SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૧ એક પ્રભાતે રનવતી વહેલી જાગી. એક શુભ-સુંદર સ્વપ્ન જોઈને જાગી. તેણે કુમારને પ્રેમથી જગાડ્યો. કુમારે જાગીને રત્નાવતી સામે જોયું... રનવતીએ કહ્યું: . “સ્વામીનાથ, એક શુભ સ્વપ્ન જોઈને, હું જાગી ગઈ... મેં પૂનમના ચંદ્રને મારાં મુખમાં પ્રવેશ કરતો જોયો... અને મને લાગ્યું કે એ મારાં પેટમાં ઊતરી ગયો છે... મેં ખૂબ સુખનો અનુભવ કર્યો ને જાગી ગઈ..” કુમારે કહ્યું: “દેવી, તમારા પેટે કોઈ ચંદ્ર જે સૌમ્ય મહાન જીવ અવતરિત થયો છે. દેવલોકમાંથી અવતરિત થયો છે. તમે એક પુત્રની માતા થશો! તમે પ્રશસ્ત સ્વપ્ન જોયું છે..” આપનાં વચન સિદ્ધ થાઓ! આપે જે કહ્યું તે સત્ય છે. હું આપનાં વચનોનો સ્વીકાર કરું છું...” ‘દેવી, હવે તમારે ખૂબ કાળજીપૂર્વક ગર્ભનું પાલન કરવાનું. એ પુણ્યશાળી જીવને કોઈ વાતે દુઃખ ના પહોંચે, એ રીતે એનું પાલન કરવાનું છે. જ્યાં સુધી એનો જન્મ ન થાય, ત્યાં સુધી તમને જે જે ઇચ્છાઓ થાય, તે મને કહેવાની! તમારી દરેક ઇચ્છા પૂર્ણ કરીશ!' ‘દેવ, મેં સાંભળ્યું છે કે ગર્ભવંતી સ્ત્રીની ઇચ્છાઓ, એને પેટમાં રહેલા જીવના આધારે થાય છે. જો જીવ પુણ્યશાળી આવ્યો હોય તો માતાને શુભ ઇચ્છાઓ થાય છે ને પાપી જીવ આવ્યો હોય તો અશુભ ઇચ્છાઓ થાય છે...!! “સાચી વાત છે. તમે કહો છો, એમ જ છે...” 0 0 0 મહારાણી પદ્માવતીને જાણ થઈ કે રત્નવતી ગર્ભવતી થઈ છે. તે ખૂબ જ આનંદિત થઈ. મહારાજા મૈત્રીબળે પણ જ્યારે જાણ્યું ત્યારે તે હર્ષિત થયા. તેમણે મહારાણીને કહ્યું: ‘દેવી, મારાં મનની એક વાત કહું?' અવશ્ય કહો સ્વામીનાથ...” “હું ઇચ્છતો હતો કે રત્નવતી પુત્રને જન્મ આપે કે તરત જ ગુણચંદ્રનો રાજ્યાભિષેક કરવો... રાજ્યભાર એને સોંપી દેવો. અને આપણે બંને ગૃહવાસ ત્યજી, આત્મકલ્યાણ માટે મોક્ષમાર્ગે ચાલ્યા જવું. આમેય કેટલાક સમયથી મારું મનોમંથન આવું જ ચાલ્યા કરે છે... હવે મન સંસારના સુખોમાંથી ઊઠી ગયું છે... આત્માના.... અને પરલોકના વિચારો આવ્યા કરે છે. પરંતુ રત્નાવતીના પુત્રનું મુખ ૧૪ ભાગ-૩ ૪ ભવ આઠમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy