SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપકર્મ બાંધ્યા હતાં, તે કર્મો આ જન્મમાં ઉદયમાં આવ્યાં છે. હે રાજન, એ જ પ્રદેશમાં એક ભંભા’ નામનું નગર હતું. તે નગરનો રાજા હતો શ્રીબળ. શ્રીબળ રાજા સાથે તારે ઝઘડો થયો. કોઈ વિશેષ કારણ વિના ઝઘડો થયો. તારા સેનાપતિથી માંડીને, બધા મુખ્ય યોદ્ધાઓ શ્રીબળના પક્ષમાં ભળી ગયા. તને ખ્યાલ આવી ગયો હતો, છતાં તેં યુદ્ધમાં તો ઝંપલાવી દીધું. હે રાજન, એ યુદ્ધમાં તારું સૈન્ય હણાયું અને શ્રીબળ રાજાએ તારો પણ વધ કરી દીધો. મૃત્યુ વખતે તારા ચિત્તમાં પ્રબળ રૌદ્રધ્યાન પ્રગટ્યું હતું. શ્રીબળ રાજા પ્રત્યે તીવ્ર રોષ પ્રગટ્યો હતો. તારા જે યોદ્ધાઓ શ્રીબળના પક્ષમાં ભળી ગયા હતા, તેમના પ્રત્યે પણ તીવ્ર ફેષ પ્રગટ્યો હતો. એના પરિણામે મરીને, તારે નરકમાં ઉત્પન્ન થવું પડ્યું. તારા કરુણ મૃત્યુના સમાચાર રાણી અશોકદેવીને મળ્યા. તે મૂચ્છિત થઈ, ધરતી પર ઢળી પડી. પરિવારે ઉપચારો કર્યો. તેને ચેતના આવી.. રુદન કરવા લાગી અને બોલવા લાગી: “કોણ દુષ્ટ મારા પતિને હણી નાખ્યો. મને તલવાર આપો.. હું એ દુષ્ટના ટુકડે-ટુકડા કરી ગીધડાંઓને ઉજાણી કરાવીશ..” પરિવારે રાણીને શાત્ત કરવા ઘણું સમજાવી.... શસ્ત્ર લઈને દોડી જતી રાણીને પકડી લીધી. તેણે જમીન પર માથાં પછાડ્યાં. છેવટે તેણે પોતાનો નિર્ણય જાહેર કર્યો: “હું અગ્નિમાં પ્રવેશ કરી પ્રાણત્યાગ કરીશ. હવે હું જીવવા નથી ઈચ્છતી. મારા પ્રિયતમ વિના હું જીવી નહીં શકું, અહીં રહી નહીં શકું. જે સ્થાનમાં મારા પતિ ઉત્પન્ન થયા હોય, એ જ સ્થાનમાં હું ઉત્પન્ન થાઉં! આ પ્રમાણે નિયાણું, કરીને તેણે ચિતામાં પ્રવેશ કર્યો, તે પણ મરીને એ જ નરકમાં ઉત્પન્ન થઈ, કે જ્યાં એનો પતિ, તું જ્યાં ઉત્પન્ન થયો હતો! ભલે એ તારી સાથે નરકમાં ઉત્પન્ન થઈ, તને જોયો પણ ખરો.. પરંતુ નરકનાં ભયાનક દુઃખોમાં, એ તારું સુખ પામી ના શકી. નરકની ઘોર-ભયંકર યાતનાઓ સહવામાં કરોડોથી પણ વધારે વર્ષો પસાર થયાં. ૦ ૦ ૦ તારું નરકનું આયુષ્ય પૂર્ણ થયું. પુષ્કરાઈ દ્વિપના ભરતક્ષેત્રમાં વેણા નામનું નગર છે. એ નગરમાં એક દરિદ્રદુઃખી કુટુંબમાં તારો જન્મ થયો. બે ટંક પૂરતું ખાવાનું નહોતું કે એક જોડ સારા કપડાં પણ દુર્લભ હતાં. આ તારી પત્ની પણ નરકનું આયુષ્ય પૂર્ણ કરીને, એ જ વેણાનગરમાં દરિદ્ર ૧00 ભાગ-૩ % ભવ આઠમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy