SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વધારે હરિફેણ સેનકુમારને ચાહે છે. પોતાના પુત્ર વિષેણ કરતાં પણ વધારે...' તો પછી યુવરાજને બોલાવીને, મંત્રીમંડળને બોલાવીને કહી દો . અમે બંને ગૃહત્યાગ કરીને, ચારિત્રધર્મનો સ્વીકાર કરીએ છીએ.” મહારાજાએ યુવરાજ હરિપેણને બોલાવીને, પોતાની ભાવના કહી દીધી. હરિપેણ રડી પડ્યા. મહારાજાએ હરિપેણને શાન્ત કર્યા. હરિપેણ, કુમારસેન તમને સોંપું છું. હવે માતા-પિતા તું જ છે. મહારાજાએ કુમારસેનને કહ્યું : “વત્સ, હવેથી તારા પિતા કહો કે માતા કહો, એ હરિપેણ છે. એમનો વિનય કરજે, એમની મર્યાદા જાળવજે.' કુમારસેન રડી પડ્યો. પિતાને વળગી પડ્યો... મહારાજાએ કુમારને ખૂબ સમજાવ્યો. એના મનનું સમાધાન કર્યું.” વત્સ, અત્યાર સુધી પ્રજાનું કલ્યાણ કર્યું.. હવે ઉંમર જોતાં, આત્માનું કલ્યાણ કરવું જોઈએ, પરલોકનો વિચાર કરવો જ જોઈએ. વળી પ્રજાના યોગક્ષેમની જવાબદારીઓ ઉઠાવનાર યુવરાજ હરિપેણ યોગ્ય છે. ભવિષ્યમાં તમે બે ભાઈઓ સેન-વિષેણ પણ યોગ્ય છો. એટલે મને રાજ્યની કે પ્રજાની જરાય ચિંતા નથી...' ત્યાં ઉઘાનપાલકે પ્રવેશ કરીને, વિનયથી કહ્યું: “મહારાજ, આપના પ્રબળ પુણ્યોદયે, ઉદ્યાનમાં “પુરુષચંદ્ર' નામના મહાન જૈનાચાર્ય શિષ્યપરિવાર સાથે પધાર્યા છે.' રાજાએ ઉદ્યાનપાલકને પ્રીતિદાન આપ્યું અને કહ્યું: “આચાર્ય ભગવંતોનાં દર્શન વંદન કરવા, અમે આવીએ જ છીએ.' ઉદ્યાનપાલક ગયો. મહારાજાએ નગરમાં ઢંઢેરો પિટાવી દીધો. બીજી બાજુ મંત્રીમંડળને બોલાવીને, હરિપેણનો રાજ્યાભિષેક કરવાની તૈયારી કરવા કહી દીધું. શુભ દિવસે હરિષણનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને એ જ શુભ દિવસે મહારાજાએ સપરિવાર નગરજનો સાથે ચારિત્ર સ્વીકાર્યું. ફ ક ૧૦૪ ભાગ-૩ ૪ ભવ સાતમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy