SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫-૮/૨ થી ૫ ૧૫૯ ૧૬૦ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ મોટો થયો. બીજ કૂવા-તળાવ-ધૂહન્સરોવર-સ્સાગરને ન જોયા હોવાથી માનતો હતો કે આ જ કૂવો યાવત્ સાગર છે. ત્યારે તે કૂવામાં બીજ સમુદ્રનો દેડકો આવ્યો. ત્યારે તે કૂવાનો દેડકાએ, તે સામુદ્રી દેડકાને આમ કહ્યું - તું કોણ છો ? ક્યાંથી અહીં આવ્યો છે? ત્યારે તે સમદ્દી દેડકાએ તે કૂવાના દેડકાને કહ્યું – હે દેવાનુપિય! હું સામુદ્રી દેડકો છું ત્યારે તે કૂવાના દેડકાએ તે સામુદ્રી દેડકાને કહ્યું - હે દેવાનુપિયા તે સમુદ્ર કેટલો મોટો છે? ત્યારે સામુદ્રી દેડકાએ કૂવાના દેડકાને કહ્યું - સમુદ્ર ઘણો મોટો છે. ત્યારે કૂવાના દેડકાએ પગથી એક લીટી ખેંચીને પૂછ્યું - સમુદ્ર આટલો મોટો છે ? ના, તેમ નથી, સમુદ્ર તેથી મોટો છે. ત્યારે કુવાના દેડકાએ પૂર્વ કિનારેથી ઉછળીને દૂર જઈને પૂછયું કે સમુદ્ર આટલો મોટો છે ? ના, તેમ નથી. આ પ્રમાણે હે જિતણુ! તેં પણ બીજી ઘણાં રાજ, ઈશ્વર યાવત્ સાવિાહ આદિની ભાય, બેન, પુની, પુત્રવધૂને જોયા વિના જ સમજશ કે “જેવું મારું અંતઃપુર છે, તેવું અંતઃપુર બીજા કોઇનું નથી.” હે જિતશકુ. મિથિલા નગરીએ કુંભકની પુwી, પ્રભાવતીની આત્મા, મલી નામે છે, રૂપ અને યૌવનથી યાવતુ બીજી કોઈ દેવકન્યાદિ પણ નથી જેવી મલ્લી છે. વિદેહ શ્રેષ્ઠ રાજકન્યાના પગના કપાયેલા અંગુઠાના લાખમાં ભણે પણ તરે તપુર નથી. એમ કહીને ચોક્ષા જે દિશાથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ. ત્યારે તે જિતષ્ણુ પરિક્તાાિ દ્વારા જનિત હાસ્યથી દૂતને બોલાવે છે. ચાવ4 દૂત જવાને રવાના થયો. [8] ત્યારે તે જિતમ્બુ આદિ છ રાજાના દૂતો મિથિલા જવાને રવાના થયા. ત્યારપછી છ એ દૂતો મિથિલા આવ્યા, આવીને મિથિલાના અગોધાનમાં દરેકે અલગ-અલગ છાવણી નાંખી. પછી મિથિલા રાજધાનીમાં પ્રવેશ્યા. પછી કુંભરા પાસે આવી દરેકે દરેકે હાથ જોડી પોત-પોતાના રાજાના વચન સંદેશ આપ્યા. ત્યારે તે ભરાએ તે દૂતોની પાસે આ અને સાંભળી, ક્રોધિત થઈ ચાવતું મસ્તકે શિવલી ચડાવીને કહ્યું - હું તમને [કોઈને વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલી આપીશ નહીં, છ એ દૂતોને સકાય, સન્માન્યા વિના પાછલા દ્વારેથી કાઢી મૂક્યા. ત્યારે જિdબુ આદિના છ રાજદૂતો કુંભ રાજા વડે સકાર-સન્માન કરાયા વિના પાછલા દ્વારેથી કાઢી મૂકાતા પોત-પોતાના જનપદમાં, પોત-પોતાના નગરમાં, પોત-પોતાના રાજા પાસે આવ્યા, બે હાથ જોડીને કહ્યું - હે સ્વામી ! અમે જિતરાણ આદિના છ રાજદૂતો એક સાથે જ મિથિલા યાવતું દ્વારેથી કાઢી મૂકાયા, હે સ્વામી ! કુંભ રાજ, મલ્લીને તમને નહીં આપે. દૂતોએ પોત-પોતાના રાજાઓને આ વૃત્તાંતનું નિવેદન કર્યું. ત્યારે તે જિતશબુ આદિ છ એ રાજાએ તે દૂતની પાસે આ વૃત્તાંત સાંભળી, સમજી, ક્રોધિત થઈ પરસ્પર દૂતો મોકલ્યા અને કહ્યું - હે દેવાનપિયો ! આપણા છ એ રાજદૂતોને એક સાથે જ યાવત્ કાઢી મુકાયા, તો એ ઉચિત છે કે આપણે કુંભ રાજા ઉપર ચડાઈ કરવી જોઈએ. એમ કહીને પરસ્પર આ વાતને સ્વીકારી. પછી સ્નાન કર્યું સદ્ધ થયા, ઉત્તમ હાથીના કંધે આરૂઢ થયા, કોરંટ પુરાની માળા યુક્ત છત્ર યાવતું ઉત્તમ શ્વેત ચામર વડે મોટી હાથી-ઘોડા-રથ પ્રવર યોદ્ધા યુકત ચાતુરંગિણી સેના સાથે પરિવરીને સર્વગદ્ધિ યાવતુ નાદ સહિત, પોત-પોતાના નગરથી યાવતુ નીકળ્યા, એક જગ્યાએ ભેગા થઈ, જ્યાં મિથિલા નગરી હતી ત્યાં જવાને પ્રસ્થાન કર્યું. ત્યારે કુંભરાશ આ વૃત્તાંતને જાણીને સેનાપતિને બોલાવ્યો. ભોલાવીને કહ્યું - જલ્દીથી અન્ન યાવતુ સેના સજજ કરો ચાવતુ સેનાપતિએ તેમની આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી કુંભરાજાએ સ્નાન કર્યું, હાથી ઉપર બેઠો, છમ ઘણું, ચામરથી વિઝાવા લાગ્યો. યાવતુ મિથિલા મધ્યેથી નીકળ્યો. વિદેહની વચ્ચોવચ થઈ દેશના અંત ભાગે આવીને છાવણી નાંખી, પછી જિતરબુ આદિ છે રાજાની રાહ જોતા, યુદ્ધ માટે સજજ થઈને રહ્યા, ત્યારપછી તે જિતશg આદિ છ ચા, કુંભ રાજ પાસે આવ્યા, આવીને કુંભરાજ સાથે યુદ્ધ કરવા લાગી ગયા. ત્યારપછી તે જિતષ્ણુ અાદિ છ એ રાજાએ કુંભરાજાની સેનાને હdમયિત કરી દીધી, તેમના પ્રવર વીરોનો ઘાત કર્યો, શિલ્ડ અને પતાકાને પાડી દીધાં, તેના પ્રાણ સંકટમાં પડી ગયા. સેના ચારે દિશામાં ભાગી ગઈ. ત્યારે તે કુંભરાજ, જિdણ આદિ છ રાજ વડે હત-મથિત ચાવતુ સેના ભાગી જતાં સામર્થ-બળ-વીર્ય હીન થઈ યાવતું શીઘ, વરિત યાવતુ વેગથી મિથિલાએ આવી, મિથિલામાં પ્રવેશી, મિથિલાના દ્વારોને બંધ કરી, રોધ સજ્જ થઈને રહ્યા. - ત્યારે તે જિતશબુ આદિ છ એ સજ મિથિલામાં આવ્યા, મિથિલા રાજધાનીને નિસંચાર, નિરુચ્ચાર કરી, ચોતરફથી ઘેરી. ત્યારે તે કુંભ રાશ, મિથિલા રાજધાનીને અવરોધાયેલ જાણીને આગંતર ઉપસ્થાન શાળામાં ઉત્તમ સહાસને બેસી, તે જિતશત્રુ આદિ છ રાજના છિદ્રો, વિવરો, મમ ન પામી શકતા, ઘણાં આય-ઉપાય-ૌત્પાતિકી આદિ બુદ્ધિથી વિચારતા પણ કોઈ આય કે ઉપાયને પ્રાપ્ત ન થતાં અપહત મનો સંકલ્પ યાવતું ચિંતાતુર થયો. આ તરફ મલ્લી, નાન કરી યાવત ઘણી કુવાદિથી પવૃિત્ત થઈને કુંભ રાજ પાસે આવી. તેમને પગે પડી, ત્યારે કુંભકે મલીનો આદર ન કર્યો, પણી નહીં મૌનપૂર્વક રહ્યો. ત્યારે મલીએ કુંભને આમ કહ્યું - હે પિતાજી ! તમે મને બીજી કોઈ સમયે આવતી જાણીને ચાવત બેસાડો છો, આજ તમે કેમ ચિંતામગ્ન છો ?
SR No.009005
Book TitleAgam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy