SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણક છે. તેથી તે મહાપર્વને ખાવા-પીવાના જલસા કરીને કે હરવા ફરવાનું સ્વરૂપ આપીને મિથ્યાત્વના સ્થાનરૂપ તહેવારરૂપે મનાવીશ નહીં. આગાર (છૂટ) : કૂળદેવીને તથા સર્પદંશ, દેવતાઈ ઉપદ્રવ, મરણનું સંકટ, મહારોગ, ઘણાનો આગ્રહ વગેરે કારણોસર અન્ય કુદેવાદિને નમસ્કારવગેરે કરવા પડે તો છૂટ. (નમસ્કાર, માનતા વગેરે ગૌરવ, ભક્તિ કે આરાધનાદિની બુદ્ધિથી કરવા નહીં. ફક્ત દ્રવ્યથી ન છૂટકે કરવા પડે છે માટે કરવા.) વાંચવા જેવું... ૯) તીર્થકર ભગવંતોએ પ્રરુપેલ આત્મહિતકર જિનધર્મનો હું ‘સુધર્મ’ તરીકે સ્વીકાર કરું છું. તે સિવાયના લૌકિક ધર્મો-તહેવારો વગેરેને સુધર્મ તરીકે હું માનીશ નહીં. ૧૦) રોજ ૧ બાંધી માળા ગણીશ અથવા ૧૦૮ નવકાર મંત્રનો જાપ કરીશ. (નહીં ગણાય તો પછીના દિવસોમાં વાળી આપીશ.) ૧૧) મહિનામાં ......... દિવસ નવકારશી કરીશ, છેવટે મુઠસી તો કરીશ જ. ૧૨) મહિનામાં ......... દિવસ રાત્રિભોજનનો ત્યાગ કરીશ. (છૂટના દિવસોમાં પણ હોટલ-લારી ઉપર ખાવું નહીં તથા રાત્રે ૧ વખત જમ્યા પછી જમવું નહીં, વગેરે રીતે પાપની મર્યાદા બાંધવી.) ૧૩) મહિનામાં...... દિવસ પાણી ઊકાળેલું પીશ અથવા કાચા પાણીનો ત્યાગ રાખીશ. ૧૪) મહિનામાં ..... વખત વાપર્યા પછી થાળી વગેરે ધોઈ, પાણી પીને રૂમાલથી કોરા કરી લઈશ. ૧૫) દીક્ષા લેવાના ભાવ રાખું છું અથવાદીક્ષા ન લેવાય ત્યાં સુધી.......... ....... વસ્તુનો ત્યાગ. ૧૬) કોઈની પણ દીશામાં અંતરાય કરીશ નહીં, પરંતુ સહકાર આપીશ. ૧૭) વાર્ષિક નફામાંથી ......... જ ધર્મમાર્ગે વાપરીશ. ૧૮) શાસન રક્ષક સભ્યદૃષ્ટિ દેવ-દેવીઓને પ્રણામ, તિલક વગેરે અનુકળતા-ઉલ્લાસ મુજબ થશે તો કરીશ, પરંતુ તેમનો નવ અંગે પૂજા, ખમાસમણ વગેરે રૂપ અનુચિત વ્યવહાર કરીશ નહીં. અન્ય મંદિરોમાં જવું, બાવા-સંન્યાસીઓ, તાંત્રિકો વગેરે પાસે જવું, માનતાઓ માનવી, હોળી, બળેવ, ગણપતિ વિસર્જન, નવરાત્રિના ગરબા વગેરે તહેવારોમાં ભાગ લઈશ નહીં. (સમ્યકત્વ સ્વીકારનારા શ્રાવકોએ આ બધાનો ત્યાગ કરવો જરૂરી છે.) ૨૦) દિવાળી મહાપર્વ છે. તરણતારણહાર પરમાત્મા મહાવીર દેવનું નિર્વાણ સમકિત-મૂલ-બાર વ્રત (૭ ૧૨૪ અતિચાર સભ્યતા એટલે . સુદેવ, સુગુરુ અને સુધર્મ પરની અડગ શ્રદ્ધા એટલે સમ્યગ્ગદર્શન. પરમાત્માના તમામ વચનો ઉપર પૂર્ણ વિશ્વાસ તેનું નામ સમ્યદર્શન. શ્લોક : દ્ધિતો જ ટેવો, નવજીવં સુલાતૂળો ગુરુ जिण-पन्नत्तं तत्तं, ईअ सम्मत्तं मए गहिअं॥ અર્થ : અરિહંત પરમાત્મા જ મારા દેવ છે, સુસાધુઓ જ મારા ગુરુ છે અને જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ (કહેલ) તત્ત્વ એ મારો ધર્મ છે. આવું સમ્યકત્વ આખી જીંદગી માટે મેં ગ્રહણ કર્યું છે. શ્લોકઃ સર્વત-ટોણ-રહિશો તેવો, ઘમો વિનિકા-રા-દિગો લિ સંખયારી, ગામ-રાઈ-વિરમો . અર્થ: રાગ, દ્વેષ, કામ, ક્રોધ, અહંકાર, હાસ્ય વગેરે અઢાર દોષ વિનાના છે તે દેવ (ભગવાન) છે, નિપુણ (સૂક્ષ્મ અને સ્યાદ્વાદથી પૂર્ણ) દયા સહિત છે તે ધર્મ છે અને આરંભ, પરિગ્રહથી મુક્ત બ્રહ્મચારી સાધુઓ છે તે સુગુરુ છે. ટુંકમાં-તરણતારણમ્હાર વીતરાગી અરિહંત પ્રભુને જ ભગવાન તરીકે માનવાપૂજવા. તે સિવાયના દેવ-દેવીઓને ભગવાન તરીકે માનવા-પૂજવા નહિ. પરમાત્માએ બતાવેલ માર્ગને અનુસરનારા પંચમહાવ્રતધારી સાધુઓને જ સાધુગુરુ તરીકે માનવા-પૂજવા. તે સિવાયના કહેવાતા સાધુ-સંતો વગેરેને ગુરુ તરીકે માનવા-પૂજવા નહિ. તેમજ તીર્થંકર ભગવંતે જે ધર્મ કહ્યો છે, તેને જ સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર ૧૯)
SR No.008988
Book TitleSamkit Mul 12 Vrat 124 Atichar
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherMalaykirtivijayji
Publication Year
Total Pages37
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy