________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવંત, પોતાનું નામ મહર્ષિના મુખે સાંભળી, ચિંતામણિ ભાવવિભોર થઈ ગઈ. તેનાં રોમરોમ ખીલી ઊઠ્યાં. તેની આંખો હર્ષનાં આંસુથી ઊભરાઈ ગઈ..
ભદ્ર, તારી ઇચ્છા પૂર્ણ થશે. એક ઘટિકાપર્યત ધર્મોપદેશ આપીને, પછી અમે નગરમાં જઈશું...”
હે ભગવંત, આપે મારા પર મહાન કૃપા કરી.”
ભદ્ર, આ તો અમારું કર્તવ્ય છે... યોગ્ય આત્માને ધર્મનો ઉપદેશ આપી, એને સન્માર્ગ બતાવવો.”
પ્રભો, શું હું યોગ્ય છું ધર્મોપદેશ શ્રવણ કરવા માટે ?' હા, તું યોગ્ય છે. અવશ્ય યોગ્ય છે, તારામાં ઘણી યોગ્યતા છે.' “ભગવન, આપે મને મારા નામથી સંબોધી, એટલે આપ મને જાણો છો, મારા વ્યવસાયથી મને જાણો છો... છતાં આપ મને ધર્મોપદેશ માટે યોગ્ય માનો છો?'
ભદ્ર, યોગ્યતા બાહ્ય ક્રિયાઓ પર આધારિત નથી હોતી. યોગ્યતાનો સંબંધ આંતરિક સ્થિતિ સાથે છે... તારા હૃદયને હું જાણું છું.. જોઉં છું.”
એ કેવી રીતે? ભગવંત.' અવધિજ્ઞાનના પ્રકાશથી.' “અવધિજ્ઞાન!”
અશોકમુનિ બોલ્યા: “હે સૌમ્ય, મહર્ષિ ગુરુદેવ ત્રિકાળજ્ઞાની છે, અન્તર્યામી છે. તેઓ આપણા મનને જાણી લે છે..”
ભદ્ર...' સમરાદિત્ય બોલ્યાં. ભગવંત.” ‘તારું મન સંસારના વૈષયિક સુખો પર વિરક્ત બન્યું છે. અને તું...” આપના ચરણે જીવન સમર્પિત કરવું છે...” તું સંસારનો સર્વ ત્યાગ કરીશ? ચિંતામણિ.' યથાર્થ કથન છે આપનું
તું સંયમધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરીને, તારાં પાપોને બાળી નાખીશ. તારો આત્મા વિશુદ્ધ બનશે... તારો આત્મા ઊર્ધ્વગામી બનશે.'
હરણોનું ટોળું ભેગું થઈ ગયું હતું. સસલાંઓ મહર્ષિનાં ચરણોમાં બેસી ગયાં હતાં...
* ઇ શક
૧૪80
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only