________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.' પ્રતિહારી જવા માટે પગ ઉપાડે છે, ત્યાં જ કુમારે મહારાજાને કહ્યું:
“પિતાજી, નજીકમાં જ પુરંદરદત્ત બ્રાહ્મણનું ઘર છે. તે ઘરમાંથી આ રુદનનો અવાજ આવે છે.”
કારણ?” “સંસારની માયાજાળ!” “વત્સ, વાત સમજાઈ નહીં....' ‘પુરંદરદત્ત અધમૂઓ થઈને પડ્યો છે.' પરંતુ અહીં આવવા પૂર્વે તો મેં એને જોયો છે.” પિતાજી, સંસારનો દરેક જીવ “મૃત્યુ' ના સ્વભાવવાળો છે.” “વત્સ, એ પુરંદર બ્રાહ્મણને કોઈ રોગ કે વ્યાધિ તો ન હતો... તો પછી એ મૃત્યુ કેવી રીતે પામ્યો?”
પિતાજી, આ દુર્ઘટના અત્યંત ધૃણાસ્પદ છે.”
“વત્સ, આ સંસાર જ એવો છે. એમાં શું ધૃણાસ્પદ નથી? પરંતુ મારા મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે કે એ પુરંદરના ઘરમાં એવી કેવી ધૃણાસ્પદ ઘટના બની છે હે વત્સ, તું જે વાત કહીશ, તે ગુપ્ત રહેશે, બહાર નહીં જાય. સર્જનોને કહેલી ગુપ્ત વાત બહાર પ્રચાર પામતી નથી. છતાં કુમારને જે યોગ્ય લાગે તેમ જ કરવાનું. મારો દુરાગ્રહ નથી.'
પિતાજી, આપ આ પ્રમાણે ન કહો. જો પુરંદરની ઘટના જાણવાનો આપનો આગ્રહ છે તો કહું છું કે એ પુરંદરની પત્ની નર્મદાએ પુરંદર પર “વિષપ્રયોગ' કરેલો છે. તેને ઝેર ખવડાવી દીધું છે. એના કારણે પુરંદર મૃત્યુની નજીક છે. આપ હમણાં જ વિષનાશ કરનાર વૈદ્યોને એના ઘરે મોકલો. ઔષધ પ્રયોગ કરવાથી, એ બચી જશે.
વળી, તેના ઘરના દરવાજાના નૈઋત્ય ખૂણામાં એ જ નર્મદાએ એક કૂતરાના બચ્ચાને પણ ઝેર ખવડાવીને મરણતોલ કરી દીધું છે. તેનો પણ ઔષધોપચાર કરાવો તે પણ બચી જશે.'
‘કુમાર, અદ્ભુત છે તમારું જ્ઞાન! હું તત્કાલ વિષ ઉતારનાર વૈદ્યોને બોલાવીને, એ પુરંદરના ઘરે મોકલું છું.”
પ્રતિહારીને, વૈદ્યોને પુરંદરના ઘરે લઈ જવાની સૂચના આપી રવાના કર્યો.
મહારાજાએ કુમારને કહ્યું: “હે કુમાર, એ બ્રાહ્મણીને આવો વિષપ્રયોગ કરવાનું શું પ્રયોજન હશે?”
“અવિવેક, પુરંદરદત્તને પોતાની પત્ની ખૂબ વહાલી હતી. પુરંદર એની પત્નીને ખૂબ ચાહતો હતો... પત્નીને ખૂબ પ્રેમ આપતો હતો, છતાં એ બ્રાહ્મણી અતિમોહાંધ શ્રી સમરાદિત્ય મહાકથા.
૧39
For Private And Personal Use Only