SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાત હસી કાઢવા જેવી નથી. હું કંઈ કુમારની પ્રશંસા નથી કરતો, પણ એની શક્તિને સમજી તો લેવી જ જોઈએ.' વિષેણે શરદ સામે જોયું. વિષેણ બોલ્યો: ‘તમે લોકો સેનકુમારનો વાળ પણ વાંકો નહી કરી શકો. હવે તમારે કંઈ કરવાનું નથી.' ‘મહારાજકુમાર, મારા કહેવાનું તાત્પર્ય...’ શરદની વાત વચ્ચેથી કાપી નાખીને વિષેણે કહ્યું: ‘તારું તાત્પર્ય હું સમજી ગયો. સેનકુમારની દિવ્યશક્તિને પહોંચી વળવાનું તમારું ગજું નથી. હવે હું જાતે એ કામ કરીશ.' વિષેણકુમાર યુદ્ધકુશળ હતો. બુદ્ધિમાન હતો, પરંતુ એનાં બળ અને બુદ્ધિ સેનકુમારનો વધ કરવા માટે જ કામે લગાડ્યાં હતાં. સેનકુમાર એને જરાય ગમતો ન હતો. સેનકુમારની પ્રશંસા એને ગમતી ન હતી. બે બે વાર એની યોજના (સેનકુમારને મારવાની) નિષ્ફળ ગઈ હતી. એક વખત પ્રીતમસિંહે વિષેણના મિત્રોને ખોખરા કરી નાખ્યાં હતાં. બીજી વખત કુમારે સ્વયં વિષેણના માણસોને ભૂશરણ કરી દીધા હતા. હારેલા ને પકડાયેલા માણસોએ વિષેણની આગળ સેનકુમારની શક્તિની, સ્ફૂર્તિની અને યુદ્ધકળાની ભારોભાર પ્રશંસા કરી હતી. વિષેણ એ સાંભળીને, ગુસ્સે થયો હતો. ‘તમે લોકો કાયર છો, તમે એને મારી ન શક્યા એ માટે એની પ્રશંસા કરો છો. ચાલ્યા જાઓ અહીંથી. મારે એની પ્રશંસા સાંભળવી નથી.’ એ ઊભો થઈને, એના ખંડમાં આંટા મારવા લાગતો. એ યુવાન હતો. શક્તિશાળી હતો, પરંતુ રાજ્યમાં એને કોઈ કામ ન હતું; અને યુવાન માણસ નવરો હોય, જવાબદારી વિનાનો હોય એટલે એને ખોટાં કામ સૂઝે! વળી આ વિષેણમાં તો યુવાની, શક્તિ અને સત્તા-ત્રણ વાતો મળી હતી, એટલે એ ઉન્મત્ત બન્યો હતો. ક્યારેક ક્યારેક એ પ્રજાને પણ રંજાડતો હતો. છતાં મહારાજા એને કંઈ કહેતા ન હતાં, મહામંત્રી કોઈ માર્ગ કાઢીને, પ્રજાજનોને સંભાળી લેતાં હતાં. અત્યંત રોષમાં માણસ જે કામ કરે છે, તેમાં કોઈ ને કોઈ ભૂલ કરી નાખે છે. ♦ મહારાજા હરિષણ અને મહારાણી તા૨પ્રભાનાં ચરણે નમસ્કાર કરીને, વિષેણ ગર્યા તે પછી સેનકુમાર આશ્વસ્ત બન્યો હતો. તે નિર્ભયતાથી શાન્તિમતી સાથે નગરના બાહ્ય પ્રદેશમાં ફરતો હતો. જોકે પ્રીતમસિંહ, કુમારને ખબર ના પડે રીતે, કુમારનું ધ્યાન રાખતો હતો. છતાં જ્યારે કુમારની સાથે શાન્તિમતી રહેતી ત્યારે સિંહ થોડે દૂર રહેતો હતો. સિંહને વિષેણનો જરાય વિશ્વાસ ન હતો, એ તો વિષેણને વિષધર જ કહેતો. રાણી શાન્તિમતી પણ વિષેણને વિષધર જ માનતી હતી. ઉદ્યાનમાં કુમાર પર વિષેણના માણસોએ હુમલો કર્યો, તે પછી શાન્તિમતીના ભાગ-૩ ગ્ન ભવ સાતમો ૧૦lls For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy