________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ પ્રયોજન ન હતું. લોકો તો ઠીક, મારો તો નિર્ણય છે કે વિષેણ આપની પાછળ પડી ગયો છે. મહારાજકુમાર, આપ ભલે માનો કે ન માનો.”
ખેર, આ દુર્ઘટનામાં હું નિમિત્ત બન્યો છું!' આ વાત ચાલતી હતી ને દાસી બોલાવવા આવી.
મહારાણીએ કહ્યું: ‘સિંહ, બધી વાત પછી કરીશું. પહેલાં તું સેનકુમારના ઘાની ચિંતા કર. એને સુવાડી દે. પેલી શાન્તિમતીએ તો પોક મૂકી હશે. મારે એને સંભાળવી પડશે.” મહારાણીએ મહારાજની સામે જોયું.
વિષે ખરેખર વિષધર છે. અકારણ એ સેનકુમાર પર દ્વેષ-ઈર્ષા કરી રહ્યો છે. મહારાજા બોલ્યા:
ખરેખર નાથ, કોઈ પૂર્વજન્મનો વેરી જીવ મારી કૂખે આવ્યો છે. મને તો એ દીઠો ગમતો નથી. એ દુષ્ટ છે. તમે એને દેશનિકાલની સજા ફટકારી દો. ભલે, વન વન ભટકે. ભલે, જંગલી પશુઓ એને ભક્ષ્ય બનાવે. પુત્ર હોય તેથી શું, અકારણ એ પોતાના ભાઈને મારી નાખવાનું ષડયંત્ર રચે, તે કેમ ચલાવી લેવાય?
મહારાણી, તમારી ભાવના હું જાણું છું. પરંતુ મારા હાથ ત્યારે હેઠા પડે છે જ્યારે સેનકુમાર વિષેણનો પક્ષ લઈને, એને સજા નહીં કરવાનો આગ્રહ કરે છે. હું એના આગ્રહ આગળ મારો આગ્રહ જતો કરું છું.'
હે નાથ, ખરેખર સેનકુમાર અપરાધીને પણ ક્ષમા આપનાર મહાત્મા પુરુષ છે. એ અપરાધીને પણ દુઃખ આપી શકતો નથી, સજા કરી શકતો નથી. હત્યારાઓએ વિવેણનું નામ આપ્યું. વિષેણના બીજા મિત્રોએ પણ કબૂલ કર્યું, છતાં સેનકુમાર માનવા જ તૈયાર નથી! ખેર, આપણે કુમારના મનને દુભાવવું નથી. આપણો વિષેણ ઉપર વધારે ધ્યાન રાખવું પડશે!”
માતાજી હવે, આપ ચિંતા ના કરો. હવે તો આ સિંહ કુમારનો પડછાયો બનીને જીવશે. વિષણકુમારની પળપળની વાતો પર મારા સાથીદારો ધ્યાન રાખશે. હવે હું કુમાર પાસે જાઉં છું.”
સિંહ કુમાર પાસે ગયો; ત્યાં કુમાર શાન્તિમતીને આશ્વાસન આપી રહ્યો હતો. સિહે પ્રણામ કરીને કહ્યું:
મહારાજ કુમાર, હું મહેલમાં જ છું. મોટા ભાગે મહેલના દ્વારે જ છું.’ સિંહ ગયો. કુમારે શાન્તિમતીને કહ્યું:
“દેવી, આ સિંહ મારો પડછાયો છે. એ તો હતો નહીં ત્યારે... નહીંતર એ ચારે બાવાઓને યમલોકે પહોંચાડી દેત, આ સિંહ! સારું થયું તે ન હતો.' શું સારું થયું બેટા! સિંહ હાજર નહોતો, એ સારું થયું શું?” મહારાણીએ
૧0પ0
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only