SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/-/૧૦૮૮, ૧૦૮૯ વિડંબના રાવનાર પિતા હોય તો પણ શત્રુ માનજે. ભડભડતા અગ્નિમાં પ્રવેશવું સારું છે, પણ સુક્ષ્મ પણ નિયમની વિરાધના કરવી સારી નથી. સુવિશુદ્ધ નિયમયુક્ત કર્મવાળાનું મૃત્યુ સારું પણ નિયમ ભાંગીને જીવવું સારું નથી. [૧૦૯૦, ૧૦૯૧] ગૌતમ ! અગીતાર્થપણાના દોષથી ઇશ્વરે જે પ્રાપ્ત કર્યું તે સાંભળીને તરત ગીતાર્થ બનવું. ભગવન્ ! ઈશ્વર કોણ મુનિવર હતા. તે હું જાણતો નથી. તેમજ અગીતાર્થપણાના દોષથી તેણે શું પ્રાપ્ત કર્યું તે મને હો. [૧૦૯૨ થી ૧૦૯૪] ગૌતમ ! કોઈક બીજી ચોવીશીના પહેલાં તીર્થંકર ભગવંત જ્યારે નિર્વાણ પામ્યા, ત્યારે મનોહર નિર્વાણ મહોત્સવ પ્રવર્તતો હતો અને સુંદર રૂપવાળા દેવ અને અસુરો નીચે ઉતરતા અને ઉપર ચડતા હતા. ત્યારે નીક્ટમાં રહેલાં લોકો તે જોઈને વિચારવા લાગ્યા કે આજે મનુષ્ય લોક્માં આશ્ચર્ય જોઈએ છીએ. કોઈ વખત ક્યાંય આવી ઈંદ્રજાળો જોવામાં આવેલ નથી. [૧૦૯૫ થી ૧૧૦૨] આવી વિચારણા રતા કરતાં એક મનુષ્યને પૂર્વભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું. એટલે ક્ષણવાર મુર્છા પામ્યો, ફરી વાયુથી આશ્વાસન પામ્યો. ભાનમાં આવી થરથર ધ્રુજવા લાગ્યો. લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો. તુરત જ મુનિપણું અંગીકાર કરવા ઉધત થયો. ત્યાર પછી તે મહાશયવાળો જેટલામાં લોય કરવાનો શરૂ કરે છે. તેટલામાં દેવતાએ તેને વિનયથી રજોહરણ આપ્યું. તેના ક્ટકારી ઉગ્ર તપ અને ચારિત્રને જોઈને તથા લોકોને તેની પૂજા રતાં જોઈને ઈશ્વર જેટલામાં ત્યાં આવીને તેને પૂછવા લાગ્યો કે તમોને કોણે દીક્ષા આપી ? ક્યાં જન્મ્યા છો ? તમારું કુળ ક્યું છે ? કોના ચરણક્મળમાં અતિશયવાળું સૂત્ર અને અર્થનું તમે અધ્યયન કર્યું ? તે પ્રત્યેક બુદ્ધ તેને જેટલામાં સર્વ જાતિ, કુળ, દીક્ષા, સૂત્રાદિ જે પ્રમાણે પ્રાપ્ત ર્ડા તે વ્હેતા હતા. તેટલામાં તે બધું સાંભળી તે નિર્માગી ઈશ્વર વિચારવા લાગ્યો આ જુદો છે. આ અનાર્ય દંભથી ઠગે છે, તો જેવું આ બોલે છે, તેવા જ જિનવર હશે. આ વિષયમાં કંઈ વિચારવું નહીં, એમ લાંબોાળ મૌનપણે ઉભો રહ્યો. ૧૩૧ - Jain Education International [૧૧૦૩, ૧૧૦૪] અથવા તો ના ના, એમ નથી, દેવો અને દાનવોથી પ્રણામ રાયેલા ભગવંત મારા સંશયને છેદે તો મને ખાત્રી થાય. તેટલામાં વળી ચિંતવ્યું કે જે થવાનું હોય તે થાઓ, મારે અહીં વિચારવાનું શું પ્રયોજન છે? હું તો સર્વ દુઃખનાશક પ્રવ્રજ્યાને અહીં અભિનંદું છું અર્થાત્ તે ગ્રહણ કરવા ઈચ્છું છું. [૧૧૦૫ થી ૧૧૦૭] તેટલામાં જિનેશ્વર પાસે જવા નીક્ળ્યો. પણ જિનેશ્વરને ન જોયા એટલે ગણધર પાસે જવા પ્રયાણ ર્ક્યુ. જિનેશ્વરે વ્હેલા સૂત્ર અને અર્થની પ્રરૂપણા ગણધરો કરતા હોય છે. જ્યારે અહીં ગણધર શ્રી વ્યાખ્યાના રતા હતા ત્યારે તેમાં આઆલાવો આવ્યો કે એક જ પૃથ્વીકાય જીવો સર્વત્ર ઉપદ્રવ પામે છે. તો તેનું રક્ષણ કરવા કોણ સમર્થ થઈ શકે છે ? [૧૧૦૮ થી ૧૧૧૧] આ વિષયમાં આ મહાયશવાળા પોતાની આત્માની લઘુતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy