________________
૧/-/૧/૪૦,૪૧
જેમ મેઘમુનિને મહાવીરે મધુર નિપુણ વચન વડે સ્થાપ્યા તેમ ક્વચિત્ સ્ખલન પામે ત્યારે શિષ્યને આચાર્ય સ્થાપે. - X -
૧
ઢવીની - આ તીર્થંકરના ઉપદેશથી પ્રતિપાદિત કર્યુ છે, સ્વ બુદ્ધિ વડે નહીં, એ રીતે ગુરુવચન પરતંત્રતાથી સુધર્મસ્વામીએ પોતાના શિષ્ય જંબૂસ્વામીને બતાવ્યું. એ રીતે બીજા પણ મુમુક્ષુ વડે થવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ
અધ્યયન-૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૯૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
અધ્યયન-૨-“સંઘાટ”
— — — x — —
આ અધ્યયનનો પૂર્વના સાથે આ સંબંધ છે - પૂર્વમાં અનુચિત્ત પ્રવૃત્તિ કરનાર શિષ્યને ઉપાલંભ કહ્યો, અહીં અનુચિત્ત-ઉચિત પ્રવૃત્તિ કરનાને અનર્થ-અર્થ પ્રાપ્તિ પરંપરા થાય છે. આ સંબંધે આ સૂત્ર –
• સૂત્ર-૪૨ :
ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીરે પહેલા તાધ્યયનનો આ અર્થ કહ્યો છે તો હે ભગવન્ ! બીજા જ્ઞાતાયનનો શો અર્ત કહ્યો છે ? હે જંબૂ ! નિશ્ચે, તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. - વર્ણન - તે રાજગૃહનગરની બહાર ઈશાન દિશામાં ગુણશિલક ચૈત્ય હતું - વર્ણન - તે ગુણશીલ ચૈત્યની સમીપે એક મોટું જિર્ણ ઉધાન હતું. તેનું દેવકુલ વિનષ્ટ થયેલું હતું. તોરણ, ગૃહ ભગ્ન થયેલ હતું. વિવિધ ગુચ્છ-ગુલ્મ-લતા-વલિ-વૃક્ષથી વ્યાપ્ત હતું. અનેક શત ૠાપદથી શંકનીય-ભયોત્પાદક હતું.
તે ઉધાનના બહુ મધ્ય દેશ ભાગમાં એક મહાન ભગ્ન કૂવો હતો. તે ભગ્ન કૂવાની સમીપ એક મહાન વાલુકા કચ્છ હતો. તે કૃષ્ણ, કૃષ્ણાવભાસ યાવત્ રમ્ય, મહામેઘના સમૂહ જેવો હતો. તે ઘણાં વૃક્ષ-ગુચ્છ-ગુલ્મ-đlવલ્લી-કુશ-સ્થાણુથી વ્યાપ્ત અને આચ્છાદિત હતા. તે અંદરથી પોલો અને
બહારથી ગંભીર હતો. અનેક શત થાપદને કારણે શંકનીય-ભયોત્પાદક હતો.
• વિવેચન-૪૨ :
આ અધ્યયનનો અર્થ સુગમ છે. વિશેષ એ કે જિર્ણોધાન હતું. વિનષ્ટ દેવકુલ, પસિડિત તોરણ-પ્રાકાર-દ્વાર-દેવકુલ સંબંધી ગૃહો છે તે, તથા વિવિધ ગુચ્છ-વૃંતાકી આદિ, ગુલ્મ-વંશ જાલી આદિ, લતા-અશોકલતાદિ, વલ્લી-ત્રપુષી આદિ, વૃક્ષ-સહકારાદિ, તેના વડે આચ્છાદિત, અનેક શત વ્યાલ-શ્વાપદ, શંકનીય-ભયજનક.
માલુકાકચ્છ - એકાસ્થિ ફળ વૃક્ષ વિશેષ માલુકા, તેનો કક્ષ-ગહન, તે માલુકા કક્ષ. જીવાભિગમ ચૂર્ણિ મતે - સિબિટિકાકચ્છક છે.
કૃષ્ણ, કૃષ્ણાવભાસ અહીં યાવત્ શબ્દથી નીલ-નીલાવભાસ, હરિતહરિતાવભાસ, શીત-શીતાવભાસ, સ્નિગ્ધ-સ્નિગ્ધાવભાસ, તીવ્ર-તીવ્રાવભાસ, કૃષ્ણકૃષ્ણચ્છાય, નીલ-નીલચ્છાય, હરિત-હતિચ્છાય શીત-શીતચ્છાય, સ્નિગ્ધસ્નિગ્ધચ્છાય, તીવ્ર-તીવ્રચ્છાય જાણવું. - ૪ - ૪ - કૃષ્ણ-અંજન સમાન, નીલ-મયુર ગ્રીવા સમાન, હરિત-પોપટની પાંચ સમાન, વલ્ગાદિના આકાંતત્વથી સ્પર્શ વડે શીત કહ્યો. - ૪ - છાયા એટલે સૂર્યના કિરણના આવરણ જનિત દીપ્તિ. ઘણ-કડિયઽચ્છાએઅન્યોન્ય શાખા, પ્રશાખાના અનુપ્રવેશથી ઘન-નિરંતર છાય, રમ્ય, મહામેઘોનો સમૂહ
તેની સમાન.
વાચનાંતરમાં અધિક પાઠ છે – પત્ર, પુષ્પ, ફળથી હરિત એવો શોભતો તથા શ્રી વડે અતી-અતી ઉપશોભિત થઈને રહેલ. કુસ-દર્ભ, ક્યાંક “કૂવા વડે' એવો પાઠ છે. આબુ - સ્થાણુ અથવા ખાત-ગર્લ વડે, અથવા ચોર ગવેષક ક્ષેત્ર તે