SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧33 ૬-૧૧૨૪ થી ૧૧૩૮ તેવું દુઃખ સહન ક્રી અામ નિર્જરાથી દેવપણે ઉપજી. ત્યાંથી આવી અહીં રાજાપણું પામ, સાતમી નમ્ફ ગયો. એ પ્રમાણે ઈશ્વરનો જીવ સ્વલ્પનાથી નારક અને તિર્યંચગતિમાં કુત્સિત. મનુષ્યગતિમાં લાંબોકાળ ભમી, ઘોર દુખ ભોગવી, અત્યંત દુઃખી થઈ, અત્યારે ગોશાલક થયેલો છે અને તે જ આ ઈશ્વરનો જીવ છે. માટે પરમાર્થ સમજવાપૂર્વક સારાસારથી પરિપૂર્ણ એવા શાસ્ત્ર ભાવને જાણીને જલદી ગીતાર્થ બનવું. [૧૧૩૯ ૧૧૪] સારાસારને જાણ્યા વિના અગીતાર્થપણાના દોષથી રજૂ આર્યાએ એક વચન માત્રથી જે પાપને ઉપા, તે પાપથી તે બિચારાને નારકી, તિર્યંચ ગતિમાં તેમજ અધમ મનુષ્યપણામાં જે જે પ્રકારની નિયંત્રણાઓ થઈ, જેવી ગતિઓ ભોગવવી પડશે, તે સાંભળીને કોને ધૃતિ પ્રાપ્ત થાય ? [૧૧૪૧] ભગવન તે રજુઆ કોણ હતી ? અગીતાર્થતાથી તેણે વચનમાત્રથી કેવું પાપકર્મ. ઉપાર્જન કે જે વિપાકે સાંભળીને વૃતિ ન મેળવી શકાય? ગૌતમ! આ જ ભરતક્ષેત્રમાં ભદ્ર નામે આચાર્ય હતા. તેમને મહાનુભવ એવા પo૦ શિષ્યો અને ૧૨૦૦ સાધ્વીઓ હતા. તે ગચ્છમાં ચોથા (આયંબલિ) રસયુક્ત ઓસામણા, ત્રણ ઉકળા વાળું અતિ ઉકાળેલું પાણી એવા ત્રણ પ્રકારના અચિત્ત જળ સિવાય ચોથા પ્રકરના જળનો વપરાશ ન હતો. કોઈ સમયે જ્જા આયને પૂર્વક્ત અશુભ પાપ કર્મોદયથી કુષ્ઠ વ્યાધિ થતાં શરીર સડી ગયું, તેમાં કૃમિ ઉત્પન્ન થઈને તેણીને ફોલી ખાવા લાગી. કોઈ સમયે તેને બીજી આયઓ ગચ્છમાં પૂછવા લાગી કે – અરે રે દુક્રારિકે ! આ તને એક્રમ શું થયું ? હે ગૌતમ ! ત્યારે તે મહાપાપÍ ભગ્ન લક્ષણ જન્મવાળી તે રજ્જાઆર્યાએ, તે સંયતીઓને એવો ઉત્તર આપ્યો કે “આ અચિત્ત જળના પાનથી મારું આ શરીર વણસીને નાશ પામ્યું છે.' આવું વચન બોલતાં સર્વે સંયતીના હૃદય એકદમ ક્ષોભ પામ્યા કે આપણે અચિત્ત જળનું પાન ક્રીને આની જેમ મૃત્યુ પામીશું પરંતુ ગચ્છમાં એક સાધ્વીએ વિચાર્યું કે – કદાચ આ મારું શરીર એક પલારા જેટલાં અ૫ કાળમાં સડી જાવ કે સડીને ટુન્ડે ટુકડા થઈ જાયતો પણ સચિત જળનું પાન આ જન્મમાં કદી પણ ક્રીશ નહીં. અચિત્ત જળનો ત્યાગ નહીં ક્યું, બીજું આ સાધ્વીનું શરીર અચિત્ત જળથી વણસી ગયું છે. એ હકીક્ત સર્વથા સત્ય નથી. કેમ કે પૂર્વક્ત અશુભ દયથી જ આવું બને છે. એમ અતિ સુંદર વિચારણા ક્રવા લાગી. જુઓ તો ખરા, અજ્ઞાન દોષથી અવરાયેલી અતિશય મૂડ હદયા લજ્જા રહિત બનીને આ મહાપાપ ક્ષ્મણી સાધ્વીએ સંસારના ઘોર દુઃખ આપનાર આવું દુષ્ટ વચન કેમ ઉચ્ચાર્યું ? કે મારા કાર્ણ વિવરમાં પણ પ્રવેશી શકાતું નથી, તો ભવાંતરમાં રેલ અશુભ કર્મોદયથી જે કંઈ દરિદ્રતા, દુર્ભાગ્ય, અપયશ, ખોટા ક્લંક લાગવા, કુષ્ઠાદિ વ્યાધિના લેશોના દુઃખો શરીરમાં થવા, ઇત્યાદિમાં ફેરફાર નથી. આગમમાં કહ્યું છે[૧૧૪ર જાતે ઉપાર્જન કરેલાં દુ:ખ કે સુખ કોણ કોઈને આપી કે લઈ શકે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy