SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અત્યંત જરૂરી છે. પશ્ચાત્તાપથી જ ઘણાં કર્મો નાશ પામી જાય છે. છે જીવનમાં થઈ ગયેલાં પાપો, જે યાદ આવે તે, બધાં જ મનની વિશુદ્ધિ સાથે ગુરુદેવને કહી દેવાં જોઈએ. જ વિનમ્ર ભાવે કહેવાં જોઈએ. આ વિધિપૂર્વક (શાસ્ત્રોક્ત) કહેવાં જોઈએ. & વિકલ્પરહિત (ગુરુદેવ મને કેવો પાપી ધારશે? એમની દૃષ્ટિમાં હું ઊતરી જઈશ. અધમ દેખાઈશ, આવા આવા વિકલ્પો નહીં કરવાના) બનીને ગુરુદેવને કહેવાનાં પાપો. પછી એ પાપનું પ્રાયશ્ચિત્ત ગુરુદેવ પાસેથી લેવાનું. જ પછી એ પ્રાયશ્ચિત્ત વહન કરવાનું! આ રીતે આત્મા નિર્મળ બને. પછી ધર્મધ્યાનમાં. શુક્લધ્યાનમાં લીન બને. ભીતરમાં ધ્યાનાગ્નિ પ્રગટ થાય, તેમાં અનંત અનંત કર્મો બળીને ભસ્મ થઈ જાય... અને આત્માનો મોક્ષ થઈ જાય.' આચાર્યદેવનો ઉપદેશ પૂર્ણ થયો. રાજા બ્રહ્મદેવ પ્રતિબોધ પામ્યા. જિનધર્મ પર એમની શ્રદ્ધા દૃઢ બની. છે શ્રેષ્ઠી યશ-આદિત્ય આચાર્યદેવને કહ્યું: “ભગવંત, હું અપ્રમત્તપણે ચારિત્રધર્મની આરાધના કરવા ઈચ્છું છું. હવે મારે ચાર ગતિમય સંસારમાં પરિભ્રમણ નથી કરવું, મારે તો હવે મોક્ષ જ જોઈએ છે. મને ચારિત્રધર્મ આપવાની કૃપા કરો.” મહેશ્વરે કહ્યું: “ભગવંત, મેં આજે પહેલી જ વાર ધર્મનો આવો ઉપદેશ આપના મુખે સાંભળ્યો. આ સંસાર કેવો દુઃખમય છે, તે મેં અરુણદેવ, કે જે મારો પરમ મિત્ર છે, એના જીવનમાં જોઈ લીધું. મારે હવે સંસારવાસમાં રહેવું નથી. મને દીક્ષા આપો. હું પ્રમાદ વિના સારી રીતે ચારિત્રધર્મનું પાલન કરીશ. આપ જેમ કહેશો, એ રીતે મારું જીવન જીવીશ. હું મારું પરમ સૌભાગ્ય માનું છું કે આપ જેવા ગુરુદેવ મળ્યા. જ્ઞાનનો પ્રકાશ મળ્યો. મહારાજાના જ પ્રતાપે, એમની સાથે સાથે અમને ઉપદેશશ્રવણ મળ્યું. આ મનુષ્યજીવન પ્રમાદમાં વેડફી નાખવા માટે નથી, અપ્રમાદી બનીને, દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવા માટે છે, માટે અમને બંનેને ચારિત્રધર્મ પ્રદાન કરવાની કૃપા કરો. યશ-આદિત્ય અને મહેશ્વરે દીક્ષા લીધી. છે મહારાજે એ દિવસે કારાવાસમાંથી કેદીઓને મુક્ત કર્યો. - ગરીબોને મહાદાન આપ્યું. સુપાત્રદાન આપ્યું. મંદિરોમાં મહોત્સવ કર્યો. શ્રી સમરાદિત્ય મહાકથા ૧૭ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy