SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2011 લલિતાં, કામાંકુર અને અશોકને એક વાતનો વિશ્વાસ થઈ ગયો હતો: ‘કુમાર સમરાદિત્ય મિત્રોના આગ્રહને વશ થનારો છે. સૌજન્યશીલ છે. તેણે આપણને ત્રણેને મિત્રરૂપે સ્વીકાર્યા છે....' રાજકુમારના ખંડમાં ત્રણ મિત્રો આવીને બેઠાં હતાં. લલિતાંગને જે વાત કરવી હતી, તે વાત કરવાનો મોકો જોતો હતો. ત્યાં અશોકે કહ્યું: મહારાજકુમાર, મારો એક પ્રશ્ન છે...' પૂછો.' આ સંસારમાં સજ્જન પુરુષે મિત્રવત્સલ બનવું જોઈએ કે નહીં?” અશોક, તારો પ્રશન સુંદર છે. હું એનો ઉત્તર આપું છું: આ જગતમાં ત્રણ પ્રકારના મિત્રો હોય છે. ૧. અધમ, ૨. મધ્યમ અને ૩. ઉત્તમ. જ જે મિત્ર ખરેખર સમાન યોગ્યતાવાળો હોય, છતાં જે પોતાને કંઈક અધિક માનતો હોય, જેના મનને પ્રયત્નપૂર્વક સાચવવું પડતું હોય, સંકટના સમયે જે બેવફા બની જાય, તેના પર થયેલા ઉપકારોને જે ભૂલી જતો હોય, દીર્ઘકાલીન મિત્રતાનો ક્ષણવારમાં ત્યાગ કરી દે - આ જઘન્ય મિત્ર કહેવાય. છે જે મિત્ર કોઈ કોઈ વાર મળતો હોય, છતાં જે મિત્રને ખરેખર આત્મીય માનતો હોય, દરેક વિશેષ કાર્યમાં હાજર રહેતો હોય. વગર કહ્યું કે પ્રસંગોપાત્ત ઉપસ્થિત રહી, બધાં કાર્ય કરતો હોય, તેને પર્વના દિવસોમાં કે ઉત્સવના દિવસોમાં જ આમંત્રિત કરી, એને ભોજનાદિથી તૃપ્ત કરવાનો હોય, જે વિશિષ્ટ પ્રસંગોમાં પ્રતિકૂળ ન વર્તે. એને કોઈ સંકટ આવે તો તે તમારી સહાયતાની અપેક્ષા રાખે. તમારી નિંદા ન સાંભળી શકે, નિંદાથી જે મિત્રનું રક્ષણ કરે... પરંતુ તમને સંકટ આવે ત્યારે દૂર ચાલ્યો જાય, મોઢું ફેરવી નાખે – આ મધ્યમ મિત્ર કહેવાય. છે જે મિત્ર તમારા ઘરે કે દુકાને ન આવતો હોય, ક્યારેક રસ્તામાં મળે તો માત્ર “કેમ છો? ઘરમાં બધા કુશળ છો ને?' આટલું જ પૂછે! સુકૃતોમાં તેની રુચિ હોય, સર્વ જીવો પ્રત્યે એના હૃદયમાં મૈત્રીભાવ હોય. એની શક્તિ મુજબ એ તમારું દુઃખ દૂર કરે. તમારી પ્રશંસા કરનાર હોય, તમારી કીર્તિને વધારનાર હોય, જરૂર પડે તમારી સંપત્તિને વધારી આપે! આપત્તિના સમયે એ દૂર ન જાય. તમારા પડખે રહે, તમને સુખી કરવાનો પ્રયત્ન કરે. આ ઉત્તમ મિત્ર કહેવાય. શ્રી સમરાદિત્ય મહાકથા ૧૩3૫ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy