SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ મહાનિશીથછેદત્ર-અનુવાદ માર્ગ સમાન દશવૈકલિક નામે શ્રુતસ્કંધની નિયુહણા શે. ભગવદ્ ! કોના નિમિત્તે? ગૌતમ ! મનક્ના નિમિત્તે. એમ માનીને કે આ મનક પરંપરાએ અલ્પાળમાં મોટા ઘોર દુઃખ સમુદ્ર સમાન આ ચારે ગતિ સ્વરૂપ સંસારસાગરથી કેવી રીતે પાર પામે ? તે તે પણ સર્વજ્ઞના ઉપદેશ વિના તો ન જ બની શકે. સર્વજ્ઞનો ઉપદેશ અપાર અને દુરવગાહ્ય છે. અનંતગમ પર્યાયોથી યુક્ત છે. અલ્પાળમાં આ સર્વજ્ઞોક્ત સર્વ શાસ્ત્રોમાં અવગાહી ન શક્રય. તેથી હે ગૌતમાં અતિશય જ્ઞાની શય્યભવ એમ ચિંતવશે કે જ્ઞાનસમુદ્રનો છેડો નથી. મળ અલા છે, વિપ્નો અનેક છે, માટે જે સારભૂત હોય તે જેમ ખારા જળમાંથી હંસ મીઠું જળ ગ્રહણ ક્રાવે, તેમ ગ્રહણ ક્રી લેવું. [૮૧૪] તેમણે આ ભવ્યાત્મા મનને તત્વનું પરિજ્ઞાન થાય એમ જાણીને પૂર્વોમાંથી દશવૈકાલિક મૃતધની નિસ્પૃહણા ક્રી. તે સમયે જ્યારે બાર અંગો અને તેના અર્થો વિચ્છેદ પામશે ત્યારે દુષ્યમ ાળના છેડા સુધી – દુષ્પસહ અણગાર સુધી દશવૈકલિક સૂત્ર અને અર્થથી ભણાશે. ગૌતમ ! આ દુષ્યસહ અણગાર પણ તે દશવૈકલિના અર્થાનુસાર પ્રવર્તશે, પણ સ્વમતિ લ્પનાથી સ્વચ્છંદ આચારમાં નહીં પ્રવર્તે. તે દશવૈકલિક શ્રુતસ્કંધમાં તે કાળે બાર અંગો રૂપ શ્રુત સ્કંધની પ્રતિષ્ઠા થશે. ગૌતમ ! આ કારણે એમ કહેવાય છે કે ગમે તે રીતે ગચ્છ વ્યવસ્થા મર્યાદાનું ઉલ્લંઘન ન ક્રવું. [૮૧૫] ભગવન્! અત્યંત વિશુદ્ધ પરિણામવાળા ગણનાયકની પણ કોઈ તેવા દશીલ શિષ્ય સ્વછંદતાથી, ગારવના કારણે કે જાતિમદ આદિથી જો આજ્ઞા ન માને કે ઉલ્લંઘે તો શું તે આરાધક થાય ખરો ? ગૌતમ ! શત્રુ અને મિત્રમાં સમભાવી, ગુરુ ગુણોમાં વર્તતા નિરંતર સૂત્ર અનુસાર વિશુદ્ધાશયથી વિચરતા હોય તેવા ગણીની આજ્ઞાનું ઉલ્લંઘનાર ૪૯૯ સાધુની જેમ અનારાધક થાય. [૮૧] ભગવદ્ ! તે ૪૯ સાધુઓ જેઓએ તેવા ગુણયુક્ત મહાનુભાવ ગુરુ મહારાજની આજ્ઞા ઉલ્લંઘીને આરાધક ન બન્યા તે બૅણ હતા? ગૌતમ! 28ષભદેવ પરમાત્માની પૂર્વે થયેલ ત્રેવીશ ચોવીશી અને તે ચોવીશીના ચોવીસમાં તીર્થક્ર નિર્માણ પામ્યા પછી લોક બળ ગુણથી ઉત્પન્ન થયેલ ર્મરૂપી પર્વતનો ચૂરો ક્રનાર મહાયશા, મહાસત્વી, મહાનુભાવ, સવારમાં નામ ગ્રહણ ક્રવા યોગ્ય વઈર નામે ગચ્છાધિપતિ થયા. સાધ્વી સિવાય તેમને પ૦૦ શિષ્યોના પરિવારવાળો ગચ્છ હતો. સાધ્વી સહિત ગણોનો ર૦૦૦ની સંખ્યા હતી. ગૌતમ ! તે સાધ્વીઓ અત્યંત પરલોક ભીરુ હતા. અત્યંત નિર્મળ અંત:ક્રણવાળા, ક્ષમાધારી, વિનયવતી, ઇન્દ્રિયદમી, મમત્વ રહિત, અતિ અભ્યાસ, વશરીરથી પણ અધિક છ કાયના જીવો ઉપર વાત્સલ્ય ક્રનારી, ભગવંતે શાસ્ત્રમાં હેલા એવા અતિશય ઘોર વીર તપશ્ચરણનું સેવન કરી શોષવેલા શરીરવાળી, તીર્થ પ્રરૂપિત કર્યા મુજબ અદીનમનથી, માયા, મદ, અહંકાર, મમત્વ, રતિ, હાસ્ય, ક્રીડા, કંદ, નાથવાદ રહિત, સ્વાભીભાવ આદિ દોષોથી મુક્ત તે સાધ્વીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy