SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એટલે? “હું એનામાં યૌવનનો તરવરાટ જોવા ઇચ્છું છું. હું એને રાજકુમારીઓ સાથે પ્રેમ કરતો જોવા ઇચ્છું છું... આ યૌવનના કાળમાં એની ઇન્દ્રિયો શાંત રહે... એ સાધુ જેવો બનીને જીવે - એ મને ગમતું નથી, એ માત્ર તત્ત્વચર્ચા કરનારો વિદ્વાન બની રહે.. એ મને પસંદ નથી. એનું રૂપ, એનું યૌવન, એનું લાવણ્ય... બધું મદભર હોવું જોઈએ...' મહારાણી રૂપસુંદરી સાંભળતી રહી. એના મનમાં વન્દ્ર પેદા થયું... કુમારનું જે વ્યક્તિત્વ એ જોતી હતી, એને ગમતું હતું. એને કુમારની તત્ત્વજ્ઞાનભરી વાતો ગમતી હતી. આજે મહારાજાએ બીજી જ વાત કરી... તે દ્વિધા અનુભવવા લાગી. તે મૌન રહી. તે મહારાજા સાથે વાદવિવાદ કરવા નહોતી ઇચ્છતી. મહારાજા ઊભા થયાં. ખંડના ઝરૂખામાં જઈને ઊભા. શું કરું? કુમારનો જીવનપ્રવાહ બદલવો તો પડશે જ. આ રીતે જો ચાલતું રહેશે તો કુમાર ગૃહવાસ ત્યજી, સાધુ બની જશે... ના, ના, મારે એને સંસારની મોહમાયામાં લપેટ પડશે. આ કામ હું કે તેની માતા નહીં કરી શકીએ. આ કામ મિત્રોનું છે.. કુમારને એવા મિત્રો હોવા જોઈએ કે જેઓ કુમારને રંગરાગ અને ભોગવિલાસમાં આળોટતો કરી મૂકે.” મહારાજાને એવા ત્રણ યુવાનો યાદ આવ્યાં. મોટા ઘરના હોવા છતાં નાનામોટા અપરાધોમાં પકડાયેલા પણ મહારાજાએ તેમને ક્ષમા આપેલી. મહામંત્રીનો પુત્ર લલિતાગ ક નગરશેઠનો પુત્ર કામાંકુર. પુરોહિતપુત્ર અશોક. આ ત્રિપુટી કળાઓમાં નિપુણ હતી. રતિક્રીડામાં વિચક્ષણ હતી. બીજાઓને પોતાના બનાવી લેવાની, તેનામાં આવડત હતી અને વિલાસી વૃત્તિવાળી હતી. એક જ છે ૧૩૦૪ ભાગ-૩ + ભવ નવમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy