SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને ત્યારપછીના અન્નત્થ સૂત્રમાં તેમાં રખાતી છૂટો જણાવાય છે. આમ આ સૂત્રો કહે છે કે પ્રતિજ્ઞા તો લેવાની જ; જરુર પડે તો તેમાં છૂટ રાખવાની પણ પ્રતિજ્ઞા લેવાનું બંધ ન કરવું. [6] જો આપણું સત્ત્વ હોય, સહન થાય તો, તે છૂટનો ઉપયોગ ન કરવો. પણ જો તેટલું સત્ત્વ ન હોવાથી છૂટનો ઉપયોગ કરીએ, તો તે બાધા, પ્રતિજ્ઞા કે નિયમનો ભંગ થતો નથી. fasts fon Hol આપણને મળેલા પરમાત્મા કરુણાના મહાસાગર છે. તેમણે આત્માની સાથે આપણા શરીરની પણ ચિંતા કરી છે. તેથી જેનાથી તબિયત બગડવાની શકયતા હોય, તેની છૂટ અન્નત્થ સૂત્ર દ્વારા આપી. ખાંસી, છીંક, બગાસું, ઓડકાર, વાછૂટ વગેરેની કાઉસ્સગ્ગમાં છૂટ આપી દીધી. Sur આ બધું જાણ્યા પછી રાત્રિભોજન, કંદમૂળ વગેરેનો ત્યાગ કરવાની બાધા લઇ લેવી જોઇએ. કોઇ સંયોગ વિશેષમાં કરવું જ પડશે તેમ લાગતું હોય તો વર્ષના ૫-૧૦-૧૫ દિવસની છૂટ રાખીને પણ બાધા તો લેવાની જ. માત્ર ૪૮ મિનિટથી પણ ઓછા આયુષ્યવાળો, ચોખાના દાણા જેટલો નાનો, જળચર જીવની આંખની પાંપણમાં રહેતો તંદુલીયો મત્સ્ય “મારું ચાલે તો એકેયને ન છોડું' એવા મનના વિચારોના પાપે મરીને સાતમી નરકે જાય 1. છેવું નાનપ થીમ ઉપર રોલ મૂકવાની જરુર નથી લાગતી કસોટ ના ય ખાનદાની અટકાવે છે, બાકી એકેય સ્ત્રીને ન છોડું.' આવી માનસિક હાલત ખરી ? જાતને ગંભીરતાથી ચકાસવા જેવી છે. પાપપ્રવૃત્તિ કરતાંય પાપની વૃત્તિ ભયંકર છે, તે ન ભૂલવું. સી જી . સાધુજીવન જો બ્રહ્મચર્યના પાલન માટે છે, તો ગૃહસ્થજીવન કાંઇ બેફામ જીવન જીવવા માટે નથી. તે પણ બ્રહ્મચર્યની નેટ પ્રેકટીસ માટે છે. મર્યાદા લાવતાં લાવતાં, સંયમિત બનતાં બનતાં એક દિવસ સંયમજીવન સ્વીકારવાનું સામર્થ્ય પામવાનું છે. 619 19 foste તમારો કોઇ મિત્ર કહે કે મારી સાથે ભાગીદારીમાં ધંધો કરો. તમારે મુડી નહિ રોકવાની. કામ નહિ કરવાનું. માત્ર સવારે અને સાંજે ૧૦-૧૦ મિનિટ સમય આપવાનો. નુકશાનમાં તમારો ભાગ નહિ, કારણકે નુકશાન થવાનું જ નથી; નફામાં પૂરેપૂરો ભાગ, તો કોણ આવી ભાગીદારીમાં જોડાવા ન ઇચ્છે ? બોલો, તમારે જોડાવું છે ? પરમાત્મા આપણને કહે છે કે રોજ ૧૪ નિયમ ધારો. સવારે અને સાંજે તત્વઝરણું ૩૦
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy