SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ, રાજાએ શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. એ અંગે પણ કેટલીક વાતો કહું છું. રાજાએ, દેવ, ગુરુ, બ્રાહ્મણ, કુળવૃદ્ધ અને સાધુ આ પાંચસિવાય કોઈને મસ્તક નમાવવું ના જોઈએ. * કોઈએ સ્પર્શ કરેલું ભોજન ખાવું નહીં, કોઈના ભેગા જમવું નહીં. સ્પર્શ ન કરવા જેવી અને ગમન ન કરવા જેવી સ્ત્રીઓનો સંગ કરવો નહીં. આ શ્રાદ્ધનું અન્ન જમવું નહીં, પારકે ઘેર જમવા બેસવું નહીં. કે પારકા વાસણમાં જમવું નહીં, પારકું વસ્ત્ર પહેરવું નહીં, પારકી શય્યામાં પોઢવું નહીં અને પારકા વાહન પર બેસવું નહીં. પોતાનાં વાહન, આસન કે શય્યા પર વડીલજનો સિવાય કોઈને બેસવા દેવાં નહીં. કાંજી, કોહેલું અન્ન, જવ, તેલ તથા ઉદંબર જાતનાં પાંચ ફળ ખાવાં નહીં. અંગરક્ષકો, કંચુકીઓ, મંત્રી, છડીદાર, રસોઇયા, દ્વારપાલ વંશપરંપરાથી ચાલ્યાં આવતાં હોય, તે જ રાખવાં. શસ્ત્રભંડારો, દાનશાળાઓ, ભોજનશાળાઓ, પરબ, પ્રાસાદો તથા જળાશયોથી પૃથ્વીને શણગારવી. ધર્મ, અર્થ અને કામ – એ ત્રણ પુ ષાર્થ, પરસ્પર બાધ ના આવે, એ રીતે સાધવાં. શત્રુનું નિર્મુલન, મિત્રનું સંરક્ષણ, મંત્ર, બળ અને ઉત્સાહ-ત્રણ શક્તિ, સામદામ-દંડ અને ભેદ-આ ચાર ઉપાય, રાજામાં અવશ્ય જોઈએ. છે સ્વામી, પ્રધાન, સહૃદય, કોશ, રાષ્ટ્ર, કિલ્લા તથા સૈન્ય, આ સાત અંગ જોઈએ, જ સંધિ, વિગ્રહ, યાન, આસન, આશ્રય અને વૈધીભાવ - આ છ ગુણ રાજામાં અનિવાર્ય હોવા જોઈએ. હે રાજકુમાર, રાજાનાં પાંચ યજ્ઞ કહેલા છેઃ આ પહેલો યજ્ઞ અપરાધીને દંડ કરવાનો છે. છે બીજો યજ્ઞ પુરુષોનો સત્કાર કરવાનો છે. ત્રીજો યજ્ઞ ન્યાયપૂર્વક ભંડાર ભરવાનો છે. ચોથો યજ્ઞ પક્ષપાત વિના શુદ્ધ ન્યાય કરવાનો છે. પાંચમો યજ્ઞ શત્રુઓથી દેશનું રક્ષણ કરવાનો છે. હે વત્સ, તું જે નગરીથી આવ્યો છે, તે ઉની નગરીની એક સાત્ત્વિક રાજાની વાર્તા, હું ઘણી વાર મારી ધર્મકથામાં કહું છું. એ રાજાને પ્રતિજ્ઞા હતી બજારમાં જે વસ્તુ સાંજ સુધીમાં ના વેચાય, એ વસ્તુ પોતે ખરીદી લેતો. એક માણસ ઉર્જનીના બજારમાં દરિદ્રતાનું પૂતળું વેચવા આવ્યો. ૧3૪ ભાગ-૩ + ભવ નવમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy