SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુવરાજ સમરાદિત્યના રથમાં અઢળક સંપત્તિ ઠલાવાતી જતી હતી અને યુવરાજ નગરજનોને, અથજનોને ઉદારતાથી દાન આપે જતાં હતાં. હજારો નગરવાસી સ્ત્રી-પુરુષો રાજપરિવારને જોઈ, લાખ લાખ ધન્યવાદ આપતાં હતાં.... ને વિસ્મય પામતાં હતાં. અનેક મનુષ્યો, સુંદરીના ગૃહત્યાગને જોઈ, અતિ આશ્ચર્ય પામતાં હતાં અને વિરક્ત બનતાં હતાં. છે અનેક સ્ત્રી-પુરુષો બોધિબીજ પામતાં હતાં. અનેક જીવોનાં ચિત્ત-પરિણામ વિશુદ્ધ બનતાં હતાં. છે લોકો વિપુલ કર્મનિર્જરા કરતાં હતાં. કે દેવલોકમાંથી હજારો દેવો, પૃથ્વી પર ઊતરી પડ્યાં. તેઓએ ચારિત્ર ગ્રહણ કરનારા સહુનાં પૂજન-સત્કાર કર્યો. મહાન અભ્યદય થયો. સમગ્ર ઉજ્જૈની નગરી આનંદના મહાસાગરમાં ગરકાવ થઈ ગઈ. શુભ મુહૂર્તે.આચાર્યશ્રી પ્રભાસે, સહુને ચારિત્રધર્મ પ્રદાન કર્યો... દેવોએ દિવ્ય ધ્વનિ કર્યો, પુષ્પવૃષ્ટિ કરી, જયજયારવ કર્યો. મુનિચંદ્ર રાજાએ આચાર્યદેવની તથા નૂતન ચારિત્રવંતોની ભાવપૂર્વક સ્તવના કરી, પૂજન કર્યું. નગરીનાં સર્વ જિનાયતનોમાં અષ્ટાહ્નિકા મહોત્સવ પ્રવર્તાવ્યો. અમારિ-પ્રવર્તન કરાવ્યું. અન્ય દેશોમાં જ્યાં જ્યાં આ સમાચાર પહોંચ્યા. સર્વત્ર હર્ષ આનંદ અને અનુમોદનાનાં પૂર ઊમટ્યાં... એકમાત્ર ચંડાળ ગિરિષણ આનંદ ન પામ્યો. જનમ જનમ પોતાના શત્રુને મારવાની પ્રતિજ્ઞા કરનાર પેલો અગ્નિશર્મા... આઠમાં ભાવમાં વાનમંતર વિદ્યાધર બનેલો. મરીને તે સાતમી નરકમાં ગયેલો. સાતમી નારકીમાંથી બહાર નીકળી, તે ભિન્ન ભિન્ન તિર્યંચગતિમાં જન્મ્યો ને મર્યો.. ક્રમશઃ એ આ જ ઉજ્જૈની નગરીમાં ત્યારે મનુષ્ય-જન્મ પામ્યો કે જ્યારે રાજમહેલમાં સમરાદિત્યનો જન્મ થયો હતો. ઉજનીનગરીના ચંડાળોના મહોલ્લામાં “ગ્રંથિક' નામનો ચંડાળ રહેતો હતો. તે ચંડાળની યક્ષદેવા નામની પત્ની હતી. એ યક્ષદેવાએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ગિરિષણ પાડવામાં આવ્યું. ગિરિર્ષણ જન્મથી કદરૂપો હતો, જડ બુદ્ધિવાળો હતો, દુઃખી અને દરિદ્ર હતો.. છતાં એના મનમાં યુવરાજ સમરાદિત્ય પ્રત્યે ભયંકર દ્વેષની આગ સળગતી હતી. તે શ્રી સમરાદિત્ય મહાકથા ૧803 For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy