SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં સાંભળ્યું છે કે મારા ગુરુદેવ વિજયધર્મ આચાર્ય એકાદ મહિનામાં અહીં પધારવાના છે..' જેમની પાસે તેં અને વિગ્રહ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો, એ જ ગુરુદેવને?' હા, એ જ પધારવાના છે, મને એમણે કહેલું પણ ખરું કે હવે તું મને અયોધ્યામાં જોઈશ! ‘તો તો બહુ સારું! શ્રેષ્ઠ ગુરુદેવની પ્રાપ્તિ, અનંત પુણ્યના ઉદય વિના થતી નથી.” મહામંત્રીએ મંત્રણાખંડમાં પ્રવેશ કર્યો. મહારાજાને અને યુવરાજને પ્રણામ કર્યા, ને હાથ જોડીને ઊભા રહ્યાં. મહામંત્રી આવો, બેસો અહીં મારી પાસે.' મહામંત્રીને યોગ્ય આસને બેસાડીને, મહારાજાએ કહ્યું: “રાજકુમારના રાજ્યાભિષેકનું મુહૂર્ત કઢાવવાનું છે. જે સારું ને શ્રેષ્ઠ મુહૂર્ત આવે, એ મુહૂર્ત કુમારનો રાજ્યાભિષેક કરી દેવો છે...' ‘પછી, પિતાજી અને માતાજી ગૃહત્યાગ કરવા ઇચ્છે છેચારિત્રધર્મ લેવા ચાહે છે...” રોતાં રોતાં કુમાર બોલ્યો, મહામંત્રીની આંખો પણ ભીની થઈ... છતાં હૃદયને દૃઢ કરી, તેમણે કુમારને કહ્યું: મહારાજકુમાર, આ કુળની પરંપરા છે. રાજકુમાર સુયોગ્ય બને એટલે રાજા આત્મકલ્યાણનો માર્ગ ગ્રહણ કરે. અને હવે મહારાજને આત્મકલ્યાણની સાધના માટે, આપે પ્રેમથી અનુમતિ આપવી જોઈએ. હું આજે મંત્રીમંડળની પરિષદ બોલાવું છું. રાજપુરોહિતને પણ મળું છું. ૦ ૦ ૦ મહારાણી પદ્માવતીએ રત્નપતીને વાત કરી. રત્નાવતી પદ્માવતીને ટગર ટગર જોતી જ રહી. થોડી વારમાં જ ઊનાં ઊનાં આંસુ એની આંખોમાંથી ટપકવા માંડ્યાં. ત્યાર પછી બાળકુમારને પદ્માવતીના ખોળામાં મૂક્યો અને ઊભી થઈ. તેણીએ મહારાજાના ખંડ તરફ ચાલવા માંડ્યું. પદ્માવતીએ લગભગ બૂમ પાડી – “રત્નાવતી બેટી, તું ક્યાં જાય છે?” રત્નાવતી ઊભી રહી ગઈ.. પદ્માવતી એની પાસે ગઈ, એનો હાથ પકડ્યો. “પિતાજી પાસે જાઉં છું... મને છોડીને આપ નહીં જઈ શકો... કાં તો મને પણ આપની સાથે ચારિત્ર લેવા દો. અથવા આપ હમણાં રોકાઈ જાઓ - મારે પિતાજીને કહેવું છે...' બેટી..' પદ્માવતીની આંખો છલકાઈ ગઈ. રત્નાવતી પદ્માવતીને ભેટી પડી. બેટી, તું તારા પિતાજીના શ્રેયોમાર્ગમાં વિદન ન બનીશ. એમનું હૃદય દુભાશે.. તને મેં કહ્યું નથી, પરંતુ તેઓ ક્યારનાય વિરક્ત બનેલા છે! એ તો તારાં લગ્ન પછી તરત જ કુમારનો રાજ્યાભિષેક કરવા ઇચ્છતાં હતાં, પરંતુ એક તૃષ્ણા હતી એમના ૧૨૭૨ ભાગ-૩ + ભવ આઠમાં For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy