SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ત્યાં અંતપુરની દાસી દોડતી આવી... 'મહારાજા, ગજબ થઈ ગયો... શી ખબર... ક્યાંથી વાત આવી... કે રાજકુમાર યુદ્ધમાં હણાયા છે... એ સાંભળીને, યુવરાણી રત્નવતી મૂર્ચ્છિત થઈને, જમીન ૫૨ પડ્યાં છે... દાસીઓ એમની સેવામાં છે... આપ શીઘ્ર ત્યાં પધારો.' મહેલમાં રાજકુમારના મૃત્યુની અફવા ફેલાવીને, વાનમંતર ખુશ થઈને, ચાહ્યો ગયો. Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા રત્નવતી પાસે ગયા. રત્નવતી ભાનમાં આવી કે તરત જ તેણે કલ્પાંત કરવા માંડો. આંસુ નીતરતી આંખે તેણે મહારાજાને કહ્યું: ‘પિતાજી, મને અગ્નિપ્રવેશ કરવાની અનુમતિ આપો. હું અભાગી છું... આર્યપુત્રના અકુશળ સમાચાર જાણવા છતાં હજુ મારા પ્રાણ ટકી રહ્યા છે... કેવી હું નિર્લજ્જ છું... પરંતુ હું આર્યપુત્ર વિના જીવી નહીં શકું... હું અગ્નિપ્રવેશ કરીને, મારા પ્રાણોનો ત્યાગ કરીશ... અને સુરલોકમાં જ્યાં આર્યપુત્ર હશે ત્યાં જઈશ... એમને મળીશ...’ મહારાજાએ ગંભીર સ્વરે કહ્યું: ‘હે સૌભાગ્યવંતી, તું શોક ના કર, વિષાદ ત્યજી દે. આ વાત મારું હૃદય માનતું નથી... મારો પુત્ર કેસરીસિંહ સદેશ છે... જ્યારે પેલો વિગ્રહ તો શિયાળ છે શિયાળ... શું બેટી, તેં ક્યારેય સાંભળ્યું છે કે શિયાળે સિંહને માર્યો? વળી બીજી મહત્ત્વની વાત કહું તે સાંભળ. થોડા દિવસ પૂર્વે એક અષ્ટાંગ નિમિત્તના જાણકાર જ્યોતિષી મારી પાસે આવેલા. તેમણે મને કહ્યું હતું કે રત્નવતી પુત્રવતી થશે! નૈમિત્તજ્ઞની વાત ખોટી ના જ પડે. બીજી વાત – આ સમાચાર સાંભળ્યા પછી મારા હૃદયમાં કોઈ જ વ્યાકુળતા થતી નથી. ત્રીજી વાત - આજે ગત રાત્રિમાં મેં કુશળ સ્વપ્ન જોયું છે! કુમારને યુદ્ધમાં એક ઘા પણ વાગ્યો નથી. શ્રી સમરાદિત્ય મહાકથા મહત્ત્વની વાત તો એ છે કે હે કલ્યાણી, તારી સૌભાગ્યલક્ષ્મી અખંડ છે!' ‘પિતાજી, તમારું વચન સત્ય હો! હું એ જ ઈચ્છું છું... પરંતુ તો પછી આ વાત જે આવી છે... તેનું શું?' ‘હે મહાસતી, પૂર્વજન્મના કોઈ શત્રુએ આ વાત ફેલાવી લાગે છે... કારણ કે આ જીવનમાં હું જાણતો નથી કે કુમારનો કોઈ શત્રુ હોય!' For Private And Personal Use Only ૧૨૦૭
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy