________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ મહિના લાગશે...'
છ મહિના અને મારા હૃદય પર આઘાત લાગ્યો. હું મૂચ્છિત થઈ ગયો. યોગી પુરુષ અદ્રશ્ય થઈ ગયા. મારી મૂર્છા તો દૂર થઈ, પરંતુ મારી મોહદશાએ મને રડાવ્યો. મારી આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી.. “આટલો બધો વિરહ મારાથી સહન કેમ થશે?” હું નાના બાળકની જેમ આક્રંદ કરવા લાગ્યો... જ મેં રાજસભામાં જવાનું છોડી દીધું.
મેં સુંદર વસ્ત્રો ને અલંકાર પહેરવાનાં છોડી દીધાં. + સારું અને સ્વાદિષ્ટ ભોજન કરવાનું ત્યજી દીધું.
પરિવાર સાથે વાર્તા-વિનોદ છોડી દીધો. હું અત્યંત વ્યથિત બન્યો હતો. મને “મૂચ્છ નો રોગ લાગુ પડી ગયો હતો... અવારનવાર એવા યુગલોનાં દ્રશ્ય જોઈને, મને મૂર્છા આવી જતી હતી. એટલે રાણી વિજયદેવી મારી સાથે મારા પડછાયાની જેમ રહેતી નથી.
પાંચ મહિના પૂરા થવા આવ્યા. મને લાગ્યું કે મેં નરકમાં પાંચ કરોડ વર્ષ પસાર કર્યા! છઠ્ઠી મહિનાનો પ્રારંભ થયો હતો... હજુ સાત-આઠ દિવસો જ પસાર થયાં હતાં.... અચાનક જ મારા હૃદયમાં અતિ હર્ષ પેદા થયો. કોઈ કારણ વિના! કોઈ નિમિત્ત વિના! હું માનસિક અને શારીરિક દુઃખોથી મુક્ત થયો. મેં વિચાર્યું. “મારા ચિત્તમાં આટલી બધી પ્રસન્નતા ઉત્પન્ન થવાનું શું કારણ હશે? મારી પ્રિયા તો હજુ મહિના પછી મળવાની છે. જોકે પાંચ મહિનામાં એના તરફથી કોઈ કુશળ સમાચાર નથી...'
હું આ મૂંઝવણમાંથી મુક્ત થયો ન હતો, ત્યાં ઉદ્યાનના પાલકે આવીને વિનયથી નિવેદન કર્યું. “નગરની બહાર દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની પધરામણી થઈ છે!” હું હર્ષવિભોર બન્યો, મેં વનપાલકને પ્રીતિદાન આપ્યું... અને પરિવારને આજ્ઞા કરી: “તૈયારી કરો, આપણે તીર્થંકર પરમાત્માનું દર્શન કરવા જઈશું.
ઘણા દિવસો પછી મેં સ્નાન કર્યું. ઉચિત વેશભૂષા કરી અને પરિવારની રાહ જતો હતો ત્યાં મારો એક પરિચિત શ્રાવક મારી પાસે આવ્યો અને વિનયથી પ્રણામ કરીને બોલ્યો:
મહારાજા, નગરની ઉત્તર દિશામાં, ઇન્દ્રની આજ્ઞાથી દેવો સમવસરણની રચના કરી રહ્યા છે.”
જ રાજેશ્વર, વાયુકુમારદેવોએ, એક યોજન ભૂમિમાંથી તીવ્ર વાયુ દ્વારા ધૂળ, ઘાસ અને કચરો દૂર કર્યા છે. - મેઘકુમાર દેવોએ શીતલ-સુગંધી જળની વૃષ્ટિ કરી છે.
૧૧eo
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only