SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે વત્સ, આ સૂત્રભાવનાથી ચિત્તની એકાગ્રતા કેળવાશે. કર્મોની ઘણી ઘણી નિર્જરા થશે અને અનેક ગુણો સિદ્ધ થશે. “જિનકલ્પ' ના પાલન માટે આ સૂત્રભાવના અતિ જરૂરી છે. ચોથી છે - એકત્વભાવના: “હે મુનિશ્રેષ્ઠ, સંસારવાસનું મમત્વ તો તેં સાધુપણું સ્વીકાર્યું ત્યારે જ છેદી નાખ્યું છે, પરંતુ સાધુજીવનમાંય તને મારા પર અને અન્ય સાધુઓ પર મમત્વ હશે જ! હવે એ મમત્વ પણ તારે નથી રાખવાનું જિનકલ્પ” સ્વીકારવાની તૈયારી કરનારે આ મમત્વને પણ, (ભલે તે પ્રશસ્ત ગણાય) છેદી નાખવાનું છે તે માટે તારે કે અમારી સામે સ્નિગ્ધ દૃષ્ટિથી જોવું નહીં. કે અમારી સાથે વાર્તાવિનોદ કરવો નહીં. છે પરસ્પર ગોચરી-પાણીનું આદાન પ્રદાન કરવું નહીં. * સૂત્રાર્થ અંગે પણ પ્રતિપૃચ્છા કરવી નહીં. કોઈની સાથે હસવું નહીં. કોઈની સાથે વાર્તાલાપ નહીં કરવો. આહાર, ઉપાધિ અને શરીરનું પણ મમત્વ નથી રાખવાનું. છે તારે એવા નિર્મોહી બની જવાનું છે આ એકત્વભાવના દ્વારા કે, તું જિનકલ્પી બની ગયા પછી, તારી સામે સ્વજનોનો વધ થતો જોઈને, પણ તું ક્ષોભ ના પામે. પાંચમી છે બળભાવના. હે સત્ત્વશીલ મુનિ, તારે સ્નેહજનિત રાગ નથી કરવાનો, તેવી રીતે તારા દઢ મનોબળથી તારે ગુણબહુમાનજન્ય રાગ પણ નથી કરવાનો! આત્માને તિબળથી સારી રીતે ભાવિત કર. મહાન સાત્ત્વિક બન, વૈર્યસંપન્ન બન. ઉત્સુકતારહિત બનીને, નિશ્ચલ બનીને.. પરિસહ-ઉપસર્ગ પર વિજય મેળવ અને “જિનકલ્પની જે પ્રતિજ્ઞા તું કરે, એ પ્રતિજ્ઞા પરિપૂર્ણ કર. કારણ કે સર્વ સિદ્ધિ સત્ત્વથી થાય છે. હે વત્સ, તારે બે જાતનાં “પરિકર્મ' કરવાં પડશે, ‘જિનકલ્પના સ્વીકાર પૂર્વે: પહેલું પરિકર્મ આહારનું છે. તારે હવે રુક્ષ આહાર લેવાનો, વધેલો-ઘટેલો આહાર લેવાનો અને સુક્કો (અપકૃત) આહાર લેવાનો! વાલ, ચણા વગેરે. બીજું પરિકર્મ છે વસ્ત્રોનું અને પાત્રનું. બહુ વસ્ત્રો નથી રાખવાનાં, વધારે પાત્ર નથી રાખવાનાં. એક વિશેષ કાર્ય (અભ્યાસ) તારે કરવાનું છે: “ઉત્કટુક આસને બેસવાનો અભ્યાસ કરવાનો છે. “જિનકલ્પ“ માં સાધુથી બેસવા માટે આસન રાખી શકાતું નથી શ્રી સમરાદિત્ય મહાકથા ૧૧પ૧ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy