SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દેવી મૌન થયાં. રાજાએ વિનયથી પૂછ્યું: ‘હે ભગવતી, આપનો પરિચય આપવા કૃપા કરશો?' દેવીએ કહ્યું: ‘હું ‘સુદર્શના' નામની દેવી છું. હું ખગધારિણી તરીકે ઓળખાઉં છું. તમારા પુત્રની હું ગુણાનુરાગિણી છું, તેથી અહીં તમારા મહેલમાં જ રહું છું.' Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજાએ વિચાર્યું: ‘અહો! કુમારના કેવા ગુણો છે કે તેના પ્રત્યે દેવતાઓ પણ અનુરાગી બને છે!' રાણીનાં રોમરાજી હર્ષથી વિકસિત થયાં. રાણીએ રાજાને કહ્યું: ‘સ્વામીનાથ, કુમારનો આવો દિવ્ય પ્રભાવ છે કે દેવતાઓ પણ તેના ગુણ ગાય છે, માટે ચાલો આપણે તેની પાસે જઈને અને તેના ધર્મદેહનાં દર્શન કરીએ અને એ કુમારે તથા નવવધૂઓએ જે બ્રહ્મચર્યવ્રત લીધું છે, તે વ્રત આપણે પણ ગ્રહણ કરીએ.’ રાજા ક્ષણભર રાણી સામે જોઈ રહ્યા... પછી મનોમન નિર્ણય કરીને બોલ્યા : ‘તમારી વાત મને ગમી, ચાર્લી એમ જ કરીએ...' ભવનદેવી સુદર્શનાને પ્રણામ કરી, રાજા-રાણી કુમાર સમરાદિત્યના શયનખંડ તરફ ગયાં. હજુ કુમારનો વાર્તાલાપ ચાલુ હતો. રાજા-રાણીને શયનખંડમાં પ્રવેશ કરતાં જોઈ, કુમાર વગેરે બધાં જ ઊભા થઈ ગયાં. કુમારે હર્ષિત થઈ, માતા-પિતા માટે બે આસન ગોઠવ્યાં. રાજા-રાણી આસન પર બેઠાં. એટલે કુમારે પ્રણામ કર્યાં. નવવધૂઓએ પણ પ્રણામ કર્યાં. પ્રણામ કરી સહુ નીચે બેસી ગયાં. કુમારે કહ્યું: ‘પિતાજી, આમ અનુચિત કેમ કર્યું? આપ નહીં, તો માતાજી મને બોલાવી શકત ને! હું આપની પાસે આવી જાત... આપે અહીં આવવાનું કષ્ટ કેમ કર્યું?' મહારાજા બોલ્યા: ‘હે કુમાર, અમે અનુચિત નથી કર્યું. ભવનદેવતાએ પ્રગટ થઈને, અમને બધો જ તારો વૃત્તાંત કહ્યો.' રાણી રૂપસુંદરીએ કહ્યું: ‘વત્સ, તું ઉત્તમ ગુણોનો ભંડાર છે. હવે અમારાથી તને આજ્ઞા કરાય નહીં.... ‘હે માતાજી, આપ આમ ના બોલો. તમે મારા ગુરુજનો છો. મારાં શિરછત્ર છો. ગુણવાને ગુરુની આજ્ઞાનો અમલ કરવાનો જ હોય.' 4368 રાજા બોલ્યા: ‘કુમાર, તેં બહુ દુષ્કર કાર્ય કર્યું છે.’ કુમારે કહ્યું: ‘પિતાજી, મેં કોઈ જ દુષ્કર કાર્ય કર્યું નથી. દુષ્કરકારક શું છે ને શું નથી, એ અંગે હું એક નાની ઉપનયકથા કહું છું તે તમે સાંભળો: ભાગ-૩ * ભવ નવમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy