SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા-મહારાણી-રત્નાવતી અને સમગ્ર રાજપરિવાર હર્ષથી ઝૂમી ઊઠ્યો...” મહારાજા પુનઃ પુનઃ સાધ્વીનો ગુણાનુવાદ કરીને ગયાં. બધો પરિવાર ગયો. માત્ર રત્નવતી ત્યાં બેસી રહી. તેણે મહારાણીની અનુજ્ઞા લઈ લીધી હતી... સહુના ગયા પછી રત્નવતીએ ધીરેથી સાધ્વીના કાનમાં પૂછ્યું: ભગવતી, તમે આર્યપુત્રને જ્ઞાનના પ્રકાશમાં આવતાં જોયા?' જોયા નહીં, જાણ્યા! જોવા માટે પ્રત્યક્ષ જ્ઞાન જોઈએ... એવું જ્ઞાન મારી પાસે નથી. જાણવા માટે પરોક્ષ જ્ઞાન જોઈએ, તે મારી પાસે છે!” આવું બધું - પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન વગેરે મને સમજાવો ને! હું તો સાવ અબોધ છું.” તને બધું સમજાવીશ કુમારને આવી જવા દે.' કેમ? અત્યારે મને ના સમજાવી શકો? તેમના વિના પણ હું સમજી શકીશ!' સાધ્વીજીના મુખ પર સ્મિત આવી ગયું. તેમણે રનવતીના મસ્તકે હાથ મૂકીને કહ્યું: “વત્સ, મારે તને ઘણું જ્ઞાન આપવું છે!' “અત્યારે આ ચાર દિવસમાં આપો. પછી આપની પાસે મારાથી વધુ સમય નહીં બેસાય ને?' રનવતી હસી પડી. સાધ્વીજીએ રનવતીને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સમજાવ્યું. જીવ, અજીવ, પુણ્ય-પાપ વગેરે નવ તત્ત્વ સમજાવ્યાં. કલાકો સુધી એ સાંભળતી રહી સાધ્વીની વાતો.. એને ઉપવાસ હતા.. ખાવા-પીવાની ચિંતા ન હતી! જ્ઞાન પામવાની તીવ્ર ઝંખના હતી... 0 0 0 જ્ઞાનોપાસનામાં ચાર દિવસ પસાર થઈ ગયાં. બહુ જલદી પસાર થઈ ગયાં... જે દિવસથી રત્નવતીએ ઉપવાસ શરૂ કર્યા, તે દિવસથી ગણીએ તો પાંચ દિવસ પસાર થઈ ગયાં. રત્નાવતીનો દિવસ મોટા ભાગે સાધ્વીની પાસે જ પસાર થતો હતો. રનવતીએ સાધ્વીજીને પૂછ્યું: “ભગવતી, આપના કથનાનુસાર આજે આર્યપુત્ર આવવા જોઈએ! હે ભદ્ર, અવશ્ય આવવા જોઈએ.' સાધ્વીજીનાં આ વચનો નીકળવાં અને દાસી ચંદ્રસુંદરીનો ઉપાશ્રયમાં પ્રવેશ થવો! ચંદ્રસુંદરી આવીને, રનવતી પાસે બેસી ગઈ... એના કાન સુધી પોતાનું મોટું લઈ જઈ... ખૂબ હર્ષિત સ્વરે કહ્યું: દેવી, ભગવતીનાં વચન ખોટાં પડે નહીં, આપના હૃદયવલ્લભ પધારી ગયા છે! મહારાજા વગેરે નગરની બહાર ગયાં છે. સાંભળ્યું છે કે જે રાજા પર મહારાજ કુમાર શ્રી સમરાદિત્ય મહાકથા ૧પપ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy