SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પના પણ ન હતી કે બંધુલા મારા પ્રેમમાં પડી હશે... એ મિત્રપત્ની છે. એ મારી પ્રેમિકા ન બની શકે. હું જિનધર્મનો વિશ્વાસઘાત નહીં કરી શકું. એ તો મહાત્મા પુરુષ છે. સંસારમાં રહેલો સાધુ છે. આવા શ્રેષ્ઠ મિત્રને દગો ન જ આપી શકાય... અલબત્ત, બંધુલા રૂપવતી છે, લાવણ્યવતી છે..... મને સમર્પિત થવા તૈયાર છે.... પરંતુ મારા માટે એ વર્જ્ય છે... એનાથી જો બચવું હોય તો મારે એના ઘરે ના જવું જોઈએ.. પરંતુ જો હું એના ઘરે નહીં જાઉં તો જિનધર્મને દુઃખ થશે. એ મને બોલાવવા મારા ઘરે આવશે. મને પૂછશે: “ઘેર કેમ નથી આવતો?” હું એને શો, પ્રત્યુત્તર આપીશ? એટલે ઘેર તો જઈશ, પરંતુ જિનધર્મની હાજરીમાં જ જઈશ...” આવા અનેક વિચારો એને આવ્યા. બીજા દિવસે જ્યારે એ જિનધર્મની હવેલીએ ગયો ત્યારે તેણે બહારથી પૂછ્યું: જિનધર્મ ઘરમાં છે?” છે ઘરમાં, આવો.... પધારો!' બંધુલાના મધુર શબ્દો સંભળાયાં. તેણે ઘરમાં પ્રવેશ કર્યો. બંધુલાએ કહ્યું: “આજે તમારા મિત્ર અંદરના ખંડમાં ધ્યાનમાં લીન બનીને બેઠા છે, તમે પણ એમની પાસે જ ધ્યાનમાં બેસી જાઓ.' ધનદત્તને અંદરના ખંડ તરફ મોકલીને, બંધુલાએ મુખ્ય દ્વાર અંદરથી બંધ કરી દીધું. અને તે ઝડપથી અંદરના ખંડ તરફ ચાલી. ધનદત્તે અંદરના ખંડમાં જઈને જોયું તો ખંડ ખાલી હતો. માત્ર એક પલંગ બિછાવેલો હતો. તે ઝડપથી ખંડની બહાર નીકળવા ગયો ત્યાં દરવાજામાં જ બંધુલા ઊભી હતી. તેની આંખોમાં કાજળ આંજેલું હતું. તેના પગમાં ઝાંઝર હતાં. તેના કટિપ્રદેશે સ્વર્ણમેખલા લટકતી હતી.... તે વિષયવાસનાથી હાંફતી હતી. આજે તને એમ ને એમ નહીં જવા દઉં. આજે મને પ્રેમવારિ પાઈને જ જવાનું છે... ધનદત્ત, હું તને ચાહું છું, ખૂબ ચાહું છું...” અને તે ધનદત્તને લપેટાઈ ગઈ. જેમ થાંભલા પર વેલ વીંટળાઈ જાય તેમ.. ધનદત્તના સંયમનાં બંધન તૂટી પડ્યાં. છતાં થોડી ક્ષણો પછી ધનદત્ત બંધુલાના બાહુપાશમાંથી છૂટયો, ને સીધો પોતાના ઘરે પહોંચી ગયો... પરંતુ એના શરીરમાં વાસનાનો ભડકો થઈ ગયો હતો. તેને બંધુલાનો સ્પર્શ ગમી ગયો હતો. તેના વિવેક પર મહામોહનું આવરણ છવાઈ ગયું. અને એક દિવસે તેણે બંધુલાનું, એક અવાવર ઘરમાં અપાયેલું રાતભરનું આમંત્રણ સ્વીકારી લીધું. બંધુલા, સ્વામીનાથ હું આજે કોઈ શુન્યઘરમાં સંપૂર્ણ રાત્રિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો રહીશ.. આજે શ્રેષ્ઠ આત્મધ્યાનમાં લીન થવું છે.' ૧૩૮ ભાગ-૩ ૪ ભવ નવમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy