SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાન્તિ, મહત્ત્વની વાત એ છે કે વિપણને સમજાવવાથી એ સમજી શકે એમ નથી. હું એને કોરા કાગળ ઉપર લખી આપું કે “મારે રાજ્ય જોઈતું નથી, મારે રાજા થવું નથી...” તો પણ એનો મારા પ્રત્યેનો રોષ, મારા ઉપરનું વેર દૂર થઈ શકે એમ નથી. આ ક્રૂર કર્મનો જ દોષ લાગે છે મને. અને આ કારણે પિતાજી વિષેણને દેશવટો આપશે તો વિષેણ રાજ્યમાં ઉપદ્રવ કર્યા વિના નહીં રહે. બીજી બાજુ એને ફાંસી મળે કે એને શૂળી ચઢાવવામાં આવે, એ હું પસંદ નહીં કરું, એમ થવા પણ નહીં દઉં.' કુમાર મન થર્યો. શાન્તિમતી પણ મૌન થઈ ગઈ. બંને ગંભીર વિચારોમાં ડૂબી ગયાં. શાન્તિમતીએ મૌન તોડતા કહ્યું. ‘સ્વામી, આજે જ નિર્ણય કરવો છે કે...' આજે જ નિર્ણય કરવો છે અને આજે જ અજ્ઞાત જગ્યાએ ચાલ્યા જવાનો અવસર છે. બસ, હજુ એક પ્રશ્ન છે.' મને સાથે લઈ જવી કે ના લઈ જવી. આ પ્રશ્ન છે ને?” પત્તિ, તેં મારું મન વાંચી લીધું?” આટલો સમય આપની પાસે રહી, આપના વિચારોને જાણતી રહી, હવે ન વાંચી શકું આપનું મન?' “સાચી વાત છે તારી. તને વનવાસમાં રાખવામાં ઘણાં કષ્ટો આવે. વનવાસ એટલે કષ્ટોનું જીવન, તેં અત્યાર સુધીના જીવનમાં એક કષ્ટ પણ સહ્યું નથી; માટે જો તું અહીં ચંપામાં રહેવા માગતી હોય તો માતાજી પાસે રહી શકે છે. તારે રાજપુર તારા પિતૃગૃહે જવું હોય તો ત્યાં રહી શકે છે.” “એ ના બની શકે, નાથ, હું તમારી સાથે જ રહેવા ઈચ્છું છું. હા, મારા કારણે આપનું મન અશાન્ત ન રહેવું જોઈએ. બાકી હું મારાં કષ્ટોની ક્યારેય આપને ફરિયાદ નહીં કરું. આપને વિનભૂત નહીં બને.” - કુમાર વિચારમાં પડી ગયો. શાન્તિમતીને ના ન પાડી શક્યો. તેણે શાત્તિમતીને કહ્યું: “આપણે રથના સારથિને કહી આવીએ કે તે નગરમાં જઈને, મહારાજા અને મહારાણીને કહી આવે કે “આપણે અહીં જ રાત પસાર કરીશું. જેથી આપણી ચિંતા ના કરે.' સારથીને કહી દીધું. સારથિએ કહ્યું: “સમાચાર આપીને, રાત્રિના પહેલાં પ્રહરમાં હું પાછો આવી જઈશ.” ચોતરફ અંધકાર હતો. ચંપાવાસ જવાનો રસ્તો ખાસો અટપટો ન હતો. બે-ત્રણ વાર ઘોડા પર કુમાર પ્રીતમસિંહ સાથે ચંપાવાસ ગયો હતો. ઝાડી અને નાનકડા ટીંબાઓથી મઢેલા ખરાબા વચ્ચેથી જતો એ રસ્તો, આમ તો પગવાટ જ કહી શ્રી સમરાદિત્ય મહાકથા ૧૦૬૩ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy