SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાધિ, જરાવસ્થા અને મૃત્યુ અંગેની, એના પર વિચાર તો કરજો. એક દિવસ આપણો પણ વારો આવવાનો છે.' બસ, આટલું કહીને, હું રથમાં જઈન, બેસી ગયો.. ને રથ રાજમહેલ તરફ દોડ્યો...' અશોક, અનાદિકાળથી જીવ વૈષયિક સુખોનો જ અનુરાગી છે... જીવોને વૈપયિક સુખો જ ગમે છે. એ તો પ્રગાઢ કર્મોની નિર્જરા થઈ જાય, મહામોહનો પ્રભાવ ક્ષીણ થાય, ત્યારે જ પારમાર્થિક વાતો મનુષ્યના ગળે ઊતરે છે. જે લોકો આ વાતો ના સમજે... તેમના પ્રત્યે કરુણાભાવનાથી જ વિચાર કરવાનો. એમના પ્રત્યે દ્વેષ કે અણગમો નહીં કરવાનો. પારમાર્થિક તત્ત્વોની અવગણના કરનારાઓ, નિંદા અને અપલાપ કરનારાઓ પ્રત્યે પણ દયાપૂર્ણ હૃદયથી જ વિચાર કરવાનો. એ જીવોની ભાવકરુણા જ વિચારવાની જરાય દ્વેષ નહીં કરવાનો.” મિત્રો સમરાદિત્યની વાત સાંભળી, પ્રમુદિત થયાં. અશોકે કુમારને કહ્યું: મહારાજકુમાર, મને ગઈ કાલે માતાજીએ - મહારાણીએ બોલાવેલો...' “પ્રયોજન?' “કુમારને સમજાવવાનું.' એટલે?' ‘કુમાર લગ્ન કરવાની હા પાડે." “મને માતાએ આ વિષયમાં પૂછ્યું જ નથી.' એનું કારણ છે.” “શું કારણ?” કદાચ તમે ના પાડો તો માતાનું હૃદય દુભાય. અને હા પડાવતાં કદાચ તમારું મન કચવાય. મહારાણી આ બંને વાત નથી ઇચ્છતાં.” અશોક, સંસારમાં લગભગ બધાં જ માતા-પિતા આ વાત ચાહતા હોય છે કે એમનો પુત્ર પરણે. ભલે, પરણ્યા પછી એ સુખી થાય કે દુઃખી થાય.” કુમાર, માતાપિતાની ભાવના તો પુત્રને સુખી કરવાની જ હોય છે. ભલે, પુત્ર પોતાનાં કર્મોના અનુસાર સુખી થાય કે દુઃખી થાય.” અશોક બોલ્યો.. કામાંકર ખડખડાટ હસી પડ્યો.. હસતાં હસતાં બોલ્યો: ઓહો.. આજે પહેલી જ વાર અશોક તત્તવાણી ઉચ્ચારી છે... માટે આજે એના તરફથી પ્રિય ભોજન સમારંભ થવો જોઈએ.' સહુ મિત્રોના હાસ્યથી ખંડ ગુંજી ઊઠ્યો. છે જે ૧3૫૮ ભાગ-૩ + ભવ નવમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy