SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir L૨૦૧] 'પ્રભુમેં સબ પતિતનકો ટીકો, ઓર પતિત સબ દિવસ ચારકે. મેં તો જનમ હી કો...” સમરાદિત્યની કોયલને ભુલાવે તેવી કંઠમાધુરી હતી અને સાકરના સ્વાદને ફિક્કો લગાડે તેવી સ્વરમાધુરી હતી. શબ્દ શબ્દમાં આત્માને સાદ દેવાની શક્તિ હતી. આજે ત્રણે મિત્રો પોતાની જાતને ધન્ય માની રહ્યાં હતાં. તેમને ક્ષણભર એમ લાગી ગયું કે આ દુનિયાને છોડી સીમાહીન અનંત પ્રભુ સામ્રાજ્યના પ્રજાજન બનીને બેસી જઈએ. વિલીન થઈ જઈએ, પ્રિય પરમાત્માના પાદારર્વિદમાં.” લલિતાગે કહ્યું: “મહારાજકુમાર, આપની વાણી અમારાં સંતપ્ત હૃદયને પરમ શાંતિ આપે છે. પરંતુ સંસારનો ત્યાગ અમારા માટે અસંભવ છે...' સમરાદિત્યે કહ્યું: “સંસારનો ત્યાગ ન થાય તો સર્વ ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુપ્રીત્યર્થે કરવો. પરમાત્માને જે પ્રિય હોય તેને આપણું પ્રિય કરવું. આપણું પ્રિય પરમાત્માને ધરવું. મનની કામનાઓ જ્યાં સુધી ના છૂટે ત્યાં સુધી યજ્ઞયાગ તથા પૂજાપાઠ વૃથા આપણને શૃંગાર સતાવે છે, કામ સતાવે છે. એનાથી મુક્ત થવા પરમાત્માનું મનમોહન રૂપ જુઓ... એમનો શૃંગાર જુઓ... આપણા કુત્સિત શૃંગારને ત્યજી દો... આપણા પ્રેમાભાસને ઓળખો. શું સુત કે શું દારા, શું પિતા કે શું માતા. આ બધા સ્વાર્થના સંબંધો છે. સાચો સંબંધ પરમાત્માનો છે. સ્વાભાવિક રીતે પરમાત્મા જ સર્વ જીવોના પતિ છે, એ પરમ પતિનાં ચરણે આપણાં સર્વ રાગ-દ્વેષ મૂકી દઈએ. મિત્રો, ભોજન, ચીર, વૈભવ, વિલાસ, ઝૂલા ઉત્સવ.. એ બધું પરમાત્માને અર્પણ કરી દો. પરમાત્માની બાલ્યાવસ્થા, રાજ્યવસ્થા અને શ્રમણ-અવસ્થામાં તમારા મનને પરોવી દો. તમારું મન આશ્વાસન પામશે, તમારું મન વિશુદ્ધ થશે. આત્મસમર્પણ કરો! સમર્પણશીલ ભક્તિ કરો. મનના મેલ ધોવાઈ જશે ભક્તિનો પવિત્ર ઝરો ફૂટી નીકળશે!' કામાંકુરે કહ્યું: “મહારાજ કુમાર, મેં તો વિદ્વાન પાસેથી એવું સાંભળ્યું છે કે ત્રણે વર્ગને પૂર્ણપણે સાધી આપનાર કામશાસ્ત્ર છે! કામશાસ્ત્રમાં કહેલા પ્રયોગોને જાણનાર પુરુષ નક્કી પોતાની પ્રિયતમાના ચિત્તની પ્રસન્નતા મેળવે છે, અને તેનું રક્ષણ કરીને, શુદ્ધ પુત્રપ્રાપ્તિ કરે છે. અને વિશુદ્ધ દાનાદિક ક્રિયાથી, મહાન ધર્મપુરુષાર્થનો અધિકારી બને છે. અનુરાગી પ્રિયા, વિશુદ્ધ પુત્ર અને તેના સતત સ્નેહના ફળભૂત અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે! રાગ વિનાની પત્ની અને અશુદ્ધ પુત્રથી અર્થ અને કામનો શ્રી સમરાદિત્ય મહાકથા ૧3c For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy