SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકારની બ્રહ્મગુપ્તિ, ૩ જ્ઞાનાદિ, ૧૨ પ્રકારનો તપ અને ૪ ક્રોધાદિનો નિગ્રહ. કુલ ૭) પ્રકાર થયા. સર્વપ્રથમ પાંચ મહાવ્રત સમજાવું છું. પહેલું વ્રત છે, પ્રાણી વધથી વિરતિ. ત્રસ અને સ્થાવર જીવોને અજ્ઞાનથી, સંશયથી, વિપર્યયથી, વેષથી, સ્મૃતિભ્રંશથી, યોગદુષ્મણિધાનથી, રોગથી અને ધર્મના અનાદરથી વધ કરવો, તે પ્રાણીવધ કહેવાય. તેનાથી વિરતિ’ કરવાની છે. અર્થાતું, સમ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક હિંસાથી-વધથી નિવૃત્ત થવાનું છે. બીજું વ્રત છે, મૃષાભાષણ વિરતિ. મૃષાભાષણ એટલે પ્રિય, પથ્ય અને તથ્ય વચનનો પરિહાર, આ જ મૃષાવાદ છે. એનાથી વિરતિ પામવાની છે. ભદંત, પ્રિય, પથ્ય અને તથ્ય વચનની પરિભાષા શું છે?' મુખ્ય શિષ્ય મોહજિતે પૂછ્યું. વત્સ, જે વચન સાંભળતાં વેંત જ પ્રિય લાગે, તે વચન પ્રિય કહેવાય. જે વચન પરિણામે હિતકારી હોય તે પથ્ય કહેવાય, અને જે સાચું હોય તે તથ્ય કહેવાય. હે દેવાનુપ્રિયો, વચન સાચું હોવા છતાં વ્યવહારની અપેક્ષાએ અપ્રિય ન હોવું જોઈએ. વચન સાચું હોવા છતાં સ્વ-પરને અહિતકારી ના જોઈએ. ત્રીજું વ્રત છે, અદત્તાદાન વિરતિ. કોઈ પણ વસ્તુ એના સ્વામીની-માલિકની રજા વિના લેવી, તે અદત્તાદાન કહેવાય. તે અદત્ત ચાર પ્રકારનું હોય છે. ૧. સ્વામી અદત્ત, ૨. જીવ અદત્ત, ૩. તીર્થકર અદત્ત, ૪, ગુરુ અદત્ત. પાટ-પાટલા વગેરે એના માલિકની રજા વિના લેવા. જે મનુષ્યની પોતાની ઇચ્છા વિના, એ મનુષ્યને દીક્ષા આપવી અથવા બીજી કોઈ સજીવ વસ્તુ ગ્રહણ કરવી. આ તીર્થકર ભગવંતે જે ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે, તે ગ્રહણ કરવું. વિના વિશિષ્ટ કારણ આધાકર્માદિ ભિક્ષા લેવી વગેરે. ગુરુની આજ્ઞા વિના, કંઈ પણ ગ્રહણ કરવું. આ ચારે પ્રકારનું અદત્ત ગ્રહણ નથી કરવાનું. ચોથું વ્રત છે, મૈથુન વિરતિ. ૧૫૮ ભાગ-૩ ૪ ભવ નવમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy