SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સારંગ, તું તપાસ કર કે એ સેનસાધુ અત્યારે ક્યાં છે? આપણે ત્યાં જઈએ, એનો પીછો કરીએ.... અને એને મારીએ.' સારંગ એના ખાસ મિત્ર નારંગને લઈને, સેનમુનિની તપાસમાં નીકળી પડ્યો. તેઓ ચંપાના રાજ્યમાં આવ્યાં. બંને પાસે ઘોડા હતાં. એક એક ગામ-નગરમાં તપાસ કરતાં તેઓ આગળ વધતાં હતાં. ત્રિવેણીનગરીમાં એમણે આચાર્યશ્રી હરિષણને જોયા. વિનયપૂર્વક એમને વંદના કરીને, સેનમુનિ અંગે પૃચ્છા કરી. આચાર્યદેવે કહ્યું: એ મહામુનિ એકલા જ વિચરે છે. “જિનકલ્પ નામના સાધુજીવનની ઉત્કૃષ્ટ સાધના કરે છે. તેઓ અત્યારે ક્યાં વિચરે છે, એ અમે નથી જાણતાં.' “પરંતુ તેઓ આસપાસનાં ગામ-નગરોમાં જ હશે ને?' સારંગે પૂછ્યું. હા, અમારી આસપાસ ૨૫૩) યોજનાના વિસ્તારમાં જ હોવા જોઈએ. અમે સાંભળ્યું છે કે તેઓ મોટા ભાગે જંગલોમાં, ગુફાઓમાં. ને સ્મશાનગૃહોમાં વધારે રહે છે. ગામ-નગરોમાં તો માત્ર ભિક્ષા માટે જ જાય છે.” સારંગ અને નારંગે આચાર્યને અને સર્વ સાધુઓને વંદના કરી. અત્યારૂઢ બનીને ચાલી નીકળ્યાં. તેમણે ચંપાની ઉત્તરથી દક્ષિણનો પટ તપાસવા માંડ્યો. પરંતુ તેમને સેનમુનિ ન જડ્યા. દક્ષિણથી તેઓ પૂર્વ દિશા તરફ વળ્યા. ફરતાં ફરતાં તે બંને કોલ્લાક' નામના નાનકડા ગામમાં પહોંચ્યા. જોકે કોલ્લાક ગામ પણ ન હતું. જંગલમાં છૂટા છૂટાં ર૫૩) ઘાસનાં અને માટીનાં ઝૂંપડા હતાં. તેમાં ખેડૂતો રહેતાં હતાં. તેમની પાસે મોટી સંખ્યામાં ગાયો-ભેંસો હતી. બકરીઓનાં ઝુંડ હતાં, અને એ બધાની રક્ષા માટે ૧૦/૧૨ રાક્ષસી કૂતરા હતાં. બે અજાણ્યા ઘોડેસવારોને જોઈને, કૂતરાઓ ધસી ગયા. બંને ઘોડેસવારોએ પોતપોતાના ઘોડાઓની લગામ ખેંચી રાખી.” એક-બે ઝૂંપડાઓમાંથી સ્ત્રીઓ બહાર નીકળી આવી. “સારંગે પૂછ્યું: ‘ઓ બહેન, અહીં આજકાલમાં કોઈ એકલા જૈન સાધુ આવેલા?” બહેને કહ્યું: “ગઈ કાલે જ આવેલાં. તેઓ તો જંગલમાં રહે છે. કોઈની સાથે બોલતાં નથી. રાતભર એક જગ્યાએ ઊભા રહે છે. જુઓ, આ ઉત્તર-પૂર્વની વચ્ચે જે ટેકરી દેખાય છે ને? તે માતાજીની ટેકરી કહેવાય છે ત્યાં રહે છે.” સારંગ અને નારંગ ખુશ થઈ ગયાં. મુનિનું પાકું ઠેકાણું મળી ગયું સારંગ, આપણે એક વખત નજરે જોઈ આવીએ તો?” એ મુનિ આપણને જોઈ ગયો, ઓળખી ગયો તો? માટે આપણે હમણા એ સાધુ પાસે જવું નથી. આપણે વિષેણને લઈ આવીએ પછી શોધીશું. પછી સાધુ જાણે ને વિષેણ જાણે!” બંને મિત્રો પાછા વળ્યાં. શ્રી સમરાદિત્ય મહાકથા ૧૧પ૭ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy