SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Depon ગિરિયેણ અશોકમુનિની ભીંસમાંથી છૂટવા તરફડવાં લાગ્યો. અશોકમુનિએ ગિરિર્ષણના હાથમાંથી છરી છોડાવી દીધી. છરી જમીન પર પડી... અવાજ થયો. સમરાદિત્ય જાગી ગયાં. ‘શું છે અશોકમુનિ ?’ સમરાદિત્યે પૂછ્યું. એ પહેલાં તો ગિરિષણને બારણા તરફ ધકેલી દીધો હતો. ગિરિષણ જીવ લઈને નાઠો હતો. ‘એ તો એક દુષ્ટ જણ આવેલો, એના હાથમાં છરી હતી... મને લાગ્યું કે કોઈના ૫૨ ઘા કરી બેસશે... છરી એના હાથમાંથી છોડાવીને, કાઢી મૂક્યો...' અશોકમુનિએ સ્પષ્ટતા કરી. સમરાદિત્ય મૌન રહ્યાં. સંથારામાં બેઠા રહ્યાં. ‘અશોકમુનિ, હવે તમે અલ્પ નિદ્રા લઈ લો. હું જાગીશ. આમેય મારો ઊઠવાનો સમય થઈ ગયો છે. હું હવે આત્મધ્યાનમાં પ્રવૃત્ત થઈશ.’ ‘અશોકમુનિ પોતાના સંથારામાં જઈને સૂતાં કે મુનિ લલિતાંગ જાગીને બેઠા થયાં. મુનિ કાાંકુર પણ જાગી ગયા હતાં. મહર્ષિ સમરાદિત્ય આત્મચિંતનમાં પ્રવૃત્ત થયાં. ‘શ્રમણજીવનમાં પણ વર્ષો વીતી ગયાં... હજુ મારો આત્મા પર અનંત અનંત કર્મો રહેલાં છે. એ કર્મોને ક્ષય કર્યા વિના, મારી મુક્તિ થવાની નથી. યૌવન ચાલ્યું ગયું... પ્રૌઢાવસ્થા આવી ગઈ... હવે સ્વાત્મકલ્યાણ માટે, કર્મક્ષય માટે વિશિષ્ટ ધ્યાન કરું! કાયોત્સર્ગ-ધ્યાન કરું, આત્મા અને શરીરનું ભેદજ્ઞાન પ્રાપ્ત કરું, શરીરનું મમત્વ પૂર્ણપણે ત્યજી દઉં... શરીર પર ગમે તેટલા ઉપસર્ગ આવે... મારો આત્મા જરાય વિચલિત ન થવો જોઈએ... શરીરનું જે થવું હોય તે થાય. હું શ૨ી૨૨ક્ષા માટે કોઈ જ ઉપાય નહીં કરું... હવે હું ઉત્તરસાધક તરીકે, કોઈ મુનિને સાથે નહીં લઈ જાઉં... શા માટે ઉત્ત૨સાધક જોઈએ? હું ઇચ્છું છું કે આ શરીર પર ઉપસર્ગ આવે, શરીર પર કષ્ટ આવે... એ સમયે હું આત્મધ્યાનમાં નિશ્ચલ રહું... જરાય વિચલિત થાઉં નહીં. હવે મારે પ્રબળ ધ્યાનાગ્નિ પેટાવી, અનંત અનંત કર્મોને બાળવાં છે...' ચિંતન કરતાં કરતાં, તેઓ વિશુદ્ધ આત્મસ્વરૂપમાં લીન થઈ ગયાં. દેહાધ્યાસ છૂટી ગયો. વિશુદ્ધ આત્મતત્ત્વ સાથે તાદાત્મ્ય સધાઈ ગયું. ક્યારે પ્રભાત થઈ ગયું, ખબર જ ના પડી. પ્રાભાતિક આવશ્યક ક્રિયાઓ કરી, સર્વે મુનિવરો વિહાર કરવા તૈયાર થયાં. મહર્ષિ સમરાદિત્ય પણ તૈયાર હતાં. મુનિવૃંદ સાથે તેઓએ પ્રયાણ કર્યું. આજે શ્રી સમરાદિત્ય મહાકા ૧૪૪૭ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy