ત્રી શરીરના અવયવોનો સંઘટ્ટો કરે પણ ભોગવે નહીં તો તેને પચ્ચીશ આયંબિલ. જે વળી સ્ત્રીને ભોગવે તે દુરંત-પ્રાંત લક્ષણ વાળાનું મુખ પણ ન દેખવું. એવા તે મહાપાપીને પારાંચિત પ્રાયશ્ચિત્ત આપવું. જો તે મહાતપસ્વી હોય, ૭૦ માસ ક્ષપણ, ૧૦૦ અર્ધમાસ ક્ષપણ, ૧૦૦ પાંચ ઉપવાસ, ૧૦૦ ચાર ઉપવાસ, ૧૦૦ અહમ, ૧૦૦ છઠ્ઠ ૧૦૦ ઉપવાસ, ૧૦૦ આયંબિલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy