SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એક કાળચક્ર ૨૦ કોડાકોડી સાગરોપમ-કાળનું હોય છે. તે કાળચક્રના મુખ્ય બે ભાગ હોય છે, ૧. ઉત્સર્પિણી, ૨. અવસર્પિણી, બંનેનો કાળ ૧૦ કોડાકોડી સાગરોપમનો હોય છે. * ઉત્સર્પિણી તથા અવસર્પિણીની છ-છ પ્રકારની કાળપ્રરૂપણા કહેવામાં આવી છે: ૧. સુષમાસુષમા, ૨. સુષમા, ૩. સુષમદુષમા, ૪. દુમસુષમા, ૫. દુષમા અને ૯. દુષમાદુષમા. આને ‘છ આરા’ કહેવામાં આવે છે. હવે આ આરાઓનું કાળમાન બતાવું છું, તે તું એકાગ્રતાથી સાંભળ - * પહેલો સુષમાકાળ ચાર કોડાકોડી સાગરોપમનો હોય છે. * બીજો સુષમાકાળ ત્રણ કોડાકોડી સાગરોપમનો હોય છે. * ત્રીજો સુષમદુષમાકાળ બે કોડાકોડી સાગરોપમનો હોય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * ચોથો દુષમ-સુષમાકાળ ૪૨ હજાર વર્ષ ન્યૂન એવા એક સાગરોપમ કોડાકોડી વર્ષનો હોય છે. * પાંચમો દુષમાકાળ ૨૧ હજાર વર્ષનો હોય છે. * છઠ્ઠો દુષમ-દુષમાકાળ પણ ૨૧ હજાર વર્ષનો હોય છે. રાજા પ્રસન્નચંદ્રે પ્રશ્ન કર્યો: ‘ભગવંત, દરેક કાળમાં જીવોનાં આયુષ્ય, શરીરનાં પ્રમાણ વગેરે એકસરખાં હોય છે કે ઓછાંવત્તાં હોય છે?' ‘મહાનુભાવ, પહેલા આરાના પ્રારંભકાળમાં જીવો ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા હોય છે. તેમનું શરીર ત્રણ ગાઉનું હોય છે. તેઓને ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષો પાસેથી ઉપભોગ-પરિભોગની સામગ્રી વિના પરિશ્રમે પ્રાપ્ત થાય છે.’ ‘ભગવંત, એ ૧૦ કલ્પવૃક્ષોનાં નામ બતાવવા કૃપા કરશો?’ ૧. મત્સંગક. ૨. ભૂંગ. ૩. તૂર્ટીંગ, ૪. દીપ, ૫. જ્યોતિ, ૬. છત્રાંગ, ૭. ચિત્રરસ, ૮. મણિતાંગ, ૯. ગેહાકાર, ૧૦. અનગ્ન. આ કલ્પવૃક્ષોનાં નામ છે, એમનાં કામ પણ સાંભળી લો. - ૧. મરંગક-કલ્પવૃક્ષ સુખદાયક મધુર પીણાં આપે. ૨. ભૂંગ-કલ્પવૃક્ષ ભાજનો આપે. ૩. સૂર્યંગ-કલ્પવૃક્ષ અનેક પ્રકારનાં વાજિંત્રો આપે. ૪. દીપ-કલ્પવૃક્ષ તેજ આપે. ૫. જ્યોતિ-કલ્પવૃક્ષ સદૈવ પ્રકાશ આપે. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ૧૪૩
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy