________________
3/3
સમવાય-૩
— * - * —
— * — X =
હવે ત્રણ સ્થાનક કહે છે–
-
-સૂત્ર-૩ -
-દંડ ત્રણ કથા -
-
મનદંડ, વયનદંડ, કાયદંડ. ૨-ગુપ્તિ ત્રણ છે મનગુપ્તિ, વાનગુપ્તિ, કાયગુપ્તિ. ૩-શલ્યો ત્રણ છે માયાશત્ય, નિદાન શલ્ય, મિથ્યાદર્શન શલ્ય.. ૪-ગારવ ત્રણ છે. રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ. ૫-વિરાધના ત્રણ છે - જ્ઞાન, દર્શન, યાત્રિ-વિરાધના.
-
૧-મૃગશીર્ષ નક્ષત્રના ત્રણ તારા કહ્યા, ૨-પુષ્યનક્ષત્રના, ૩-જ્યેષ્ઠા નક્ષત્રના, ૪-અભિજિતૃ નક્ષત્રના, ૫-શ્રવણ નક્ષત્રના, ૬-અશ્વિની નક્ષત્રના ૭-ભરણી નક્ષત્રના... પુષ્યાદિ પ્રત્યેકના ત્રણ-ત્રણ તારા કહ્યા છે.
(૧) રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકોની સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. (ર) બીજી પૃથ્વીના નાકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઋણ સાગરોપમ છે. (૩) ત્રીજી પૃથ્વીના નારકોની જઘન્યસ્થિતિ ત્રણ સાગરોપમ છે. (૪) કેટલાક અસુકુમાર દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. (૫) અસંખ્ય વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. (૬) અસંખ્ય વર્ષાયુદ્ધ સંજ્ઞી ગર્ભજ મનુષ્યોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ છે.
૨૩
-
(૭) સૌધર્મ-ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. (૮) સનકુમાર-માહેન્દ્ર કલ્પે કેટલાક દેવોની સ્થિતિ ત્રણ સાગરોપમ છે. (૯) જે દેવો આભંકર, પ્રભંકર, આશંકરપ્રભંકર, ચંદ્ર, ચંદ્રાવર્તી, ચંદ્રપ્રભ, ચંદ્રકાંત, ચંદ્રવર્ણ, ચંદ્રલેશ્ય, ચંદ્રધ્વજ, ચંદ્રભૃગ, ચંદ્રસૃષ્ટ, ચંદ્રકૂટ, ચંદ્રોરાવર્તક વિમાને દેવપણે ઉત્પન્ન થયા હોય તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગર૰ છે.
તે દેવો ત્રણ અઈમાસે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૩૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાંક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ત્રણ ભવને અંતે સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત-દુખાંતકારી થશે.
• વિવેચન-૩ :
-
સૂત્રો સુગમ વિશેષ એ દંડ, ગુપ્તિ આદિ અર્થવાળા પાંચ સૂત્રો છે, નક્ષત્રાર્થ સાત, સ્થિત્યર્થક નવ, ઉચ્છ્વાસાદિ અર્થક ત્રણ છે.
(૧) જેના વડે આત્મા ચાસ્ત્રિરૂપ ઐશ્વર્યનો વિનાશ કરી અસાર કરે છે તે દંડ. એટલે દુષ્ટ પ્રયુક્ત મન વગેરે. મન એ જ દંડ તે મનોદંડ અથવા કુમાર્ગે પ્રવતવિલા મન વડે આત્માને દંડવો તે મનોદંડ, એ રીતે બીજા બે જાણવા.
(૨) ગોપવવું તે ગુપ્તિ-મન વગેરેની અશુભ પ્રવૃત્તિનો નિરોધ અને શુભપવૃત્તિનું કરવું તે. (૩) તોમર આદિ શલ્ય જેવા શલ્ય દુઃખદાયક હોવાથી માયાદિ શલ્ય છે. તેમાં માયા-કપટ, તે જ શલ્ય તે માયાશલ્ય. એ રીતે બીજા બે જાણવા. વિશેષ એ નિદાન એટલે દેવાદિની ઋદ્ધિના દેખવા કે સાંભળવાથી તે વિચારે કે મને આ
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ બ્રહ્મચર્યાદિનું અનુષ્ઠાન કરવાથી આવી ઋદ્ધિ મળો તે, મિથ્યાદર્શન-અતવાર્થ શ્રદ્ધા. (૪) ગૌરવ-અભિમાન અને લોભ વડે આત્માને અશુભ ભાવની મોટાઈ, તે સંસારચક્રમાં ભમવાના હેતુરૂપ કર્મબંધ-કારણરૂપ છે, તેમાં નરેન્દ્રાદિ અને પૂજ્ય આચાર્યાદિની સમૃદ્ધિ વડે તેના અભિમાન થકી અને અપ્રાપ્ત ઋદ્ધિ માટે પ્રાપ્તિની પ્રાર્થના દ્વારા આત્માને જે અશુભ ભાવ ગૌરવ થાય તે ઋદ્ધિ ગારવ, એ રીતે રસ ગૌરવ, શાતાગૌરવ છે.
૨૮
(૫) વિરાધના એટલે ખંડણા, તેમાં જ્ઞાનની વિરાધના તે જ્ઞાનવિરાધના એટલે જ્ઞાનની શત્રુતા, નિહવાદિરૂપ, એમ બીજી પણ જાણવી. વિશેષ એ - દર્શન એટલે ક્ષાયિકાદિ સમ્યકત્વ, ચારિત્ર-સામાયિકાદિ.
તથા અસંખ્યાત વર્ષાયુષ્ક પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યોની ત્રણ પલ્યોપમની સ્થિતિ દેવકુટુ-ઉત્તરકુરુમાં જન્મેલાની જાણવી.
આભંકર, પ્રભંકર, ઈત્યાદિ નામનાં વિમાનો છે. તે જાણવું.
સમવાય-૩-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
સમવાય-૪
-
— — —
• સૂત્ર૪ -
(૧) કષાયો ચાર કહ્યા – ક્રોધ કષાય, માન કષાય, માયા, કષાય, લોભ કપાય. (૨) ધ્યાન ચાર છે – આધ્યિાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન. (૩) ચાર વિકથા છે સ્ત્રીકથા, ભકતકથા, રાજકથા, દેશકથા. (૪) ચાર સંજ્ઞા
છે – આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. (૫) બંધ ચાર છે પ્રકૃતિબંધ, સ્થિતિ બંધ, અનુભાવ બંધ, પ્રદેશ બંધ. (૬) ચાર ગાઉનો એક યોજન છે.
(૧) અનુરાધા નક્ષત્રના ચાર તારા છે, (૨) પૂર્વાષાઢા નક્ષત્રના ચાર તારા
છે, (૩) ઉત્તરાષાઢા નક્ષત્રના ચાર તારા છે.
=
(૧) આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નાસ્કોની સ્થિતિ સાર પલ્યોપમ છે. (૨) ત્રીજી નાકીમાં કેટલાંક નાસ્કોની સ્થિતિ ચાર સાગરોપમ છે. (૩) કેટલાક અસુકુમાર દેવોની સ્થિતિ ચાર પલ્યોપમ છે. (૪) સૌધર્મ-ઈશાન કરે કેટલાક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમ છે. (૫) સનકુમારમાહેન્દ્ર કલ્પે કેટલાક દેવોની સ્થિતિ ચાર સાગરોપમ છે. (૬) જે દેવો દૃષ્ટિ, સુદૃષ્ટિ, દૃષ્ટિકાવ, દૃષ્ટિપ્રભ, દૃષ્ટિયુક્ત, દૃષ્ટિવર્ણ, દૃષ્ટિલેશ્ય, દૃષ્ટિધ્વજ, દૃષ્ટિશ્રૃંગ, દૃષ્ટિશિષ્ટ, દૃષ્ટિકૂટ, કૃટ્યુત્તરાવર્તક વિમાને દેવપણે ઉત્પન્ન થયા હોય તે દેવોની ઉત્કૃષ્ટ ચાર
સાગરોપમ સ્થિતિ કહી છે.
તે દેવો ચાર અર્ધ માટે આન-પાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે.. તેમને ૪૦૦૦ વર્ષ આહારેચ્છા થાય છે, એવા કેટલાંક ભવસિદ્ધિક જીવો છે જે ચાર ભવે સિદ્ધ થશે યાવત્ સર્વે દુઃખોનો અંત કરશે.